શોધખોળ કરો

શું 2000 રૂપિયાની નોટ બંધ કરીને 1000ની નોટની એન્ટ્રી થશે? સરકારે આપ્યો આ જવાબ

આ મામલે હાલમાં ચાલી રહેલ સંસદ સત્રમાં સરકારે પણ સ્પષ્ટતા કરી છે.

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર હાલમાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, નોટબંધી બાદ આવેલ 2000ની નોટ પણ હવે બંધ થવા જઈ રહી છે. દાવો છે કે બજારમાં સરકાર તરફથી 1000ની નોટ લાવવાની તૈયારી થઈ રહી છે. આ દાવામાં સોશિયલ મીડિયા પર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે આ વાઇરલ મેસેજ અફવા છે. એસબીઆઈ અને અન્ય બેંકો સ્પષ્ટતા કરી ચૂકી છે કે બજારમાં રહેલ 2000ની નોટ બંધ નથી થઈ રહી. થોડા સમય પહેલા આરટીઆઈના જવાબમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પણ કહ્યું હતું કે, બે હજાર રૂપિયાની નોટનું છાપકામ બંધ કરવામાં આવ્યું છે, પરંતુ બજારમાં રહેલ 2000ની નોટ પરત નહીં લેવામાં આવે. આ મામલે હાલમાં ચાલી રહેલ સંસદ સત્રમાં સરકારે પણ સ્પષ્ટતા કરી છે કે, 2000 રૂપિયાની નોટ બંધ કરવાની સરકારની કોઈ યોજના નથી. નાણાકીય અને કોર્પોરેટ મામલાના રાજ્યમંત્રી અનુરાગ સિંહ ઠાકુરે મંગળવારે રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, સરકારની હાલમાં 2000 રૂપિયાની નોટ બંધ કરવાની કોઈ યોજના નથી. ઉલ્લેખનીય છે કે, તેમને પુછવામાં આવ્યું હતું કે, શું સરકાર તબક્કાવાર રીતે 2000 રૂપિયાની નોટ બંધ કરવા જઈ રહી છે, અનુરાગ ઠાકુરે આ મુદ્દે જવાબ આપ્યો. તમને જણાવી દઈએ કે, મોદી સરકારે 8 નવેમ્બર 2016ને નોટબંધીનો નિર્ણય કરતા 500 રૂપિયા અને 1000 રૂપિયાની જુની નોટોને ચલણમાંથી બહાર કરી દીધી હતી. જ્યારે 500 અને 2000 રૂપિયાની નોટો નવી જાહેર કરવાનો નિર્ણય કર્યો હતો. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાના વાર્ષિક રીપોર્ટના આધાર પર મંત્રીએ કહ્યું કે, 31 માર્ચ 2019 સુધી 2000 રૂપિયાની નોટોનું સર્ક્યુલેશન 31.18 ટકા છે. કુલ નોટોનું સર્ક્યુલેશન વેલ્યુ 21,109 અબજ રૂપિયા છે. અને તેમાં 2000 રૂપિયાની નોટોના ચલણની વેલ્યુ 6582 અબજ રૂપિયા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું મુંબઇમાં ગ્રાન્ડ વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું મુંબઇમાં ગ્રાન્ડ વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Embed widget