શોધખોળ કરો

Ration Card Update: આ રાજ્યમાં રાશનકાર્ડ ધારકો માટે e-KYC સમય મર્યાદા ફરી વધી! હવે આ તારીખ સુધી કરી શકશો

ભારત સરકાર તેના નાગરિકોને આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે જેનો હેતુ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને જરૂરી સહાય પૂરી પાડવાનો છે.

ભારત સરકાર તેના નાગરિકોને આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે જેનો હેતુ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને જરૂરી સહાય પૂરી પાડવાનો છે. મોટી યોજનાઓમાંની એક રાશન કાર્ડ સિસ્ટમ છે જેના દ્વારા કરોડો લોકો ખાદ્ય સુરક્ષાનો લાભ લઈ રહ્યા છે. આ પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે સરકારે e-KYCની સુવિધા શરૂ કરી છે. ખાસ વાત એ છે કે ઉત્તરપ્રદેશ સરકારે રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસી કરાવવાની સમયમર્યાદા ફરી એકવાર લંબાવી છે.

રેશનકાર્ડ ધારકો માટે e-KYC કરાવવું ફરજિયાત છે. e-KYC વગર રાશન કાર્ડ રદ થઈ શકે છે જેના કારણે આ યોજનાનો લાભ મળશે નહીં. અહીં પહેલા  ઇ-કેવાયસી માટેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2024 હતી પરંતુ હવે તેને વધારીને ફેબ્રુઆરી 2025 કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશમાં ઈકેવાયસી ડેડલાઈન લંબાવવામાં આવી છે. 

સરકારે રેશનકાર્ડ ધારકોની ચકાસણી માટે આ વર્ષે જૂનથી ઇ-કેવાયસી પ્રક્રિયા શરૂ કરી છે. આ અંતર્ગત જે લોકોના નામ રેશનકાર્ડમાં નોંધાયેલા છે તેમણે  ઈ-પોશ મશીન પર પોતાની ફિંગર પ્રિન્ટ આપવાની રહેશે. જે લોકોએ ઈ-કેવાયસી કરાવ્યું નથી, તેમના નામ રેશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે.

જિલ્લા પુરવઠા અધિકારી રાકેશ કુમારે જણાવ્યું હતું કે રેશનકાર્ડ ધારકો ઇ-કેવાયસી અંગે બેદરકાર છે. કાર્ડધારકોને રાશનની દુકાને જઈ ઈ-કેવાયસી કરાવવા વિનંતી કરવામાં આવી છે. હવે રાશન વિતરણની સાથે ઈ-કેવાયસી પ્રક્રિયા પણ ચાલુ રહેશે. રાશન દુકારદારોને વૃદ્ધો અને વિકલાંગોના ઘરે જઈને તેમનું ઈ-કેવાયસી કરવા સૂચના આપવામાં આવી છે.

સમયમર્યાદા લંબાયા બાદ રેશનકાર્ડ ધારકો પાસે પૂરતો સમય છે. આવી સ્થિતિમાં, અગાઉથી સારી રીતે ઇ-કેવાયસી કરી શકશે. જો ઈકેવાયસી નહીં કરાવવામાં આવે તો મફતમાં મળતા ચોખા અને ઘઉં બંધ થઈ જશે.

e-KYC કરાવવાની રીત

તમારા નજીકના રાશન ડીલર પાસે જાઓ અને રેશન ડીલર દ્વારા તમામ જરૂરી દસ્તાવેજો સબમિટ કરો. જેમાં રેશન કાર્ડ, આધાર કાર્ડ, મોબાઈલ નંબર અને પરિવારના સભ્યોનું ઓળખ પ્રમાણપત્ર સામેલ છે.

પુરવઠા વિભાગે તમામ રાશનકાર્ડ ધારકોને વહેલી તકે ઈ-કેવાયસી પૂર્ણ કરવા અને વૃદ્ધો અને અપંગોના ઘરે જઈને તેમનું ઈ-કેવાયસી કરવા સૂચના આપી છે.

તમે તમારા રેશનકાર્ડનું સ્ટેટસ ઓનલાઈન અથવા રાશન શોપ પર જઈને ચેક કરી શકો છો. જો તમને KYC પ્રક્રિયામાં કોઈ સમસ્યા આવી રહી હોય, તો તમે સંબંધિત અધિકારીઓનો સંપર્ક કરી શકો છો.

સરકારે સ્પષ્ટ નિર્દેશો આપ્યા છે કે જે રેશનકાર્ડ ધારકો પાસે ઈ-કેવાયસી નથી તેમને રાશન મળતું બંધ થઈ જશે. આવી સ્થિતિમાં, તમામ લાભાર્થીઓએ આ પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવી જોઈએ. રાશન કાર્ડ ઈકેવાયસી કરવા માટે ગુજરાતમાં અંતિમ તારીખ 31 ડિસેમ્બર છે. આ તારીખ પહેલા તમારી કેવાયસી કરી લેવું જોઈએ. 

ઈ-કેવાયસી માટે my Ration app ડાઉનલોડ કરો 
 
Google Play Store માંથી my Ration app ડાઉનલોડ કરો. રેશનકાર્ડ ધારકનો મોબાઇલ નંબર દાખલ કરો અને ઓટીપી દાખલ કરીને વેરીફાઈ કરો. પ્રોફાઈલમાં જઈને પાસવર્ડ સેટ કરો અને રેશનકાર્ડ સાથે લિંક કરો.
 
હોમ પેજ પર જાઓ અને આધાર E KYC ઓપ્શન પસંદ કરો. એક નવી વિન્ડો ખુલશે જેમાં આધાર ફેસ રીડર એપ્લિકેશનની લિંક મળશે. Google Play Store માંથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરો. ચેકબોક્સ પર ક્લિક કરો અને કાર્ડની વિગતો મેળવો.
 
નવી વિન્ડો ખુલશે, જેમાં કોડ દાખલ કરો. પછી રાશનકાર્ડ અને તેના સભ્યોની વિગત દર્શાવશે. એક નાનું વિન્ડો ખૂલી જશે, જેમાં દર્શાવશે કે E KYC થયેલું છે કે નહીં. જે નામ સામે "NO" દેખાય, તે નામને E KYC માટે પસંદ કરો.  
 
નવી વિન્ડો ખૂલી જશે, ત્યાં ચેકબોક્સ પર ક્લિક કરીને OTP જનરેટ કરો અને વેરીફાઈ કરો. આધાર ફેસ રીડર એપ્લિકેશન ઓપન થશે, જે વ્યક્તિનું વેરીફાઈ કરવાનું છે તેની સેલ્ફી લો. આંખ ખૂલી રાખવી જરૂરી છે.
 
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો

વિડિઓઝ

Punjab Accident News: પંજાબમાં ધૂમ્મસના કારણે ગુજરાતના પરિવારે નડ્યો અકસ્માત, પાંચ લોકોના થયા મોત
Rajkot Rape Case: રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે સંભળાવી ફાંસીની સજા
Gopal Italia: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Embed widget