શોધખોળ કરો

ગુજરાતમાં કઈ તારીખથી સરકારી કચેરીઓમાં 100 ટકા સ્ટાફ સાથે કામ થશે શરૂ?

રાજ્ય સરકારની બધી કચેરીઓ આવતી કાલ શનિવાર 5 જૂનના રોજ કાર્યરત એટલે કે ખુલ્લી રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણયની જાહેરાત કરતા વધુમાં એવો નિર્ણય પણ કર્યો છે કે, સોમવાર 7 મી જૂન થી રાજ્ય સરકારની તમામ કચેરીઓ તેમજ ખાનગી ક્ષેત્રની ઓફિસો 100 ટકા સ્ટાફ ની હાજરી સાથે રાબેતા મુજબ કામકાજ કરી શકશે.

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યા પછી હવે સંક્રમણ ઘટી રહ્યું છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા એક પછી એક નિયમો હળવા કરવામાં આવી રહ્યા છે અને લોકોને રાહત આપવામાં આવી રહી છે. ગુજરાત સરકારે આંશિક લોકડાઉનમાં રાહત આપ્યા પછી હવે સરકારી કચેરીઓના કામકાજને લઈને મોટી જાહેરાત કરી છે. 

રાજ્ય સરકારની બધી કચેરીઓ આવતી કાલ શનિવાર 5 જૂનના રોજ કાર્યરત એટલે કે ખુલ્લી રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણયની જાહેરાત કરતા વધુમાં એવો નિર્ણય પણ કર્યો છે કે, સોમવાર 7 મી જૂન થી રાજ્ય સરકારની તમામ કચેરીઓ તેમજ ખાનગી ક્ષેત્રની ઓફિસો 100 ટકા સ્ટાફ ની હાજરી સાથે રાબેતા મુજબ કામકાજ કરી શકશે.

રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,207 નવા કેસ નોંધાયા છે અને 17  દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9890 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 3,018 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યમાં હાલ સાજા થવાનો દર 95.78 ટકા છે.

 


રાજ્યમાં અત્યાર સુધી 7,78,976 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 24404 પર પહોંચ્યો છે. જેમાંથી 429 દર્દી વેન્ટિલેટર પર અને 23975 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.78  ટકા છે.  

 

ક્યાં કેટલા કેસ નોંધાયા ?

 

અમદાવાદ શહેરમાં આજે કોરોનાના 191 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 5 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 80 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 57 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં રાજ્યના સૌથી વધુ 132 કેસ, જ્યારે ગ્રામ્યમાં 104 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 57 કેસ અને ગ્રામ્યમાં 31 કેસ નોંધાયા છે.

 

ક્યાં કેટલા મોત ?

 


અમદાવાદ કોર્પોરેશન 4, વડોદરા કોર્પોરેશન 1, વડોદરા 1, સુરત કોર્પોરેશન 1, સુરત 2, ગીર સોમનાથ 1, જામનગર કોર્પોરેશન 1,  રાજકોટ 1, ભાવનગર 1, સાબરકાંઠા 1, જામનગર 1, મહીસાગર 1 અને છોટા ઉદેપુરમાં 1 મોત સાથે કુલ 17 લોકોના મોત થયા હતા.

 

રાજ્યમાં રસીકરણ

 

જો રસીકરણની વાત કરીએ તો હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 4261 ને પ્રથમ ડોઝ અને 4287 લોકોને બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારે ઉંમરના 43082 લોકોને પ્રથમ અને 25441 લોકોને બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષનાં 98288 લોકોને પ્રથમ ડોઝ અપાયો હતો. આ પ્રકારે ગુજરાતમાં એક દિવસમાં 1,75,359 લોકોને રસી અપાઇ હતી. 

 

