શોધખોળ કરો

Budget 2023 : હવે તમારૂ પણ હશે ઘરનું ઘર, બજેટમાં સરકારે આપી ખુશખબર

કેન્દ્ર સરકારે બજેટ 2023માં પીએમ આવાસ યોજનામાં 66 ટકાનો વધારો કર્યો છે. હવે આ અંતર્ગત બજેટ ઘટાડીને 79000 કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યું છે.

Budget 2023: કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના (PM આવાસ યોજના)ને લઈને કેન્દ્રીય બજેટ 2023માં મોટી જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકોના ઘરનું સપનું સાકાર કરવા માટે બજેટમાં પહેલા કરતા વધુ બજેટ આપવાની જાહેરાત કરી છે. હવે આ યોજના હેઠળ વધુ લોકોને લાભ આપવામાં આવશે. પ્રધાનમંત્રી ગ્રામીણ હેઠળ ગ્રામીણો માટે અને શહેરી આવાસ હેઠળ શહેરના નાગરિકો માટે મકાનો બનાવવામાં આવશે.

PM આવાસ યોજનાના બજેટમાં કેટલો વધારો કરવામાં આવ્યો?

કેન્દ્ર સરકારે બજેટ 2023માં પીએમ આવાસ યોજનામાં 66 ટકાનો વધારો કર્યો છે. હવે આ અંતર્ગત બજેટ ઘટાડીને 79000 કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યું છે. આ બજેટથી મકાનોની સંખ્યા વધારવામાં મદદ મળશે. આ સાથે નાણામંત્રીએ વિશ્વકર્મા કૌશલ વિકાસ યોજના હેઠળ આદિવાસીઓ માટે 15,000 કરોડ રૂપિયા ઉમેર્યા છે.

પીએમ આવાસ યોજનાનો કોને મળશે લાભ?

દેશના ગરીબ પરિવારોને પીએમ આવાસ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના 2015 માં શરૂ કરવામાં આવી હતી અને આ યોજના હેઠળ, 2024 સુધીમાં બધાને પાકાં મકાનો આપવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત શહેરી અને ગ્રામીણ એમ બે શ્રેણી હેઠળના લોકોને મકાનો અથવા રકમ ફાળવવામાં આવે છે.

2022-23ના બજેટમાં યોજનાનું બજેટ કેટલું હતું?

વર્ષ 2022માં રજૂ કરાયેલા બજેટમાં પ્રધાનમંત્રી આવાસ યોજના માટે 48,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી અને 2024 સુધીમાં બધાને પાકાં મકાનો આપવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે આ વખતે કેન્દ્રીય બજેટમાં પીએમ આવાસ યોજનાના બજેટમાં વધારો થઈ શકે છે. જો તમે પણ આ યોજના હેઠળ પાત્ર છો, તો તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો છો.

પીએમ આવાસ યોજનાનો લાભ લેવા શું કરવું?

જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હો, તો તમારે સત્તાવાર વેબસાઇટ પર જઈને અરજી કરવી પડશે. અરજી કર્યા બાદ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. આ સાથે અધિકારી દ્વારા તમારા ઘરની તપાસ કરવામાં આવશે. જો યોગ્ય જણાય તો આ યોજના હેઠળ લાભ આપવામાં આવશે. તમે પીએમ આવાસ યોજના માટે ગ્રામ વિકાસ અધિકારી અને ગ્રામ્ય વડાની મદદથી પણ અરજી કરી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Embed widget