શોધખોળ કરો

હરિયાણાનાં CM 4 કલાક સુધી પોતાના જ ઘરમાં રહ્યાં બંધ, જાણો શું છે સમગ્ર ઘટના

આશ્વાસન આપતાં મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે હવે તેઓ બંને ગામોની શક્યતાનો રિપોર્ટ મેળવશે. જે ગામનો રિપોર્ટ સાચો હશે તેને જ ઉપ-તાલુકો બનાવવામાં આવશે.

હરિયાણા:આશ્વાસન આપતાં મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે હવે તેઓ બંને ગામોની શક્યતાનો રિપોર્ટ મેળવશે. જે ગામનો રિપોર્ટ સાચો હશે તેને જ ઉપ-તાલુકો બનાવવામાં આવશે.

હરિયાળાના મુખ્યમંત્રી મનહર ખટ્ટરના મહેન્દ્રગઢ જિલ્લામાં  જન સંવાદ કાર્યક્રમનો છેલ્લો દિવસ હતો. મુખ્યમંત્રીના લોક સંવાદ કાર્યક્રમમાં ફરી એકવાર હોબાળો થયો હતો. સિહમા ગામને ઉપ તાલુકાનો દરજ્જો આપવાની જાહેરાત બાદ આ બધો હંગામો થયો હતો. આ વાતની જાણ ડોગડા આહીર ગામના લોકોને થતાં જ તેઓનો રોષ ફાટી નીકળ્યો હતો અને રસ્તા પર આવી ગયા હતા. રોષે ભરાયેલા ગ્રામજનોએ મુખ્યમંત્રીના ઘેરાવની જાહેરાત કરી હતી. ગામના લોકોએ કહ્યું કે તેમનું ગામ ડોગડા આહીર સિંહ કરતાં મોટું છે, તેથી તેને પણ ઉપ તાલુકાનો દરજ્જો આપવો જોઇએ. સીએમ ખટ્ટર ડોગડા આહીર ગામમાં જ રોકાયા હતા. ગ્રામજનોએ રાત્રે જ મુખ્યમંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. સીએમ જ્યાં રોકાયા હતા ત્યાં આખું ગામ એકત્ર થઈ ગયું.  આ સ્થિતિમાં સીએમ ખટ્ટરને લગભગ 4 કલાક સુધી નજરકેદ રાખવામાં આવ્યા હતા.

જ્યારે  તે વિસ્તારના ધારાસભ્યો ગ્રામજનોને સમજાવવા આવ્યા તો તેઓએ પણ તેમનો ઉગ્ર વિરોધ કર્યો. ધારાસભ્યો નિરાશ થઈને પરત ફર્યા હતા. વિરોધ જોઈને મુખ્યમંત્રી મનોહર લાલાએ ડોગડા આહીરના લોકોને વાતચીત માટે બોલાવ્યા. જેમાં તેમણે ઉપ-તાલુકા માટેના ગામોના ફિઝિબિલિટી રિપોર્ટ માટે અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, જ્યારે પણ એટલી વિધાનસભામાં જનસંવાદનો કાર્યક્રમ હશે ત્યારે તેઓ તેની જાહેરાત કરશે.

મુખ્યમંત્રીએ આપ્યું આશ્વાસન

સીએમના આશ્વાસન બાદ ગ્રામજનોએ આંદોલન પાછું ખેંચ્યું હતું. આ બેઠકઅટેલીના ધારાસભ્ય સીતારામ યાદવ પણ હાજર હતા. આ પછી મુખ્યમંત્રી જન સંવાદ કાર્યક્રમ માટે નાંગલ સિરોહી જવા રવાના થયા હતા.

સિરસામાં પણ વિવાદ થયો હતો

આ પહેલા સિરસામાં સીએમ ખટ્ટરના જન સંવાદ કાર્યક્રમના ત્રીજા દિવસે પણ વિવાદ થયો હતો. બાની ગામની મહિલા સરપંચે પોતાના ગળામાંથી દુપટ્ટો ઉતારીને મુખ્યમંત્રીના પગમાં ફેંકી દીધો હતો. આ જોઈને ત્યાં ઉભેલા પોલીસ અને અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી. જો કે આ દરમિયાન સીએમ મનોહર લાલ આ અંગે ખુલાસો કરતા જોવા મળ્યા હતા

Wrestlers Protest: કુસ્તીબાજોના સમર્થનમાં આવ્યા સ્વામી રામદેવ,કહ્યું- બ્રિજભૂષણને લઈને આપ્યું મોટું નિવેદન

Wrestlers Protest: જાતીય સતામણીના આરોપોનો સામનો કરી રહેલા રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહને હવે પોતાના જ 'ઘર'માં પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. યોગ ગુરુ બાબા રામદેવે બીજેપી સાંસદ વિરુદ્ધ દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહેલા કુસ્તીબાજોના વિરોધને સમર્થન આપ્યું છે.

