શોધખોળ કરો

Hindenburg Research Live Updates: હિંડનબર્ગના રિપોર્ટ પર ભાજપનો પ્રહાર, રવિશંકર પ્રસાદે કહ્યુ- 'આર્થિક અરાજકતા લાવવાનો પ્રયાસ'

જો કે, ફરી એકવાર અમેરિકન શોર્ટ સેલિંગ કંપની હિંડનબર્ગ રિસર્ચે ઘણા નવા મહત્વના સવાલો ઉઠાવ્યા હતા.

LIVE

Key Events
Hindenburg Research Live Updates: હિંડનબર્ગના રિપોર્ટ પર ભાજપનો પ્રહાર, રવિશંકર પ્રસાદે કહ્યુ- 'આર્થિક અરાજકતા લાવવાનો પ્રયાસ'

Background

Hindenburg Research Live Updates:  હિંડનબર્ગ રિસર્ચે તાજેતરના રિપોર્ટમાં સેબીના વડા માધબી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચ પર કથિત અદાણી કૌભાંડ સાથે સંકળાયેલા હોવાનો આરોપ મૂક્યો હતો. આ અંગે દંપત્તિ અને અદાણી ગ્રુપે સ્પષ્ટતા આપી હતી. જો કે, ફરી એકવાર અમેરિકન શોર્ટ સેલિંગ કંપની હિંડનબર્ગ રિસર્ચે ઘણા નવા મહત્વના સવાલો ઉઠાવ્યા હતા.

હિંડનબર્ગે આરોપ લગાવ્યો હતો કે સેબીએ જાન્યુઆરી 2023માં અદાણી ગ્રુપ પર કરેલા ખુલાસા પર હજુ સુધી કોઈ પગલાં લીધાં નથી. તેમનો આરોપ છે કે આ તપાસ માત્ર એટલા માટે કરવામાં આવી નથી કારણ કે સેબીના વડા અને અદાણી જૂથના હિત એકબીજા સાથે જોડાયેલા હતા.

14:14 PM (IST)  •  12 Aug 2024

દેશમાં અરાજકતા અને અસ્થિરતા લાવવાનું ષડયંત્ર રચ્યું છે

હિંડનબર્ગ રિસર્ચના તાજેતરના રિપોર્ટ પર બીજેપી સાંસદ રવિશંકર પ્રસાદે કહ્યું કે કોંગ્રેસ, તેના સાથી પક્ષો અને ટૂલકિટ ગેંગે સાથે મળીને દેશમાં અરાજકતા અને અસ્થિરતા લાવવાનું ષડયંત્ર રચ્યું છે. તેમણે કહ્યું કે હિંડનબર્ગ રિપોર્ટ શનિવારે જાહેર થાય છે અને રવિવારે હોબાળો થાય છે. તેથી સોમવારે મૂડીબજારમાં અસ્થિરતા આવે છે. તેમણે કહ્યું કે ભારત શેરબજાર મામલે સુરક્ષિત, સ્થિર અને આશાસ્પદ બજાર છે. બજારને સરળ રીતે ચલાવવાની કાનૂની જવાબદારી સેબીની છે. જ્યારે સેબીએ તેની તપાસ પૂર્ણ કર્યા પછી જૂલાઈમાં હિંડનબર્ગને નોટિસ જાહેર કરી ત્યારે તેણે પોતાના બચાવમાં કોઈ જવાબ આપ્યા વિના આ હુમલો કર્યો, જે પાયાવિહોણો આક્ષેપો છે. સેબીએ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ હાથ ધરી હતી.

14:11 PM (IST)  •  12 Aug 2024

પવન ખેરાએ કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન ?

