શોધખોળ કરો

નોકરીયાતો માટે મોટા સમાચાર: EPFOના નવા નિયમથી હવે કારણ વિના ઉપાડી શકાશે 100% PF ફંડ

epfo new rules pf withdrawal 2026: જુના નિયમોમાં ક્લેમ રિજેક્ટ થવાની મોટી સમસ્યા હતી, હવે 75% થી 100% ઉપાડના નિયમોમાં ઐતિહાસિક ફેરફાર.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • EPFO એ PF ઉપાડના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે.
  • ખાસ સંજોગોમાં હવે કારણ વગર 100% PF ઉપાડી શકાશે.
  • અગાઉ, કારણો રજૂ ન થતાં ક્લેમ રિજેક્ટ થતા હતા.
  • આ નવા નિયમથી પ્રક્રિયા ઝડપી અને પારદર્શક બનશે.

epfo new rules pf withdrawal 2026: નોકરીયાત વર્ગ માટે એક ખૂબ જ રાહતના સમાચાર આવ્યા છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ PF (પ્રોવિડન્ટ ફંડ) ઉપાડવાના નિયમોમાં ઐતિહાસિક અને મોટો ફેરફાર કર્યો છે. નવા નિયમ મુજબ, હવે ખાતાધારકો અમુક "ખાસ સંજોગોમાં" કોઈપણ જાતનું કારણ આપ્યા વિના પોતાનું 100% PF ફંડ ઉપાડી શકશે. અગાઉ કારણ યોગ્ય ન હોવાથી PF ક્લેમ રિજેક્ટ થવાની જે મોટી સમસ્યા હતી, તે હવે આ નવા નિર્ણયથી દૂર થઈ જશે. આ ફેરફારનો મુખ્ય હેતુ સબ્સ્ક્રાઇબર્સને તેમની મુશ્કેલીના સમયે સરળતાથી પૈસા મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે.

જૂના નિયમોમાં શું તકલીફ હતી?

પહેલાના સિસ્ટમમાં એવું હતું કે જો તમારે પૂરું ફંડ ઉપાડવું હોય તો લાંબા સમય સુધી બેરોજગારી, કંપનીમાં તાળાબંધી, રોગચાળો કે કોઈ કુદરતી આપત્તિ જેવા ચોક્કસ કારણો આપવા પડતા. વળી, તેને સાબિત કરતા ડોક્યુમેન્ટ્સ પણ જમા કરાવવા પડતા હતા. ઘણીવાર ખાતાધારકે આપેલું કારણ EPFO ના માન્ય લિસ્ટ સાથે મેચ ન થતું, પરિણામે ક્લેમ રિજેક્ટ થઈ જતો. લોકોના પોતાના જ પૈસા પાછા મેળવવા માટે ઓફિસોના ધક્કા ખાવા પડતા અને પારાવાર હાલાકી ભોગવવી પડતી હતી.

નવો નિયમ: હવે કારણ આપવાની કોઈ જ ઝંઝટ નહીં

તાજેતરના સત્તાવાર નોટિફિકેશન મુજબ, સરકારે હવે 'ખાસ સંજોગો' (Special Circumstances) કેટેગરીમાં 100% રકમ ઉપાડવા માટે કારણ આપવાની શરત જ કાઢી નાખી છે. એટલે કે, હવે યોગ્ય સભ્ય કોઈપણ કારણ દર્શાવ્યા વિના સીધી જ અરજી કરી શકશે. આનાથી ક્લેમ પાસ થવામાં થતો વિલંબ ઘટશે અને પ્રક્રિયા એકદમ ફાસ્ટ અને પારદર્શક બની જશે.

આ પણ વાંચોઃ EPF ખાતામાં નોમિની બદલવું હવે સાવ સરળ: મિનિટોમાં ઘરે બેઠા આ રીતે કરો ઓનલાઈન અપડેટ

કયા 'ખાસ સંજોગો'માં 100% ફંડ ઉપાડી શકાય?

