શોધખોળ કરો

ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા

silver import rules tightened: વધતી આયાત અને વિદેશી હૂંડિયામણ બચાવવા લેવાયો મોટો નિર્ણય, 99.9% શુદ્ધ ચાંદી લાવવા માટે લેવી પડશે પરવાનગી; વેપારીઓ અને ઝવેરીઓની ચિંતામાં વધારો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • દેશના વિદેશી હૂંડિયામણ ભંડાર પર દબાણ, ચાંદી આયાત પર કડક નિયમો.
  • 99.9% શુદ્ધ ચાંદી માટે DGFTની પૂર્વ મંજૂરી ફરજિયાત બનશે.
  • વધતી જતી આયાત અને ડોલર રિઝર્વ બચાવવા સરકારનો નિર્ણય.
  • નવા નિયમોથી ઝવેરીઓ અને વેપારીઓમાં ચિંતા અને અનિશ્ચિતતા.

silver import rules tightened: વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુએસ-ઈરાન યુદ્ધના તણાવ અને દેશના વિદેશી હૂંડિયામણ ભંડાર (Forex Reserve) પર વધતા દબાણને પગલે ભારત સરકારે ચાંદીની આયાત પરના નિયમો અચાનક જ ખૂબ કડક કરી દીધા છે. હવેથી 99.9% શુદ્ધતાવાળી ચાંદી વિદેશથી મંગાવવા માટે ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) ની અગાઉથી મંજૂરી લેવી ફરજિયાત બની ગઈ છે. ડ્યુટીમાં વધારા બાદ લેવાયેલા સરકારના આ આકરા નિર્ણયથી બુલિયન માર્કેટ અને ચાંદીના વેપારીઓમાં મોટો ખળભળાટ મચી ગયો છે.

છેલ્લા કેટલાક સમયથી ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધની અસર આખી દુનિયાની સાથે ભારતીય અર્થવ્યવસ્થા પર પણ પડી રહી છે. મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતા અને દેશના અર્થતંત્રને બચાવવા સરકારે આ મોટું પગલું ભર્યું છે. મંગળવારે જાહેર કરાયેલા નવા આદેશ મુજબ, હવે જો કોઈ પણ વેપારી કે આયાતકારે 99.9% શુદ્ધતાવાળા ચાંદીના દાણા, પાવડર કે ચાંદીના બ્લોક વિદેશથી મંગાવવા હશે, તો તેમણે પહેલા DGFT પાસેથી માન્ય અધિકૃતતા (Authorization) એટલે કે પરવાનગી લેવી પડશે. આ મંજૂરી વગર હવે ચાંદીની આયાત થઈ શકશે નહીં.

આટલી કડકાઈ પાછળનું મુખ્ય કારણ ચાંદીની બેફામ વધેલી આયાત છે. નોંધનીય છે કે ભારત દુનિયામાં ચાંદીનો સૌથી મોટો ગ્રાહક દેશ છે. નાણાકીય વર્ષ 2025-26 ના આંકડા પર નજર કરીએ તો, દેશે 12 બિલિયન ડોલરની ચાંદીની આયાત કરી છે (જેમાં 150% નો જંગી વધારો નોંધાયો છે), જે અગાઉના નાણાકીય વર્ષમાં માત્ર 4.8 બિલિયન ડોલર હતી. માત્ર એપ્રિલ મહિનામાં જ ચાંદીની આયાત વાર્ષિક ધોરણે 157% વધીને 411 મિલિયન ડોલર પર પહોંચી ગઈ હતી. દેશનો રૂપિયો અને ડોલર રિઝર્વ (વિદેશી હૂંડિયામણ) બચાવવા તેમજ બિનજરૂરી આયાત ઘટાડવા સરકારે ગયા મહિને જ સોના અને ચાંદી પરની ઈમ્પોર્ટ ડ્યુટી (આયાત જકાત) 6% થી વધારીને સીધી 15% કરી દીધી હતી.

આ પણ વાંચોઃ સોના અને ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો, જાણો આજે કેટલા છે ભાવ

સરકારના આ કડક વલણને કારણે હવે ઝવેરીઓ અને ચાંદીના વેપારીઓનું ટેન્શન વધી ગયું છે. નવા નિયમોને લીધે વિદેશથી ચાંદી મંગાવવાની આખી પ્રક્રિયા વધુ લાંબી અને અઘરી બની જશે. જેના કારણે માલ આવવામાં મોડું થવાની અને બજારમાં અનિશ્ચિતતા ઊભી થવાની શક્યતાઓ છે, જેનો સીધો માર વેપારીઓએ સહન કરવો પડશે.

