શોધખોળ કરો

Currency : રૂ.2000ની નોટને પર ખેલેલો દાવ મોદી સરકારને કરી દેશે માલામાલ!!!

આ નિર્ણય ઈકોનોમી બુસ્ટનું કામ કરી શકે છે. આ મૂલ્યાંકન સોમવારે જાહેર કરાયેલા એક અહેવાલમાં રજૂ કરવામાં આવ્યું હતું.

Rererv Bank Of India : 2000 રૂપિયાની નોટોને ચલણમાંથી પાછી ખેંચી લેવાનો રિઝર્વ બેંકનો નિર્ણય વપરાશને પ્રોત્સાહન આપીને ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક વિકાસ દરને 6.5 ટકાથી આગળ લઈ જવા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. એટલે કે આ નિર્ણય ઈકોનોમી બુસ્ટનું કામ કરી શકે છે. આ મૂલ્યાંકન સોમવારે જાહેર કરાયેલા એક અહેવાલમાં રજૂ કરવામાં આવ્યું હતું. 

દેશની સૌથી મોટી ધિરાણકર્તા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના અર્થશાસ્ત્રીઓએ એક અહેવાલમાં જણાવ્યું છે કે, નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વાસ્તવિક જીડીપી વૃદ્ધિ 8.1 ટકા રહેશે. જેથી આરબીઆઈનો સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન 6.5 ટકા વૃદ્ધિનો અંદાજ પણ પાછળ છૂટી શકે છે.

શું કહે છે SBI રિપોર્ટ?

SBIના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની અસરને કારણે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં વૃદ્ધિ દર 8.1 ટકા રહેવાની અમને આશા છે. આ અમારા એ અંદાજની પુષ્ટિ કરે છે કે, નાણાકીય વર્ષ 2023-24માં જીડીપી વૃદ્ધિ આરબીઆઈના 6.5 ટકાના અંદાજ કરતાં વધુ હોઈ શકે છે. તેમાંથી 85 ટકા નોટો બેંકોમાં જમા કરાવવાના રૂપમાં આવી હતી, જ્યારે 15 ટકા નોટો બેંકના કાઉન્ટર પર અન્ય મૂલ્યોની નોટો માટે બદલાઈ હતી.

2000 રૂપિયાની નોટ

એસબીઆઈએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, કુલ રૂ. 3.08 લાખ કરોડ રૂ. 2,000ની નોટોના રૂપમાં સિસ્ટમમાં જમા તરીકે પરત આવશે. તેમાંથી લગભગ 92,000 કરોડ રૂપિયા બચત ખાતામાં જમા થશે જેમાંથી 60 ટકા એટલે કે લગભગ 55,000 કરોડ રૂપિયા ઉપાડ્યા પછી લોકો સુધી ખર્ચ માટે પહોંચશે. રિપોર્ટ અનુસાર, ખપતમાં ગુણક વધારાને કારણે લાંબા ગાળે આ કુલ વધારો 1.83 લાખ કરોડ રૂપિયા સુધીનો હોઈ શકે છે.

આરબીઆઈના અર્થશાસ્ત્રીઓનો શું છે અંદાજ? 

SBIના અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે, RBIના નોટો પાછી ખેંચવાના પગલાથી મંદિરો અને અન્ય ધાર્મિક સંસ્થાઓને દાનમાં પણ વધારો થવાની ધારણા છે. આ ઉપરાંત ટકાઉ કન્ઝ્યુમર ગુડ્સ અને બુટિક ફર્નિચરની ખરીદીને પણ વેગ મળશે.

નોટબંદી

ગત મહિને જ ભારતીય રિઝર્વ બેંકે રૂપિયા 2000ની નોટને ચલણમાંંથી પાછી ખેંચી લીધી હતી. આ બાબતે ખુલાસો કરતા આરબીઆઈ ગવર્નર કહ્યું હતું કે, મને સ્પષ્ટતા કરવા દો અને ફરીથી ભારપૂર્વક જણાવવા દો કે તે રિઝર્વ બેંકની ચલણ વ્યવસ્થાપન કામગીરીનો એક ભાગ છે... લાંબા સમયથી, રિઝર્વ બેંક સ્વચ્છ નોટ નીતિને અનુસરી રહી છે. સમય સમય પર આરબીઆઈ ચોક્કસ શ્રેણીની નોટો પાછી ખેંચી લે છે અને નવી નોટો બહાર પાડે છે. અમે 2000 રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચી રહ્યા છીએ પરંતુ તે લિગલ ટેન્ડર તરીકે ચાલુ રહશે.

ટોપ સ્ટોરી

રોજ માત્ર ₹172 બચાવો અને મેળવો પૂરા ₹28.5 લાખ: જાણો LIC ની આ શાનદાર પોલિસી વિશે
રોજ માત્ર ₹172 બચાવો અને મેળવો પૂરા ₹28.5 લાખ: જાણો LIC ની આ શાનદાર પોલિસી વિશે
સરકારી યોજનાનો મોટો ફાયદો: પોસ્ટ ઓફિસમાં સેવિંગ્સ કરીને આ રીતે બનાવો ₹16,00,000 નું ફંડ
સરકારી યોજનાનો મોટો ફાયદો: પોસ્ટ ઓફિસમાં સેવિંગ્સ કરીને આ રીતે બનાવો ₹16,00,000 નું ફંડ
8મું પગાર પંચઃ લેવલ 5 થી 8 ના કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે? સમજો સંપૂર્ણ ગણિત
8મું પગાર પંચઃ લેવલ 5 થી 8 ના કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે? સમજો સંપૂર્ણ ગણિત
LPG e-KYC: માત્ર 2 દિવસ બાકી! ઘરે બેઠા સ્માર્ટફોનથી પતાવો કામ, નહીંતર બંધ થઈ જશે કનેક્શન!
LPG e-KYC: માત્ર 2 દિવસ બાકી! ઘરે બેઠા સ્માર્ટફોનથી પતાવો કામ, નહીંતર બંધ થઈ જશે કનેક્શન!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Embed widget