બાબા રામદેવે કહ્યું કે કુસ્તી સંઘના પ્રમુખ પર યૌન ઉત્પીડનના ગંભીર આરોપો છે. તેની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ. તેમણે કહ્યું કે દેશના કુસ્તીબાજોનું માટે જંતર-મંતર પર બેસવું અને રેસલિંગ એસોસિએશનના પ્રમુખ પર જાતીય સતામણીનો આરોપ લગાવવો ખૂબ જ શરમજનક છે. આવા લોકોની તાત્કાલિક ધરપકડ કરીને જેલના સળિયા પાછળ મોકલી દેવા જોઈએ.

'બ્રિજ ભૂષણ વાહિયાત વાતો કરે છે'
બાબા રામદેવે માત્ર બ્રિજભૂષણની ધરપકડની માગણી જ નથી કરી, પરંતુ તેમના નિવેદનો માટે ભાજપના સાંસદ પર પણ નિશાન સાધ્યું હતું. તેણે કહ્યું કે તે દરરોજ મોઢુ ખોલે છે અને મા-બહેન-દીકરીઓ માટે વારંવાર ખરાબ શબ્દોનો પ્રયોગ છે, આ ખૂબ જ નિંદનીય અને પાપ છે.

ખાલિસ્તાન તરફ વધી રહ્યું છે આંદોલન

 

બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ મહિલા રેસલર્સના યૌન ઉત્પીડનના આરોપોને સતત નકારી રહ્યા છે. આ દરમિયાન તેણે કુસ્તીબાજોના આંદોલન પર ગંભીર આરોપ લગાવ્યા હતા. બ્રિજ ભૂષણે કહ્યું કે આ આંદોલન દિલ્હીથી પંજાબ અને ખાલિસ્તાન અને કેનેડા તરફ આગળ વધી રહ્યું છે. આ આંદોલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી વિરુદ્ધ નારા લગાવવામાં આવી રહ્યા છે.

તેમણે કહ્યું કે બજરંગ પુનિયા શિરચ્છેદની વાત કરી રહ્યો છે, તે પોતાની ભાષા નહીં પણ બીજા કોઈની ભાષા બોલી રહ્યો છે. કુસ્તીબાજોના પ્રદર્શનને સમર્થન આપતી ખાપ પંચાયતો અને રાજકીય પક્ષો પર કટાક્ષ કરતા તેમણે પૂછ્યું કે શું આ લોકો શિરચ્છેદની ભાષાને સમર્થન આપે છે. આપને જણાવી દઈએ કે 5 જૂને બીજેપી સાંસદ અયોધ્યામાં સંતોને ભેગા કરીને પોતાની તાકાતનું પ્રદર્શન કરવાની તૈયારી કરી રહ્યા છે.

તેમણે કહ્યું કે 5 જૂને અયોધ્યામાં આખા દેશનો સંત સમાજ એકઠા થઈ રહ્યો છે, જેમાં લગભગ 11 લાખ લોકો ભાગ લેશે. આ રેલીમાં તમામ ધર્મ અને ધર્મના લોકો એકઠા થશે, જે સમગ્ર દેશને સંદેશ આપશે. જો કે, બાબા રામદેવનું આ નિવેદન સંત સમાજના સમર્થનની અપેક્ષા રાખતા બ્રિજ ભૂષણના શક્તિ પ્રદર્શનને સમાપ્ત કરી શકે છે.

નવી સંસદ પર મહિલા મહાપંચાયત

કુસ્તીબાજોના ધરણાને ખાપ પંચાયતોનું સમર્થન મળી ચૂક્યું છે. હરિયાણામાં આયોજિત ખાપ મહાપંચાયતમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે 28 મેના રોજ નવી સંસદની સામે મહિલા મહાપંચાયત યોજાશે. જોકે, દિલ્હી પોલીસે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનમાં કોઈ ખલેલ ન પડે તે માટે વ્યવસ્થા કરી છે.



વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન

વિડિઓઝ

Surat News: સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા
Sattvik Food Festival: અમદાવાદમાં સાત્વિક ફૂડ ફેસ્ટિવલનું આયોજન
Patan news: પાટણમાં માતા-પિતા માટે આંખો ઉઘાડતો કિસ્સો બન્યો
Pakistani President Zardari: ઓપરેશન સિંદૂરને લઈને પાકિસ્તાનના રાષ્ટ્રપતિનું કબૂલનામું
Gujarat Weather Update: 1 જાન્યુઆરીથી રાજ્યમાં વધશે ઠંડીનું જોર: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
મહાકાલમાં VIP દર્શન બંધ, જાણો, દેશના 6 મોટા મંદિરોમાં નવા વર્ષમાં કેવી રીતે કરશો દર્શન
મહાકાલમાં VIP દર્શન બંધ, જાણો, દેશના 6 મોટા મંદિરોમાં નવા વર્ષમાં કેવી રીતે કરશો દર્શન
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
SIP Calculator: દર મહિને ₹10,000 ની એસઆઈપી કરો તો 20 વર્ષ પછી કેટલું ફંડ જમા થાય, જુઓ ગણતરી
SIP Calculator: દર મહિને ₹10,000 ની એસઆઈપી કરો તો 20 વર્ષ પછી કેટલું ફંડ જમા થાય, જુઓ ગણતરી
Embed widget