Frequently Asked Questions

ભારતમાં ચાંદીની આયાત પરના નિયમો શા માટે કડક કરવામાં આવ્યા છે?

યુએસ-ઈરાન તણાવ અને દેશના વિદેશી હૂંડિયામણ ભંડાર પર દબાણને કારણે નિયમો કડક કરાયા છે.

99.9% શુદ્ધતાવાળી ચાંદીની આયાત માટે હવે શું ફરજિયાત છે?

99.9% શુદ્ધતાવાળી ચાંદીની આયાત કરવા માટે હવે ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) ની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત છે.

ચાંદીની આયાત વધારવા પાછળનું મુખ્ય કારણ શું હતું?

નાણાકીય વર્ષ 2025-26 માં ચાંદીની આયાતમાં 150% નો જંગી વધારો નોંધાયો હતો, જે ચિંતાનો વિષય બન્યો હતો.

નવા નિયમોની ચાંદીના વેપારીઓ પર શું અસર થશે?

નવા નિયમોને લીધે આયાત પ્રક્રિયા લાંબી અને મુશ્કેલ બનશે, જેનાથી બજારમાં અનિશ્ચિતતા વધી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Loan News: લોનનો બોજ વધી ગયો છે? આ સરળ ટીપ્સ અપનાવીને નિકળી શકો છો દેવામાંથી બહાર
Loan News: લોનનો બોજ વધી ગયો છે? આ સરળ ટીપ્સ અપનાવીને નિકળી શકો છો દેવામાંથી બહાર
IT શેર રોકેટ બન્યા! સેન્સેક્સમાં 580 પોઈન્ટનો ઉછાળો, જાણો આજે ક્યાં સ્ટોક્સે કર્યો કમાલ
IT શેર રોકેટ બન્યા! સેન્સેક્સમાં 580 પોઈન્ટનો ઉછાળો, જાણો આજે ક્યાં સ્ટોક્સે કર્યો કમાલ
Post Office ની ખૂબ જ શાનદાર સ્કીમ વિશે જાણો, માત્ર વ્યાજથી થશે 5 લાખની કમાણી 
Post Office ની ખૂબ જ શાનદાર સ્કીમ વિશે જાણો, માત્ર વ્યાજથી થશે 5 લાખની કમાણી 
EPFO નો મોટો નિર્ણય: તમારી મરજી વગર હવે નહીં કપાય 1800 રૂપિયાથી વધુ PF, જાણો ઇન-હેન્ડ સેલરી પર શું થશે અસર
EPFO નો મોટો નિર્ણય: તમારી મરજી વગર હવે નહીં કપાય 1800 રૂપિયાથી વધુ PF, જાણો ઇન-હેન્ડ સેલરી પર શું થશે અસર
Advertisement

વિડિઓઝ

USA Gujarati Death : અમેરિકામાં આગ લાગતા 3 ગુજરાતીના મોત
Hun To Bolish: હું તો બોલીશ: પિચકારીના પાપી
Hun To Bolish: હું તો બોલીશ: પાતાળ લોક
Hun To Bolish: હું તો બોલીશ: ખેડૂતોનું સાચું દર્દ
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jamnagar Rain: જામજોધપુરમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
Jamnagar Rain: જામજોધપુરમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો
Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
BSNL નો સુપરસ્ટાર બ્રોડબેન્ડ પ્લાન, મળશે Jio કરતા પણ વધુ ડેટા, OTT એપ્સનો પણ લાભ
BSNL નો સુપરસ્ટાર બ્રોડબેન્ડ પ્લાન, મળશે Jio કરતા પણ વધુ ડેટા, OTT એપ્સનો પણ લાભ
Gold Price Today: સોનામાં ₹3000 ઉછાળો, ₹5000 મોંઘી થઈ ચાંદી, જાણો ભાવ વધારાનું કારણ
Gold Price Today: સોનામાં ₹3000 ઉછાળો, ₹5000 મોંઘી થઈ ચાંદી, જાણો ભાવ વધારાનું કારણ
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 
ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?
ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?
Embed widget