શોધખોળ કરો

Go First: ડીજીસીએનો ગો ફર્સ્ટને આદેશ, તાત્કાલિક બંધ કરો ટિકિટ બુકિંગ

Go First News: GoFirstને આ નોટિસ મળ્યાના 15 દિવસની અંદર નોટિસનો જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.

Go First:  નાગરિક ઉડ્ડયન ક્ષેત્રના નિયમનકાર, DGCA એ GoFirstને પ્રત્યક્ષ અથવા પરોક્ષ પદ્ધતિઓ દ્વારા એર ટિકિટ બુક કરવાનું તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો છે. ઉપરાંત, DGCA એ એરક્રાફ્ટ નિયમો 1937 હેઠળ સલામત, નિયમિત અને વિશ્વસનીય રીતે ઉડાન ભરવામાં નિષ્ફળતા માટે નોટિસ જારી કરી છે. DGCAએ GoFirstને 15 દિવસમાં નોટિસનો જવાબ આપવા માટે કહ્યું છે.

ફ્લાઇટ રદ કરવાના GoFirstના અચાનક નિર્ણયને પગલે DGCA એ GoFirstને એરપ્રોફ્ટ નિયમો 1937 હેઠળ કારણ બતાવો નોટિસ જારી કરી છે અને IBC હેઠળ પોતાને નાદાર જાહેર કરવા માટે NCLTને અરજી કરી છે. DGCA માને છે કે એરલાઇન્સ વિશ્વસનીય સેવા પ્રદાતા તરીકે તેમની ભૂમિકા નિભાવવામાં નિષ્ફળ રહી છે.

GoFirstને આ નોટિસ મળ્યાના 15 દિવસની અંદર નોટિસનો જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. GoFirst ના એર ઓપરેટર્સ સર્ટિફિકેટ ચાલુ રાખવાનો નિર્ણય એરલાઇન્સના પ્રતિભાવના આધારે લેવામાં આવશે. આવી સ્થિતિમાં DGCAએ GoFirstને આગામી આદેશો સુધી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એર ટિકિટ બુક કરવાનું બંધ કરવા જણાવ્યું છે.

વધુ એક એરલાઈન્સના પાટીયા પડવાની તૈયારી!!!

વાડિયા ગ્રુપની ગો ફર્સ્ટ એરલાઈન્સ નાદારી નોંધાવવાના આરે છે. હજી આ મામલે એવિએશન ઈન્ડસ્ટ્રીમાં કળ નથી વળી ત્યાં દેશની વધુ એક એરલાઈન્સે ચિંતા વધારી છે. દેશની અન્ય એરલાઈન સામે નાદારી પ્રક્રિયાની સુનાવણી થવા જઈ રહી છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) એરલાઇન સ્પાઇસજેટના ધિરાણકર્તા દ્વારા દાખલ કરવામાં આવેલી નાદારીની અરજી પર આવતા અઠવાડિયે સુનાવણી કરશે. સ્પાઈસ જેટ સામેની નાદારી અરજીની સુનાવણી 8મી મેના રોજ NCLTમાં થશે. લો કોસ્ટ એરલાઈન સેવા આપનારી સ્પાઇસજેટને ધિરાણ આપનાર કંપની એરક્રાફ્ટ લેસર એરકેસલ (આયર્લેન્ડ) લિમિટેડે નાદારી ઉકેલ પ્રક્રિયા શરૂ કરવા માટે NCLT સમક્ષ અરજી દાખલ કરી છે. આ અરજી 28 એપ્રિલે દાખલ કરવામાં આવી હતી. NCLTની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, ટ્રિબ્યુનલની મુખ્ય બેન્ચ આ અરજી પર 8મી મેના રોજ સુનાવણી કરશે. નાદારી નોંધાવવા પર સ્પાઇસજેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ ઘટનાક્રમની એરલાઇનની કામગીરી પર કોઈ અસર થશે નહીં. એક નિવેદનમાં પ્રવક્તાએ આશા વ્યક્ત કરી કે, આ મુદ્દો કોર્ટની બહાર ઉકેલાઈ જશે. આ સાથે તેમણે કહ્યું હતું કે, હાલમાં આ ધિરાણકર્તાનું કોઈ વિમાન એરલાઈનના કાફલામાં સામેલ નથી. પ્રવક્તાએ કહ્યું હતું કે, આ એરક્રાફ્ટ લીઝિંગ ફર્મના તમામ એરક્રાફ્ટ પહેલાથી જ પરત કરી દેવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
Senior Citizen Scheme: પોસ્ટ ઓફિસની આ યોજના આપશે દર મહિને ₹9,250 સુધી વ્યાજ
Senior Citizen Scheme: પોસ્ટ ઓફિસની આ યોજના આપશે દર મહિને ₹9,250 સુધી વ્યાજ
SBI FD Rates: 1 વર્ષની FD પર કેટલું વ્યાજ મળશે? જાણો સિનિયર સિટીઝન્સને કેટલો થઈ રહ્યો છે ફાયદો
SBI FD Rates: 1 વર્ષની FD પર કેટલું વ્યાજ મળશે? જાણો સિનિયર સિટીઝન્સને કેટલો થઈ રહ્યો છે ફાયદો
PM Matritva Vandana Yojana: શું છે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, કઈ મહિલાઓને મળે છે આનો લાભ
PM Matritva Vandana Yojana: શું છે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, કઈ મહિલાઓને મળે છે આનો લાભ

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
Embed widget