ભલે કારણ આપવાની જરૂર નથી, પણ 100% ઉપાડ હજુ પણ અમુક ચોક્કસ અને ગંભીર પરિસ્થિતિઓમાં જ માન્ય ગણાય છે:

કંપની બંધ થઈ ગઈ હોય: જો કંપની 15 દિવસથી વધુ સમય માટે બંધ હોય અને પગાર કે વળતર ન મળ્યું હોય, અથવા 2 મહિનાથી વધુ સમયથી પગાર જ ન થયો હોય.

લાંબી બેરોજગારી: જો સંસ્થા 6 મહિનાથી વધુ સમયથી બંધ હોય અને કર્મચારી સતત 6 મહિનાથી બેરોજગાર હોય.

કાનૂની વિવાદ: કર્મચારીને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો હોય અને તેણે કોર્ટમાં કાનૂની લડત ચાલુ કરી હોય.

ગંભીર બીમારી: કર્મચારી કે તેના પરિવારના સભ્યની ગંભીર તબીબી સારવાર માટે (આમાં ડૉક્ટર અને કંપનીનું સર્ટિફિકેટ જરૂરી બની શકે છે).

આ પણ વાંચોઃ EPFO અપડેટ: PF ખાતામાં 8.25% વ્યાજ ક્યારે જમા થશે? ઉપાડના નવા નિયમો વિશે પણ જાણો

સામાન્ય સંજોગોમાં પૈસા ઉપાડવાના નિયમો શું છે?

આ નવા નિયમનો મતલબ એવો બિલકુલ નથી કે કોઈ પણ વ્યક્તિ મન ફાવે ત્યારે 100% રકમ ઉપાડી શકે. નિવૃત્તિ પહેલા સામાન્ય દિવસોમાં પૂરા પૈસા ઉપાડવાની મનાઈ છે.

75% ની લિમિટ: સામાન્ય સંજોગોમાં એટલે કે નોકરી બદલતી વખતે કે અચાનક નાણાકીય જરૂર પડે ત્યારે તમે તમારા જમા ફંડમાંથી વધુમાં વધુ 75% રકમ ઉપાડી શકો છો.

કોઈ કાગળિયા નહીં: EPFO ની ગાઈડલાઈન મુજબ, આ 75% રકમ ઉપાડવા માટે તમારે કોઈ લાંબા કાગળિયા કે વધારાના ડોક્યુમેન્ટ્સ આપવાની જરૂર રહેતી નથી.

ટૂંકમાં કહીએ તો, તમારી નિવૃત્તિ માટે 100% ફંડ સચવાયેલું રહે તેવો સરકારનો મૂળ હેતુ છે, પરંતુ જ્યારે ખરેખર કોઈ મોટી મુશ્કેલી આવે, ત્યારે PF ખાતાધારકોને પોતાના જ પૈસા માટે હેરાન ન થવું પડે તે માટે આ ઐતિહાસિક અને આવકારદાયક પગલું ભરવામાં આવ્યું છે.

Frequently Asked Questions

પીએફ ઉપાડના નિયમોમાં EPFO ​​દ્વારા કયો મુખ્ય ફેરફાર કરવામાં આવ્યો છે?

નવા નિયમ મુજબ, ખાસ સંજોગોમાં હવે ખાતાધારકો કોઈપણ કારણ દર્શાવ્યા વિના તેમનું 100% PF ફંડ ઉપાડી શકશે. આનાથી મુશ્કેલીના સમયે સરળતાથી પૈસા મળી રહેશે.

શું હવે 100% પીએફ ઉપાડવા માટે કારણ આપવું ફરજિયાત છે?

ના, તાજેતરના નોટિફિકેશન મુજબ, 'ખાસ સંજોગો' કેટેગરીમાં 100% રકમ ઉપાડવા માટે કારણ આપવાની શરત દૂર કરવામાં આવી છે. આનાથી પ્રક્રિયા ઝડપી અને પારદર્શક બનશે.

કયા 'ખાસ સંજોગો'માં 100% પીએફ ફંડ ઉપાડી શકાય છે?

કંપની બંધ થઈ હોય, લાંબા સમયથી બેરોજગારી હોય, કાનૂની વિવાદ હોય અથવા ગંભીર બીમારી હોય તેવા સંજોગોમાં 100% ફંડ ઉપાડી શકાય છે.

