EPFO: PF ખાતાધારકો માટે શરૂ કરવામાં આવી ઈ-પાસબુક સુવિધા, જાણો બેલેન્સ ચેક કરવાની સરળ પ્રક્રિયા
એમ્પ્લોઈ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ એમ્પ્લોઈ પ્રોવિડન્ટ ફંડ (EPF) ના વ્યાજ દરોમાં વધારો કર્યો છે, જેનાથી તેના કરોડો ખાતાધારકો માટે સારા સમાચાર છે.

EPF e-Passbook: શ્રમ મંત્રાલયે PF ખાતાધારકો માટે નવી સુવિધા શરૂ કરી છે. હવે પીએફ ખાતાધારકો ઘરે બેઠા ઈ-પાસબુક (E-EPF) દ્વારા તેમના ખાતાની માહિતી મેળવી શકશે. મંગળવારે આ ઈ-પાસબુકની જાહેરાત કરતા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે હવે પીએફ ખાતાધારકો તેમના ખાતાનો ગ્રાફિક્સ ડેટા સરળતાથી ચેક કરી શકશે. આ માટે તેમણે EPFOની શાખામાં જવું પડશે નહીં. નોંધનીય છે કે આ નિર્ણય બાદ પીએફ ખાતાધારકોને તેમના ખાતાની વિગતો ઘરે બેઠા મળી જશે. મંગળવારે EPFOએ પણ વ્યાજ દરોમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.
EPFOના વ્યાજદરમાં વધારો થયો છે
એમ્પ્લોઈ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ એમ્પ્લોઈ પ્રોવિડન્ટ ફંડ (EPF) ના વ્યાજ દરોમાં વધારો કર્યો છે, જેનાથી તેના કરોડો ખાતાધારકો માટે સારા સમાચાર છે. સરકારે આને 8.10 ટકાથી વધારીને 8.15 ટકા કર્યો છે. આ નિર્ણય બાદ દેશભરના 6 કરોડથી વધુ પીએફ ખાતાધારકોને તેનો લાભ મળશે. નોંધનીય છે કે વર્ષ 2021-22માં વ્યાજ દરો ઘટાડીને 8.1 ટકા કરવામાં આવ્યા હતા, જે છેલ્લા 40 વર્ષમાં સૌથી નીચા છે.
EPFOની ઈ-પાસબુક ચેક કરવાની સરળ પ્રક્રિયા
EPF ઈ-પાસબુક તપાસવા માટે, તમે epfindia.gov.in પર લોગિન કરો.
આ પછી તમે તમારો UAN નંબર, પાસવર્ડ અને કેપ્ચા નાખો.
આ પછી ઈ-પાસબુક પર ક્લિક કરો.
આ પછી તમારે માંગેલી બાકીની માહિતી દાખલ કરવી પડશે અને તમારી સામે એક નવું પેજ ખુલશે.
આ પછી તમારું મેમ્બર આઈડી ખોલો.
આ પછી, તમે થોડીવારમાં તમારા EPF એકાઉન્ટનું બેલેન્સ ચેક કરી શકશો.
જાન્યુઆરીમાં EPFOમાં કુલ 14.86 સબ્સ્ક્રાઇબર્સ ઉમેરાયા
EPFO દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, જાન્યુઆરી 2023માં તેમાં કુલ 14.86 લાખ સબસ્ક્રાઈબર્સ જોડાયા હતા. આ સાથે, ગઈકાલની સીબીટી બેઠકમાં, શ્રમ પ્રધાન ભૂપેન્દ્ર યાદવે કુલ 63 પ્રાદેશિક કચેરીઓમાં ક્રેચની સુવિધાનું પણ અનાવરણ કર્યું છે. આ સુવિધા એ જગ્યાઓ પર શરૂ કરવામાં આવી છે જ્યાં 100 થી વધુ કર્મચારીઓ છે. આ સાથે મંત્રીએ યુપીના પ્રયાગરાજમાં ઓફિસ બિલ્ડિંગનો શિલાન્યાસ પણ કર્યો છે.
ટ્રસ્ટી મંડળે EPFOના ભૌતિક માળખાને વધારવા માટે પાંચ વર્ષની યોજનાને મંજૂરી આપી હતી. જેમાં રૂ. 2,200 કરોડના ખર્ચે જમીન ખરીદી, મકાન બાંધકામ અને વિશેષ સમારકામનો સમાવેશ થાય છે. નિવેદન મુજબ, બોર્ડને ઉચ્ચ પગાર પર પેન્શન અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું પાલન કરવા માટે લેવામાં આવેલા પગલાં વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