રાજ્યમાં સાજા થવાના દરમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં હાલ સાજા થવાનો દર 95.78 ટકા છે. આજે 3,018 દર્દીઓ સાજા થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 7,78,976 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Panchayat Election Result: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરી લહેરાયો ભાજપનો ભગવો, અત્યાર સુધી 666 બેઠક પર મેળવી જીત
Gujarat Panchayat Election Result: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરી લહેરાયો ભાજપનો ભગવો, અત્યાર સુધી 666 બેઠક પર મેળવી જીત
Gujarat Local Body Election Result: જૂનાગઢ મહાનગરપાલિકા પર ભાજપનો કબજો, અત્યાર સુધીમાં ભાજપે જીતી 33 બેઠક
Gujarat Local Body Election Result: જૂનાગઢ મહાનગરપાલિકા પર ભાજપનો કબજો, અત્યાર સુધીમાં ભાજપે જીતી 33 બેઠક
Halol Election Result: હાલોલ નગરપાલિકામાં ભાજપનું ક્લિન સ્વીપ, તમામ 36 બેઠકો પર મેળવ્યો વિજય
Halol Election Result: હાલોલ નગરપાલિકામાં ભાજપનું ક્લિન સ્વીપ, તમામ 36 બેઠકો પર મેળવ્યો વિજય
Dharampur Election Result: ધરમપુર નગરપાલિકા પર ભાજપનો કબજો, અપક્ષ ઉમેદવારોએ પણ ચોંકાવ્યા
Dharampur Election Result: ધરમપુર નગરપાલિકા પર ભાજપનો કબજો, અપક્ષ ઉમેદવારોએ પણ ચોંકાવ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh:મનપાની ચૂંટણીમાં ભાજપે ખોલ્યુ ખાતું, આટલા વોર્ડમાં થઈ જીત |Sthanik Swarjya Election ResultVankaner Result 2025: વાંકાનેર નગરપાલિકામાં ભાજપની સત્તા નક્કી, જાણો શું છે સ્થિતિ?Sanand BJP Win: સાણંદ નગરપાલિકામાં ખૂલ્યું સૌથી પહેલા ભાજપનું ખાતું | Sthanik Swarjya Election Result 2025Sthanik Swarjya Election: Vote Counting 2025:  મતગણતરી શરૂ, કોણ મારશે બાજી? | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Panchayat Election Result: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરી લહેરાયો ભાજપનો ભગવો, અત્યાર સુધી 666 બેઠક પર મેળવી જીત
Gujarat Panchayat Election Result: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરી લહેરાયો ભાજપનો ભગવો, અત્યાર સુધી 666 બેઠક પર મેળવી જીત
Gujarat Local Body Election Result: જૂનાગઢ મહાનગરપાલિકા પર ભાજપનો કબજો, અત્યાર સુધીમાં ભાજપે જીતી 33 બેઠક
Gujarat Local Body Election Result: જૂનાગઢ મહાનગરપાલિકા પર ભાજપનો કબજો, અત્યાર સુધીમાં ભાજપે જીતી 33 બેઠક
Halol Election Result: હાલોલ નગરપાલિકામાં ભાજપનું ક્લિન સ્વીપ, તમામ 36 બેઠકો પર મેળવ્યો વિજય
Halol Election Result: હાલોલ નગરપાલિકામાં ભાજપનું ક્લિન સ્વીપ, તમામ 36 બેઠકો પર મેળવ્યો વિજય
Dharampur Election Result: ધરમપુર નગરપાલિકા પર ભાજપનો કબજો, અપક્ષ ઉમેદવારોએ પણ ચોંકાવ્યા
Dharampur Election Result: ધરમપુર નગરપાલિકા પર ભાજપનો કબજો, અપક્ષ ઉમેદવારોએ પણ ચોંકાવ્યા
Ranavav Election Result: રાણાવાવમાં ભાજપને લાગશે ઝટકો, સમાજવાદી પાર્ટી ઈતિહાસ રચવા તરફ
Ranavav Election Result: રાણાવાવમાં ભાજપને લાગશે ઝટકો, સમાજવાદી પાર્ટી ઈતિહાસ રચવા તરફ
Gujarat Local Body Result Live Updates: જૂનાગઢ મહાનગરપાલિકા પર ભાજપનો કબ્જો
Gujarat Local Body Result Live Updates: જૂનાગઢ મહાનગરપાલિકા પર ભાજપનો કબ્જો
Junagadh Election: જુનાગઢ ન.પા.માં ભાજપને ઝટકો, દિગ્ગજ નેતા ગિરીશ કોટેચાના પુત્ર પાર્થનો પરાજય, વૉર્ડ નં-9માં ભૂંડી હાર
Junagadh Election: જુનાગઢ ન.પા.માં ભાજપને ઝટકો, દિગ્ગજ નેતા ગિરીશ કોટેચાના પુત્ર પાર્થનો પરાજય, વૉર્ડ નં-9માં ભૂંડી હાર
સ્થાનિક સ્વરાજની ચૂંટણી AAP માટે આશાનું કિરણ, સલાયા  નગરપાલિકાની 4 બેઠક પર  આમ આદમી પાર્ટીનો વિજય
સ્થાનિક સ્વરાજની ચૂંટણી AAP માટે આશાનું કિરણ, સલાયા નગરપાલિકાની 4 બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.