કોંગ્રેસના નેતા પવન ખેડાએ હિંડનબર્ગના રિપોર્ટ પર કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યો હતો કે હિંડનબર્ગ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર સેબી, વડાપ્રધાન અને નિર્મલા સીતારમણ ક્યારે જવાબ આપશે? અમે તે તારીખની રાહ જોઈ રહ્યા છીએ. શું તેમણે એ વાતનો જવાબ આપ્યો કે સેબીના ચેરમેન બન્યા પછી પણ તેમણે તેમના ઈમેલ આઈડી પરથી પૈસા માટે મેઈલ મોકલ્યા હતા? સેબીના ચેરમેન બનતા પહેલા, શું તેમણે વિદેશી કંપનીઓમાં તેમના રોકાણનો ખુલાસો કર્યો હતો? શું ભારત સરકારને શંકા હતી કે તેમની કંપનીઓએ ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણીની વિદેશી કંપનીઓમાં રોકાણ કર્યું છે? જો તેમની પાસે આવી માહિતી હતી તો પછી તેમને સેબીના ચેરમેન કેમ બનાવવામાં આવ્યા? જો તેમની પાસે માહિતી ન હતી તો પછી તેઓ સત્તામાં શું કરી રહ્યા છે? જો તેમને આ ખબર ન હોય તો તેમણે રાજીનામું આપવું જોઈએ.

14:07 PM (IST)  •  12 Aug 2024

હિંડનબર્ગ મામલે કોંગ્રેસ નેતા કે.સી. વેણુગોપાલે શું કહ્યુ?

14:06 PM (IST)  •  12 Aug 2024

હિંડનબર્ગ મામલે ભાજપ સાંસદ ગિરિરાજ સિંહે શું કહ્યું

હિંડનબર્ગનો નવો રિપોર્ટ સામે આવ્યા બાદ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. હવે કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ગિરિરાજ સિંહે રાહુલ ગાંધી પર જોરદાર હુમલો કર્યો છે. તેમણે રાહુલ ગાંધીને દેશનો દુશ્મન પણ ગણાવ્યો હતો.

પત્રકારો સાથે વાત કરતા ગિરિરાજ સિંહે કહ્યું હતું કે "રાહુલ ગાંધી શરૂઆતથી જ અફવાઓ ફેલાવતા આવ્યા છે. તેઓ દેશના દુશ્મન છે, દેશનો કોઈ પણ દુશ્મન જ અફવા ફેલાવે છે. ક્યારેક તેઓ વિદેશમાં જઈને તેમને વિદેશમાં ફેલાવે છે, હવે તે દેશની અંદર ફેલાવી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે રાહુલ ગાંધી અને જયરામ રમેશ દેશને બદનામ કરી રહ્યા છે. હિંડનબર્ગ સામે કડક પગલાં લેવા જોઈએ. કેટલાક લોકો દેશને બદનામ કરી રહ્યા છે. કેટલાક લોકો દેશદ્રોહી તરીકે કામ કરી રહ્યા છે.

14:03 PM (IST)  •  12 Aug 2024

‘કેટલાક લોકો દેશને બદનામ કરવાનું કામ કરે છે’

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને દેશના કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે હિંડનબર્ગના રિપોર્ટ પર કહ્યું હતું કે ભારતમાં વિકાસ ઝડપથી થઈ રહ્યો છે. ઘણા લોકો વિચારે છે કે મોદીજીના નેતૃત્વમાં દેશ આટલી પ્રગતિ કેવી રીતે કરી રહ્યો છે? એટલા માટે ઘણી વખત કેટલાક લોકો દેશને બદનામ કરવા માટે આવી વસ્તુઓ લાવે છે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાનSurat News: સુરત જિલ્લામાં બુટલેગરનો આતંક, ગભેણી ગામે પોલીસકર્મી સાથે હાથાપાઈ, Video ViralIPL 2025 schedule: IPLની 18મી સીઝનનું શિડ્યૂલ જાહેર, RCB અને KKR વચ્ચે 22 માર્ચે ઓપનિંગ મેચSthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, જાણો સરેરાશ કેટલા ટકા થયું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં  ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.