શોધખોળ કરો

Stock Market Closing: શેરબજારમાં તેજીને લાગી બ્રેક, આ કારણે સેેન્સેક્સ 224 પોઈન્ટના ઘટાડા સાથે રહ્યો બંધ, IT શેર્સ ધોવાયા

Stock Market Closing Bell: ભારતીય શેરબજાર માટે આજનો દિવસ સારો નથી રહ્યો. શેરબજાર અને નિફ્ટી ઘટાડા સાથે બંધ થયા છે.

Stock Market Closing, 14th Septemeber 2022: ભારતીય શેરબજાર માટે આજનો દિવસ નિરાશાજનક રહ્યો છે. શેરબજારમાં બે દિવસથી ચાલી આવતી તેજી પર આજે બ્રેક લાગી. ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 224.11 પોઇન્ટના ઘટાડા અને નિફ્ટી 66.3 પોઇન્ટના ઘટાડા સાથે બંધ થયા છે. જે બાદ સેન્સેક્સ 60346.9 પોઇન્ટ અને નિફ્ટી 18003.75 પોઇન્ટ પર પહોંચ્યા છે. લગભગ 1632 શેર વધ્યા છે, 1740 શેર ઘટ્યા છે અને 140 શેર યથાવત છે.

સેકટરની દ્રષ્ટિએ IT શેર્સમાં સૌથી વધુ ઘટાડો થયો હતો. જેમાં TCS, Infosys, HCL ટેક અને ટેક મહિન્દ્રા 2-4 ટકા તૂટ્યા હતા. ફાઇનાન્સિયલ્સ શેર્સે સવાર ઘટાડાને સરભર કર્યો હતો અને ઇન્ડસઇન્ડ બેંક, SBI અને કોટક મહિન્દ્રા બેંક નિફ્ટીના ટોચના વધનારા સાથે બંધ થયા. નિફ્ટી મેટલમાં ચમકારો જોવા મળ્યો હતો

આ કારણે થયો ઘટાડો

યુએસ બજારોમાં ત્રણેય મુખ્ય સૂચકાંકોમાં વર્ષ 2020 પછી એક જ દિવસમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. આનું કારણ ગઈ કાલે યુએસમાં આવેલા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI) ડેટા હતા, જેમાં ઓગસ્ટમાં ફુગાવાનો દર ઘટીને 6.3 ટકા થઈ ગયો છે. જુલાઈમાં તે 5.9 ટકા હતો. જેની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી હતી.

વાયરલ થઈ કંપનીની ઓફર, રિઝાઇન બાદ 6 સપ્તાહનો નોટિસ પીરિયડ આપો અને પગારમાં 10 ટકાનો વધારો લો

 સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે જ્યારે કર્મચારી તેની નોકરીમાંથી રાજીનામું આપે છે ત્યારે તેની સાથે કંપનીનું વર્તન બદલાઈ જાય છે. પરંતુ એવું પહેલીવાર જોવા મળી રહ્યું છે કે જ્યારે કોઈ કંપની તેના કર્મચારીઓને સારું લાગે તે માટે કંપની છોડે ત્યારે તેમને 10 ટકા વધુ પગાર આપે છે. કંપનીની આ જાહેરાત સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

માર્કેટિંગ કંપની ગોરિલાના સ્થાપક જ્હોન ફ્રાન્કોએ LinkedIn પર 'Smooth Transition' માટેની તેમની વ્યૂહરચના પોસ્ટ કરી છે. તેણે લખ્યું છે કે જ્યારે કોઈ કર્મચારી અમને જાણ કરશે કે તે અમારી કંપની ગોરિલા છોડવા માંગે છે અને બીજી નોકરી શોધી રહ્યો છે. જો આવા કર્મચારીઓ ઓછામાં ઓછા છ અઠવાડિયાની નોટિસ આપે છે, તો કંપની તેમને તેમના પગારના 10% વધુ ચૂકવશે. તેમણે આગળ લખ્યું છે કે આવું એટલા માટે કરવામાં આવ્યું છે કે જે કર્મચારીઓ કંપનીમાં ખુદને ફસાયેલા માને છે અથવા તેમને લાગે છે કે તેઓ ખોટી જગ્યાએ કામ કરી રહ્યા છે, તો તેમના માટે કંપની છોડવામાં સરળતા રહેશે. તેમણે કર્મચારીઓને વચન આપ્યું હતું કે કર્મચારીઓ પ્રત્યે અમારે કોઈપણ પ્રકારની કઠોર લાગણી નથી.

ફ્રાન્કોએ આગળ લખ્યું છે કે, અમે નથી ઈચ્છતા કે અમારા કોઈપણ કર્મચારી કંપની છોડે. અમે ઈચ્છીએ છીએ કે તે પણ અમારી સાથે નિવૃત્ત થાય. પરંતુ અમે અમારા લોકોને પ્રોત્સાહિત કરવા માટે આવા પગલા લીધા છે. આ સાથે, જો કોઈ કર્મચારીને લાગે છે કે તેઓ અટવાઈ ગયા છે અથવા ખોટી જગ્યાએ છે, તો તેમને તેનો લાભ મળશે. આ સુવિધા ફક્ત તે કર્મચારીઓ માટે હશે, જેઓ અમને ઓછામાં ઓછા 6 અઠવાડિયાની નોટિસ પીરિયડ આપશે.

તાજેતરમાં જ રાજીનામું આપનાર કર્મચારીનું ઉદાહરણ આપતાં ફ્રાન્કોએ વધુમાં લખ્યું છે કે થોડા દિવસો પહેલા અમારા એક કર્મચારી મારી પાસે આવ્યો અને કહ્યું કે તે આગામી ત્રણ મહિનામાં કંપની છોડી દેશે. તે ગંભીરતાથી નોકરીની શોધમાં છે. પછી મેં તેની સાથે હાથ મિલાવ્યા અને તેના પગારમાં 10 ટકાનો વધારો કર્યો. અહીંથી જ મને આ વિચાર આવ્યો. તેમણે કહ્યું કે કંપની છોડી રહેલા કર્મચારીઓને કેટલીક સારી તકો મળશે અને અમે આમ કરીને રોજગાર પેટર્નને વધુ સરળ બનાવવા માંગીએ છીએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget