Gujarat: નિવૃત શિક્ષકોની ભરતીનો પરિપત્ર શિક્ષણ વિભાગે કર્યો રદ, એબીપી અસ્મિતાના અહેવાલની અસર
શાળાઓમાં નિવૃત શિક્ષકોની ભરતીનો પરિપત્ર રદ કરાયો હતો.

નિવૃત શિક્ષકોની ભરતીનો પરિપત્ર રદ કરવામાં આવ્યો હતો. શિક્ષણ વિભાગના નિર્ણય સામે એબીપી અસ્મિતાના અભિયાનની જોરદાર અસર જોવા મળી હતી. શાળાઓમાં નિવૃત શિક્ષકોની ભરતીનો પરિપત્ર રદ કરાયો હતો. નાયબ શિક્ષણ સચિવે પરિપત્ર રદ કર્યો હતો.

આખરે શિક્ષણ વિભાગે પરિપત્ર રદ કર્યો હતો. શાળામાં નિવૃત શિક્ષકોને કામગીરી સોંપવાનો પરિપત્ર નાયબ શિક્ષણ સચિવે તાત્કાલિક અસરથી રદ કર્યો હતો. એબીપી અસ્મિતાના અહેવાલની જોરદાર અસર જોવા મળી હતી.
પ્રાથમિક-માધ્યમિક અને ઉચ્ચત્તર શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરવા માટે નિવૃત શિક્ષકોની ભરતીનો નિર્ણય શિક્ષણ વિભાગે કર્યો અને તેનો પરિપત્ર પણ જાહેર કરાયો હતો. જો કે આ પરિપત્રનો વિરોધ થઇ રહ્યો હતો. શિક્ષકોના બંને સંગઠનોએ આ નિર્ણયની ટીકા કરી હતી. આખરેલ આ નિર્ણય રદ કરવાની શિક્ષણ વિભાગને ફરજ પડી હતી. કારણ કે અનેક યુવકો સરકારી નોકરીની શોધમાં છે. ખાસ કરીને ટેટ-ટાટ પાસ યુવકોને પણ વય મર્યાદાના કારણે નોકરી મળતી નથી ત્યારે નિવૃત થઈ ચૂકેલા શિક્ષકોને જરુર પડે તો ભરતી કરવાના નિર્ણયથી નારાજગી વધી હતી.
નિવૃત શિક્ષકોની ભરતીનો નિર્ણય રદ્દ કરી ભરતીના નિયમોમાં જરુર પ્રમાણે છૂટછાટ આપવા મુદ્દે સરકારમાં વિચારણા ચાલતી હોવાની જાણકારી મળી હતી. શાળા સંચાલક મંડળે સરકાર સામે નારાજગી દર્શાવી હતી. શાળા સંચાલક મંડળે સરકારને પત્ર લખી રજૂઆત કરી હતી કે નિવૃત્ત શિક્ષકના સ્થાને બેરોજગાર શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ કરી હતી.
નિવૃત શિક્ષકોની ભરતીને લઈને શું હતો પરિપત્ર?
- રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિવૃતિથી ખાલી પડતી જગ્યાઓની ઘટ તાત્કાલિક નિવારવા દર વર્ષે 31 જુલાઈની સ્થિતિએ મંજૂર કરવામાં આવેલ મહેકમ મુજબ શાળામાં ખાલી પડેલ જગ્યાઓ પર વિભાગના તારીખ 11-07-2025ના ઠરાવથી સુધારેલ કાર્ય પદ્ધતિ અનુસરીને જ્ઞાન સહાયકને કામગીરી સોંપેલ હોય ત્યાર પછી જગ્યાઓ ખાલી રહે તો આવી ખાલી રહેતી જગ્યાઓ પર કામચલાઉ વ્યવસ્થાના ભાગરુપે નિવૃત થયેલ સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના નિવૃત શિક્ષકોને શૈક્ષણિક કામગીરી સોંપી શકાશે.
- નિવૃતી બાદ લેવામાં આવતા શિક્ષકોની મહત્તમ વય મર્યાદા 62 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
- શાળામાં બદલીથી કે ભરતીથી કાયમી શિક્ષકની નિમણૂક ન થાય કે જ્ઞાન સહાયકની નિમણૂક ન થાય ત્યા સુધી નિવૃત શિક્ષકોએ કામગીરી કરવાની રહેશે. શૈક્ષણિક વર્ષના અંતે આવા શિક્ષકોને છૂટા કરવાના રહેશે.
- આ કામગીરી માટે નિવૃત માધ્યમિક / ઉચ્ચતર માધ્યમિક શિક્ષકને જ્ઞાન સહાયકને ચૂકવવામાં આવતા માનદ વેતન જેટલું જ વેતન ચૂકવવાનું રહેશે.





















