શોધખોળ કરો

ભાવનગરમાં અસામાજિક તત્વોનો આતંક, જૂની અદાવતમાં ત્રણ મકાનમાં લગાવી આગ

ભાવનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હતા. જૂની અદાવતમાં ત્રણ મકાનમાં આગ લગાવવામાં આવી હતી

ભાવનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હતા. જૂની અદાવતમાં ત્રણ મકાનમાં આગ લગાવવામાં આવી હતી. આગના કારણે ત્રણ ઘર મળીને ખાખ થયા હતા. સમગ્ર વિસ્તારમાં ગોઠવાયો કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસે અસામાજિક તત્વોની શોધખોળ શરૂ કરી હતી.

ભાવનગરમાં અસામાજિક તત્વોને પોલીસનો ડર જ રહ્યો નથી. ત્રણ દિવસ પહેલા થયેલી હત્યાની અદાવતમાં ફરિયાદી પક્ષ તરફથી આરોપીના ઘર પર જ્વલનશીલ પ્રવાહીની બોટલો ફેંકી ત્રણ ઘરમાં આગ ચંપી કરવામાં આવી હતી. રૂવાપરી મહાકાળી વસાહતમાં રાત્રીના બનેલી ઘટનાને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી.  મોડી રાત્રીના ઘટનાને લઈ જિલ્લા પોલીસવડા, ડીવાયએસપી સહિતના પોલીસનના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફરી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રૂવાપરી મહાકાળી વસાહતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પોલીસે હાલ સીસીટીવી ફૂટેજના આધારે તોફાનીઓની શોધખોળ શરૂ કરી છે.

જૂની અદાવતમાં થયેલ ઝઘડા બાદ વળતો પ્રહાર કરવામાં આવ્યો જેમાં રૂવાપરી મહાકાળી વસાહત વિસ્તારમાં ત્રણ મકાનોને જ્વલનશીલ પ્રવાહીની બોટલ બનાવીને ઘા કરવામાં આવ્યો અને ઘરમાં આગ ચાપી દેવામાં આવી હોવાની ઘટના બની છે. હાલ સમગ્ર ઘટનાને લઇ સ્થાનિક પોલીસ દ્ધારા વિસ્તારને કોર્ડન કરીને ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઘટનાને લઇ ફાયર વિભાગની ટીમ તેમજ સીટી Dysp, LCB, બી. ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળ ઉપર તૈનાત કરવામાં આવ્યો છે.

અગાઉ  ભાવનગર જિલ્લામાં આવેલા સિહોરમાં જૈન દૈરાસર પર અજાણ્યા શખ્સો દ્વારા રાત્રિના સમયે અચાનક પથ્થરમારો કરતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો. પથ્થરમારો કેમ થયો તેનું કારણ સામે આવ્યુ નથી. જોકે, પોલીસે પણ હજુ સુધી કોઇ સત્તાવાર રીતે ફરિયાદ નોંધી નથી. આ ઘટનાને લઇને સમગ્ર જૈન સમાજમાં અને અગ્રણીઓમાં રોષ ફેલાયો છે.  

ભાવનગર જિલ્લામાં આવેલા સિહોરમાં આ પથ્થરમારાની ઘટનાને લઈ ચકચાર મચી ગઈ છે. ગઇ મોડી રાત્રિના સમયે શહેરના મોટા ચોક વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાં અજાણ્યા શખ્સો દ્વારા પથ્થમારો કરાયો હતો. આ તરફ ઘટનાને લઈ જૈન સમાજના આગેવાનો સ્થળ પર પહોંચ્યા હતા. આ સાથે જૈન સમાજના આગેવાનોએ દેરાસર પર પથ્થરમારાની ઘટનાને વખોડી કાઢી છે. ઘટનાની જાણ થતાં પોલીસ દેરાસર પહોંચી અને દેરાસરને નુકસાન કરવાના પ્રયાસ મામલે હજુ કોઈ ફરિયાદ નોંધાઇ નથી. જોકે જૈન દેરાસરમાં પથ્થરમારાની ઘટનાને લઈ સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!

વિડિઓઝ

Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ
Muslim community in Valsad: વલસાડમાં ગૌ હત્યા મુદ્દે મુસ્લિમ સમાજનો મોટો નિર્ણય
Palanpur Murder Case: પાલનપુરમાં યુવકની હત્યાના આરોપમાં પોલીસે છ આરોપીની કરી ધરપકડ
Ahmedabad Police : થર્ટી ફર્સ્ટને લઈ અમદાવાદ પોલીસનું જાહેરનામું
Vadodara Incident : વડોદરામાં મનપાની બેદરકારીએ લીધો યુવકનો જીવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
"મનરેગા નાબૂદ કરવી એ ગરીબો પર વાર..." CWC બેઠકમાં ખડગેનો કેન્દ્ર સરકાર પર હુમલો
Embed widget