સામાન્ય સંજોગોમાં પીએફ કેટલું ઉપાડી શકાય છે?

નોકરી બદલતી વખતે કે અચાનક નાણાકીય જરૂરિયાત વખતે, તમે તમારા જમા ફંડમાંથી વધુમાં વધુ 75% રકમ ઉપાડી શકો છો. આ માટે કોઈ વધારાના દસ્તાવેજોની જરૂર નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gold- Silver Price Today: સોના-ચાંદીની ચમક ઘટી, કિંમતમાં થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold- Silver Price Today: સોના-ચાંદીની ચમક ઘટી, કિંમતમાં થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Driving License Rules: હવે સરળતાથી રિન્યૂ નહીં થાય ડ્રાઈવિંગ લાઈસન્સ, સરકાર લાવી રહી છે નવો નિયમ
Driving License Rules: હવે સરળતાથી રિન્યૂ નહીં થાય ડ્રાઈવિંગ લાઈસન્સ, સરકાર લાવી રહી છે નવો નિયમ
Share Market Openig Today: ખૂલતાં જ શેરબજાર ધડામ, સેંસેક્સમાં 300 પોઇન્ટથી વધુનો કડાકો, નિફ્ટી 139 પોઇન્ટ ડાઉન
Share Market Openig Today: ખૂલતાં જ શેરબજાર ધડામ, સેંસેક્સમાં 300 પોઇન્ટથી વધુનો કડાકો, નિફ્ટી 139 પોઇન્ટ ડાઉન
8th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓને લાગી શકે છે લૉટરી! આ 4 માંગથી પગારમાં 65 ટકાનો વધારો સંભવ
8th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓને લાગી શકે છે લૉટરી! આ 4 માંગથી પગારમાં 65 ટકાનો વધારો સંભવ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની આગાહી: આજથી આ જિલ્લામાં ઘટશે વરસાદ, 13-14 જુલાઈએ ફરી આ વિસ્તારમાં વરસશે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: આજથી આ જિલ્લામાં ઘટશે વરસાદ, 13-14 જુલાઈએ ફરી આ વિસ્તારમાં વરસશે વરસાદ
સુરતમાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 3,400થી વધુ લોકોનું રેસ્ક્યૂ; બે દિવસમાં 9નાં મોત
સુરતમાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 3,400થી વધુ લોકોનું રેસ્ક્યૂ; બે દિવસમાં 9નાં મોત
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ સેવાને અસર, અનેક ટ્રેનો કરાઈ રદ, જુઓ યાદી 
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ સેવાને અસર, અનેક ટ્રેનો કરાઈ રદ, જુઓ યાદી 
Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ
Gujarat rain live updates: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ, પલસાણામાં 18.19 ઈંચ વરસાદ ખાબક્યો
Gujarat rain live updates: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ, પલસાણામાં 18.19 ઈંચ વરસાદ ખાબક્યો
Schools Closed: સુરત, નવસારી, વલસાડ જિલ્લાના શાળા-કોલેજો આજે બંધ, હજુ પણ વરસાદનું રેડ એલર્ટ
Schools Closed: સુરત, નવસારી, વલસાડ જિલ્લાના શાળા-કોલેજો આજે બંધ, હજુ પણ વરસાદનું રેડ એલર્ટ
Gold- Silver Price Today: સોના-ચાંદીની ચમક ઘટી, કિંમતમાં થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold- Silver Price Today: સોના-ચાંદીની ચમક ઘટી, કિંમતમાં થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
17-18 કલાક બાદ પણ સુરત જળમગ્ન: ખાડીઓ ઓવરફ્લો, ટ્રેન-ફ્લાઈટ સેવા પ્રભાવિત, 125થી વધુ લોકોનું રેસ્ક્યૂ
17-18 કલાક બાદ પણ સુરત જળમગ્ન: ખાડીઓ ઓવરફ્લો, ટ્રેન-ફ્લાઈટ સેવા પ્રભાવિત, 125થી વધુ લોકોનું રેસ્ક્યૂ
Embed widget