શોધખોળ કરો

Gandhinagar: છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વીજળી પડતા 24ના મોત, સરકારનો સહાયને લઇને મોટો નિર્ણય

Gandhinagar: કુદરતી આફતમાં થતાં માનવ મૃત્યુના નિયમોનુસાર સરકાર સહાય ચૂકવશે

Gandhinagar:રાજ્યમાં વીજળી પડવાની અલગ અલગ ઘટનામાં 24 કલાકમાં 24 લોકોના મોત થયા છે. સૌથી વધુ દાહોદમાં ચાર  લોકોના મોત થયા હતા. ભરૂચ અને બનાસકાંઠા જિલ્લામાં 3-3, તાપી જિલ્લામાં 2 લોકોના મોત થયા હતા. આ ઉપરાંત અમરેલી, સુરેંદ્રનગર, મહેસાણા, બોટાદ, પંચમહાલ, સાબરકાંઠા, સુરત, દ્વારકા, આણંદ, પાટણ અને અમદાવાદમાં પણ વીજળી પડવાના કારણે એક-એકનું મોત થયું હતું. રાજ્ય સરકારે મૃતકોના પરિવારને 4 લાખની સહાય ચૂકવવાનો નિર્ણય લીધો હતો. કુદરતી આફતમાં થતાં માનવ મૃત્યુના નિયમોનુસાર સરકાર સહાય ચૂકવશે.વીજળી પડવાથી થયેલ પશુઓના મૃત્યુની પણ સરકાર દ્ધારા સહાય ચૂકવવામાં આવશે.  

વીજળીના કારણે મોતને ભેટેલા વ્યક્તિના પરિવારને સરકાર 4 લાખ રૂપિયાની સહાય ચૂકવશે. કુદરતી આફતમાં થતાં માનવ મૃત્યુના નિયમોનુસાર સરકાર સહાય ચૂકવશે. વીજળી પડવાથી પશુના મૃત્યુ બદલ પણ સરકાર સહાય ચૂકવશે.રવિવારે સવારના 6 કલાકથી સોમવાર સવારના 6 કલાક સુધી 24 માનવ મૃત્યુ નોંધાયા હતા.              


છેલ્લા 24 કલાકમાં 23 લોકોને વિવિધ કારણોસર ઇજા પહોંચી હતી. છેલ્લા 24 કલાકમાં કમોસમી વરસાદી વાતાવરણમાં વીજળી પડવાથી 71 પશુઓના મૃત્યુ થયા છે. આણંદના પેટલાકના બાંધણી ગામમાં વીજળી પડતા એક 17 વર્ષીય કિશોરનું મૃત્યું થયું હતું. વીજળી પડતા મયંક બદ્રીનાથ ચૌધરીનું મોત થયું હતું. કિશોર ગઈકાલે ઘરની ઓસરીમાં હતો ત્યારે વીજળી પડી હતી. ગંભીર રીતે ઘવાયેલ કિશોરને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન કિશોરનું મોત થયું હતું. કિશોર મૂળ રાજસ્થાનનો હતો.

દાહોદના દેવગઢ બારીયા તાલુકાના વાંદર ગામે વીજળી પડતા એકનું મોત થયું હતું. ગાજવીજ સાથે ગઈ સાંજે વરસાદ શરૂ થતા ઝાડ નીચે ઉભા રહેલા બાબુભાઈ બારીયા પર વીજળી પડતા ઘટના સ્થળે તેઓનું મોત થયું હતું. પંચમહાલના કાલોલ તાલુકાના ડેરોલ ગામે વીજળી પડતાં દાઝી જતાં ખેડૂત યુવકનુ મોત થયું હતું. ખેતરમાં કામ કરતા સમયે 45 વર્ષનાં યોગેશભાઈ પટેલ નામના યુવક પર વીજળી પડી હતી. વીજળી તૂટી પડતાં યોગેશ કુમાર રમેશભાઈ પટેલ ગંભીર રીતે દાઝી ગયા હતા. સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું.

હવામાન વિભાગના મતે કમોસમી વરસાદને લઈ તાપમાનમાં ચારથી પાંચ ડિગ્રીનો ઘટાડો થશે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે ત્યારે મેઘરાજાએ સમગ્ર ગુજરાતને ઘમરોળી નાંખ્યું હતું. રાજ્યનાં 220 તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. જેમાં 44 તાલુકાઓમાં તો એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો.રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથમાં અનેક સ્થળોએ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. લોધિકામાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gold Price Today: સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gold Price Today: સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
Indigo Crisis: ઇન્ડિગો સંકટનું મુખ્ય કારણ શું છે? ક્યા કારણથી ઠપ્પ થઇ ગઇ સિસ્ટમ?
Indigo Crisis: ઇન્ડિગો સંકટનું મુખ્ય કારણ શું છે? ક્યા કારણથી ઠપ્પ થઇ ગઇ સિસ્ટમ?
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
Embed widget