શોધખોળ કરો

લોકડાઉનમાં મોરેટોરીયમનો લાભ નહીં લીધો હોય તેને પણ મોદી સરકાર કેટલું કેશબેક આપશે ? જાણો મહત્વની વિગત

સરકારે બે કરોડ સુધીની લોન પર મોરેટોરિયમ દરમિયાન વ્યાજના વ્યાજ પર છૂટ આપવાની જાહેરાત કરી છે.

નવી દિલ્હીઃ લોનદારોક માટે સારા સમાચાર સામે આવ્યા છે. લોનધારકોએ હવે વ્યાજ પર વ્યાજ નહીં ભરવું પડે. નાણા મંત્રાલયે શુક્રવારે કહ્યું કે, જો કોઈ લોનધારકે લોન મોરેટોરિયમ દરમિયાન સતત બેંકના હપ્તા ભર્યા હશે તો તેને બેંક કેશબેક પણ આપશે. સરકારે બે કરોડ સુધીની લોન પર મોરેટોરિયમ દરમિયાન વ્યાજના વ્યાજ પર છૂટ આપવાની જાહેરાત કરી હતી. એનો મતલબ એ કે, જો તમે લોકડાઉન દરમિયાન મોરેટોરિયમનો લાભ નહીં ઉઠાવ્યો હોય અને દરેક હપ્તો ચુકવ્યો હશે તો બેંક તરફથી તમને કેશબેક મળશે. યોજનાનો લાભ ન ઉઠાવનાર અને સમયસર હપ્તા ચુકવનારને સરકાર અન્યાય નહીં થવા દે. નાણાં મંત્રાલયે લોન મોરટોરિયમ સંબંધિત વ્યાજમાંથી મુક્તિ આપવા માર્ગદર્શિકા જાહેર કરી છે. કોવિડ -19  કટોકટીને લીધે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) દ્વારા લોનની ચુકવણી માટે સમય આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ અંતર્ગત, સરકાર રૂ. બે કરોડ સુધીની લોન પર છ મહિનાના સમયગાળા માટે સંચિત વ્યાજ, એટલે કે વ્યાજ પરના વ્યાજ અને સરળ વ્યાજ વચ્ચેના તફાવતની સમાન રકમ ચૂકવશે. ભારતીય સુપ્રીમ કોર્ટે આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી મુદત અંતર્ગત 2 કરોડ રૂપિયા સુધીની લોન પર વ્યાજ માફી યોજના વહેલી તકે લાગુ કરવા કેન્દ્રને નિર્દેશ આપ્યો હતો. તે પછી આ માર્ગદર્શિકા આવી છે.
હાઉસિંગ લોન, ઓટો લોન, એમએસએમઇ લોન, ક્રેડિટ કાર્ડ બિલ, એજ્યુકેશન લોન, કન્ઝ્યુમર ડ્યુરેબલ લોન, પર્સનલ લોન અને કન્ઝમ્પશન લોન લીધેલી હશે અને લોકડાઉનમાં ઈએમઆઈ સમયસર ભર્યા હશે તેમને આ લાભ મળશે. જે મુજબ એક વર્ષ પહેલા 50 લાખની લોન લીધી હોય તો આશરે 3723 રૂપિયા કેશબેક, દોઢ વર્ષ પહેલા 10 લાખની ઓટો લોન લીધી હોય તો 917 રૂપિયા, દોઢ વર્ષ પહેલા 5 લાખની પસર્નલ લોન પર આ 710 રૂપિયા જેટલું કેશબેક મળી શકે છે. નાણાકીય સેવાઓ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા માર્ગદર્શિકા અનુસાર, ઋણ લેનાર સંબંધિત લોન ખાતા પર યોજનાનો લાભ મેળવી શકે છે. આ લાભ 1 માર્ચ, 2020 થી 31 ઓગસ્ટ, 2020 ના સમયગાળા માટે છે. આ પ્રમાણે 29 ફેબ્રુઆરી સુધીના કુલ ઋણ 2 કરોડથી વધુ નહીં હોય તેવા લોન લેનારાઓ આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર બનશે. આ યોજના અંતર્ગત હાઉસિંગ લોન, એજ્યુકેશન લોન, ક્રેડિટ કાર્ડના લેણાં, ઓટો લોન, એમએસએમઇ (માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો) માટેની લોન અને વપરાશ માટેની લોન કેંદ્ર સરકારે શુક્રવારે લોન મોરેટોરિયમ દરમિયાન વ્યાજ પર વ્યાજને લઈને પોતાના નિર્ણયની જાણકારી આપી છે. લોન મોરેટોરિયમને 1 માર્ચથી 31 ઑગસ્ટ સુધી લાગૂ કરાયું હતું. આ દરમિયાન લેણદારોને EMI ચુકવવામાંથી રાહત અપાઈ હતી. જો કે, બાદમાં આ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો અને સરકારે કહ્યું- લોનધારકોએ વ્યાજ પર વ્યાજ નહીં ભરવું પડે. સરકારના આ નિર્ણયથી સરકારી તિજોરી પર આશરે 7 હજાર કરોડનો બોજો આવશે. સરકાર બે કરોડ સુધીની લોન પર વ્યાજનું વ્યાજ માફ કર્યું હતું. આ અંગે સરકારે સુપ્રીમ કોર્ટમાં પણ સોગંદનામું પણ દાખલ કર્યું હતું. અને આ અંગે સુપ્રીમ કોર્ટે લોકોની દિવાળી સુધારવી કે બગાડવી તેનો નિર્ણય કેંદ્ર સરકાર પર છોડ્યો હતો. જો કે, હવે કેંદ્ર સરકારના આ નિર્ણયથી લોકોની દિવાળી સુધરી જશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Live Updates: PM મોદીએ ટીમ ઇન્ડિયા સાથે કરી મુલાકાત, ખેલાડીઓએ વ્યક્ત કર્યા અનુભવો
Team India Live Updates: PM મોદીએ ટીમ ઇન્ડિયા સાથે કરી મુલાકાત, ખેલાડીઓએ વ્યક્ત કર્યા અનુભવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Live Updates: PM મોદીએ ટીમ ઇન્ડિયા સાથે કરી મુલાકાત, ખેલાડીઓએ વ્યક્ત કર્યા અનુભવો
Team India Live Updates: PM મોદીએ ટીમ ઇન્ડિયા સાથે કરી મુલાકાત, ખેલાડીઓએ વ્યક્ત કર્યા અનુભવો
Hair Fall: ચોમાસામાં વધી જાય છે વાળ ખરવાની સમસ્યા, તેને રોકવા માટે અપનાવો આ ટિપ્સ
Hair Fall: ચોમાસામાં વધી જાય છે વાળ ખરવાની સમસ્યા, તેને રોકવા માટે અપનાવો આ ટિપ્સ
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Embed widget