શોધખોળ કરો

કોરોનાના નવા વેરિયન્ટે વધારી ચિંતા, શું બૂસ્ટર ડોઝથી ઓમિક્રોનના સંક્રમણથી મળશે રાહત? જાણો શું કહે છે એક્સપર્ટ

કોરોનાના નવા વેરિયન્ટે ફરી એકવાર ચિંતા વધારી છે. આ સ્થિતિમાં બૂસ્ટર ડોઝની તૈયારીઓ થઇ રહી છે. તો શું બૂસ્ટર ડોઝથી બદલતા વેરિયન્ટથી રક્ષણ મળશે. જાણીએ આ મુદ્દે એક્સપર્ટ શું કહે છે

Booster dose:કોરોનાના નવા વેરિયન્ટે ફરી એકવાર ચિંતા વધારી છે. આ સ્થિતિમાં બૂસ્ટર ડોઝની તૈયારીઓ થઇ રહી છે. તો શું બૂસ્ટર ડોઝથી બદલતા વેરિયન્ટથી રક્ષણ મળશે. તે સવાલ થવો સ્વાભાવિક છે. જાણીએ આ મુદ્દે એક્સપર્ટ શું કહે છે

નવા વેરિયન્ટની ચિંતા વચ્ચે અનેક દેશોએ બૂસ્ટર ડોઝની તૈયારી કરી લીધી છે ફ્રાંસ પહેલાથી બૂસ્ટર ડોઝના વેક્સિનેશનને અનિવાર્ય બનાવી ચૂક્યું છે. બ્રિટન પણ 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને બૂસ્ટર ડોઝ આપવાની તૈયારી કરી રહ્યું છે.

શું બૂસ્ટર ડોઝથી ન્યૂ વેરિયન્ટ સામે મળશે રક્ષણ

વેક્સિનેશન પર  સંયુકત સમિતિના અધ્યક્ષ વી શેન લિમે કહ્યું કે, “ કોરોનાના રસીના બૂસ્ટર ડોઝથી ઓમિક્રોન વેરિયન્ટ સામે લડવા માટે ઇમ્યૂન સિસ્ટમ વધુ મજબૂત બનશે, નવી જાહેરાતમાં, જ્યારે તમામ પુખ્ત વયના લોકોને એન્ટી-કોવિડ રસીનો ત્રીજો ડોઝ આપવાનું કહેવામાં આવ્યું છે, એટલે કે, રસીનો બીજો ડોઝ 12-15 વર્ષના બાળકોને આપવામાં આવ્યો છે. જેમાં કોવિડ સામે રક્ષણ માટે રસીકરણને સૌથી મજબૂત હથિયાર ગણાવ્યું હતું.

બ્રિટેનના સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવેદે હાઉસ ઓફ કોમન્સમં કહ્યું કે, “કોવિડ-19 હજુ ગયો નથી. આ બધાની વચ્ચે કોરોના વાયરસના નવા વેરિયન્ટે ચિંતા વધારી છે. કોવિડની જંગમાં હાલ વેક્સિનેશન જ સક્ષમ હથિયાર છે. બ્રિટનમાં કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનના અત્યાર સુધીમાં 11 કેસ નોંધાયા છે, જ્યારે તે વધુ ઝડપથી વધવાની ધારણા છે. અત્યાર સુધીમાં વિશ્વના લગભગ 12 દેશોમાં તેના કેસ નોંધાયા છે.

ભારતમાં નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપ ઓફ ઈમ્યુનાઇઝેશન (NTAGI)ના પ્રમુખ ડો. એન.કે.અરોરાએ કોરોના વાયરસ વેક્સિનના બૂસ્ટર ડોઝને લઈ તઈ રહેલી ચર્ચા વચ્ચે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું,  એડિશનલ ડોઝ અને બૂસ્ટર ડોઝ આપવા પર રાષ્ટ્રીય નીતિ ટૂંક સમયમાં બનવાની સંભાવના છે. જેની જાહેરાત બે સપ્તાહમાં થઈ શકે છે.

ક્યારે આપવામાં આવે છે એડિશનલ અને બૂસ્ટર ડોઝ

ડો. અરોરાએ કહ્યું કોવિડ-19 વેક્સિનના એડિશનલ ડોઝ અને બૂસ્ટર ડોઝ બંને અલગ અલગ બાબત છે. NTAGIના ડો. અરોરાએ કહ્યું એડિશનલ ડોઝ માટે એક નિશ્ચિત સમય બાદકે  કોઈ વ્યક્તિ દ્વારા વેક્સિનેશન પૂરું કર્યા બાદ આપવામાં આવે છે. જ્યારે જેમને વેક્સિનેશનની પ્રક્રિયા પૂરી થયા બાદ કોઈ પ્રકારની પરેશાની થવાની શકયતા વધારે હોય તેવા લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવે છે. જે લોકો ઈમ્યુનોસ્પ્રેસ્ડ કે ઈમ્યુનોકોમ્પ્રોમાઇઝ્ડ અવસ્થામાં હોય તેમને એડિશનલ ડોઝ આપવામાં આવે છે. અમે આગામી 10 દિવસમાં એક નવી નીતિ લઈને આવી રહ્યા છે.

આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું, 18 વર્ષથી ઓછી ઉંમરના 44 કરોડ બાળકોને રસી આપવા માટેની વ્યાપક યોજના ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. પ્રાથમિકતાની પ્રક્રિયા ચાલી રહી છે. જેથી કરીને સ્વસ્થ બાળકોની સાથે કોમોર્બિડિટીઝવાળા બાળકોને રસી મળી રહે.

 

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Onion Price : ડુંગળીના ભાવે ખેડૂતોને રડાવ્યા, મણે કેટલા છે ભાવ?Paresh Goswami : ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની પરેશ ગોસ્વામીની આગાહીJunagadh Crime : ભેસાણમાં ખૂદ પિતાએ દીકરી પર દુષ્કર્મ ગુજારતા ખળભળાટ, પતિની ધરપકડJasdan Hostel : વિદ્યાર્થીઓ સાથે આંબરડીની હોસ્ટેલના ગૃહપતિ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરતા હોવાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
લક્ષણો વિના કિડનીને નુકસાન પહોંચાડી રહ્યું છે બ્લડ પ્રેશર, નવી સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો
લક્ષણો વિના કિડનીને નુકસાન પહોંચાડી રહ્યું છે બ્લડ પ્રેશર, નવી સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો
UAN નંબર વિના જાણી શકશો પોતાના PF એકાઉન્ટનું બેલેન્સ, જાણો સરળ રીત
UAN નંબર વિના જાણી શકશો પોતાના PF એકાઉન્ટનું બેલેન્સ, જાણો સરળ રીત
Weather: બેવડી ઋતુમાં મોટી આગાહી, આજે સૌરાષ્ટ્ર-ગુજરાતના આ ભાગોમાં થશે માવઠું
Weather: બેવડી ઋતુમાં મોટી આગાહી, આજે સૌરાષ્ટ્ર-ગુજરાતના આ ભાગોમાં થશે માવઠું
Rajkot: શિક્ષણ જગતમાં લાંછનરૂપ કિસ્સો, શાળાની હોસ્ટેલના ગૃહપતિએ વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ
Rajkot: શિક્ષણ જગતમાં લાંછનરૂપ કિસ્સો, શાળાની હોસ્ટેલના ગૃહપતિએ વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ
Embed widget