શોધખોળ કરો
Coronavirus: અમદાવાદની સ્થિતિ ચિંતાજનક, રાજ્યમાં આજે થયેલા કુલ મોતના 50 ટકાથી વધુ શહેરમાં નોંધાયા
અમદાવાદમાં આજે 302 કેસ નોંધાયા હતા. જ્યારે 309 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.

(ફાઈલ તસવીર)
અમદાવાદઃ રાજ્યમાં આજે કોવિડ-19ના નવા 1512 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 14 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4018 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,803 એક્ટિવ કેસ છે, જ્યારે 1,93,938 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 93 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,720 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,12,769 પર પહોંચી છે. અમદાવાદમાં આજે 302 કેસ નોંધાયા હતા. જ્યારે 309 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. અમદાવાદમાં આજે 8 લોકોના મોત થયા હતા. જે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં થયેલા મોતના 50 ટકાથી વધારે છે. રાજ્યમાં આજે કુલ 1570 દર્દી સાજા થયા હતા અને 69,186 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 79,63,653 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.15 ટકા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,29,704 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,29,531 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 173 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. Gujarat Corona Cases Update: રાજ્યમાં 24 કલાકમાં કોરોનાથી વધુ 14 લોકોના મોત, નવા 1512 કેસ નોંધાયા IND v AUS: ત્રીજી વન ડેમાં ભારતનો 13 રનથી વિજય, આ રહ્યા જીતના કારણ ગુજરાતમાં ભાજપના નેતાની ધરપકડ થાય તો તરત જામીન ન મળે તે માટે કઈ કલમ ઉમેરાઈ ? જાણો વિગત
વધુ વાંચો





















