શોધખોળ કરો

Household Savings: 50 વર્ષના તળીયે આવી ભારતીયોની બચત, ખરગેએ કહ્યું, અચ્છે દિન મે....

Household Savings At 50 Year Low: આરબીઆઈના ડેટા અનુસાર, વર્ષ 2022-23 દરમિયાન ચોખ્ખી નાણાકીય બચત ઘટીને 5.1 ટકા થઈ ગઈ છે. દેશના જીડીપીના સંદર્ભમાં, ભારતની ચોખ્ખી બચત 2022-23માં ઘટીને 13.77 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે, જે 50 વર્ષમાં સૌથી ઓછી છે.

Household Savings At 50 Year Low: ભલે કેન્દ્રની મોદી સરકાર પીઠ પર થપથપાવે છે કે તેના કાર્યકાળ દરમિયાન ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે અને દેશની માથાદીઠ આવક 2014-15ની સરખામણીમાં 2022-23માં બમણી થઈને 1,72,000 રુપિયા થઈ ગઈ છે, પરંતુ RBIના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર ભારતીયોની ઘરેલુ બચત સતત ઘટી રહી છે અને તે 50 વર્ષમાં સૌથી નીચા સ્તરે પહોંચી ગઈ છે. સપ્ટેમ્બર મહિના માટે આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા માસિક બુલેટિનમાં, રિઝર્વ બેંકનો હાઉસહોલ્ડ એસેટ્સ એન્ડ લાયબિલિટીઝ (RBI data on Household Assets and Liabilities)નો લેટેસ્ટ રિપોર્ટ બહાર આવ્યો છે, જે મુજબ લોકોની ઘરેલું બચત 2020-21માં જીડીપીના 11.5 ટકા. તે નાણાકીય વર્ષ 2022-23માં ઘટીને 5.1 ટકા પર આવી ગઈ છે, જે ચિંતાનું કારણ છે.

બચત પર લાગ્યું ગ્રહણ!
આરબીઆઈના ડેટા અનુસાર, વર્ષ 2022-23 દરમિયાન ચોખ્ખી નાણાકીય બચત ઘટીને 5.1 ટકા થઈ ગઈ છે. દેશના જીડીપીના સંદર્ભમાં, ભારતની ચોખ્ખી બચત 2022-23માં ઘટીને 13.77 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે, જે 50 વર્ષમાં સૌથી ઓછી છે. બરાબર એક વર્ષ પહેલા 2021-22માં નેટ સેવિંગ જીડીપીના 7.2 ટકા હતી. સ્વાભાવિક છે કે લોકોની આવક ઘટી રહી છે તેથી લોકો બચત કરતાં વધુ ખર્ચ કરી રહ્યા છે. આરબીઆઈના રિપોર્ટ અનુસાર, ભારતના નાગરિકો પર દેવાનો બોજ ઝડપથી વધ્યો છે. વર્ષ 2022-23માં તે જીડીપીના 5.8 ટકા સુધી પહોંચી જશે. એક વર્ષ પહેલા તે 3.8 ટકા હતો. તેનો અર્થ એ છે કે તેઓ તેમની જરુરિયાતને પહોંચી વળવા માટે વધુ ઉધાર લઈ રહ્યા છે.

 

સરકાર પર વિપક્ષના પ્રહારો
આરબીઆઈનો આ રિપોર્ટ સામે આવ્યા બાદ આ પર રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. આ ડેટા સામે આવ્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ મોદી સરકાર પર નિશાન સાધતા ટ્વીટ કર્યું કે જનતાની બચત 50 વર્ષમાં સૌથી ઓછી થઈ ગઈ છે. તેમણે કહ્યું કે મોદી સરકારના અચ્છે દિનમાં લોકોની બચતને ગ્રહણ આગી ગયું છે. મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને પણ સરકાર પર નિશાન સાધવામાં આવ્યું છે.

મોંઘવારીના કારણે બચત ઘટી
RBI અનુસાર, વર્ષ 2020-21ની સરખામણીમાં 2022-23 દરમિયાન ચોખ્ખી ઘરગથ્થુ સંપત્તિમાં મોટો ઘટાડો થયો છે. વર્ષ 2020-21 દરમિયાન ઘરગથ્થુ સંપત્તિ રૂ. 22.8 લાખ કરોડ હતી, જે 2021-22માં ઘટીને રૂ. 16.96 લાખ કરોડ થઈ હતી અને વર્ષ 2022-23માં રૂ. 13.76 લાખ કરોડ થઈ હતી. રિપોર્ટ પરથી સ્પષ્ટ થાય છે કે કમરતોડ મોંઘવારી લોકોની બચત છીનવી રહી છે.

ટોપ સ્ટોરી

SBI ના ગ્રાહકો ધ્યાન આપે: 1 ઓક્ટોબરથી રોકડ ઉપાડના નિયમો બદલાશે, લાગશે આટલો ચાર્જ
SBI ના ગ્રાહકો ધ્યાન આપે: 1 ઓક્ટોબરથી રોકડ ઉપાડના નિયમો બદલાશે, લાગશે આટલો ચાર્જ
PNG New Scheme: હવે LPG  સિલિન્ડરની ઝંઝટ ખતમ! PNG પર સરકાર લાવી રહી છે નવી સ્કીમ, જાણો 
PNG New Scheme: હવે LPG  સિલિન્ડરની ઝંઝટ ખતમ! PNG પર સરકાર લાવી રહી છે નવી સ્કીમ, જાણો 
Post Office ની આ સ્કીમમાં દર મહિને ₹2500 કરો જમા, 5 વર્ષ બાદ મળશે આટલા પૈસા, જાણો કેલક્યુલેશન 
Post Office ની આ સ્કીમમાં દર મહિને ₹2500 કરો જમા, 5 વર્ષ બાદ મળશે આટલા પૈસા, જાણો કેલક્યુલેશન 
8th CPC Salary Calculator: લેવલ 3 ના કેંદ્રીય કર્મચારીઓને કેટલો મળશે પગાર! ફિટેમેન્ટ, HRA, TA બાદ હાથમાં કેટલા આવશે? 
8th CPC Salary Calculator: લેવલ 3 ના કેંદ્રીય કર્મચારીઓને કેટલો મળશે પગાર! ફિટેમેન્ટ, HRA, TA બાદ હાથમાં કેટલા આવશે? 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
Embed widget