શોધખોળ કરો

PM Modi Gujarat visit Live Updates: PM મોદીએ 42 હજાર 441 આવાસોનું કર્યું લોકાર્પણ, કહ્યુ- મકાનના લીધે લાભાર્થીઓનો આત્મવિશ્વાસ વધ્યો

તેઓ 11 વાગ્યે પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપશે

LIVE

Key Events
PM Modi Gujarat visit Live Updates: PM મોદીએ 42 હજાર 441 આવાસોનું કર્યું લોકાર્પણ, કહ્યુ- મકાનના લીધે લાભાર્થીઓનો આત્મવિશ્વાસ વધ્યો

Background

ગાંધીનગરઃ વડાપ્રધાન મોદી આજે એક દિવસના ગુજરાત પ્રવાસે આવશે.ગાંધીનગરમાં બપોરે 12 વાગ્યે તેઓ આશરે રૂ. 4400 કરોડના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. બપોરે 3 વાગ્યે વડાપ્રધાન મોદી ગિફ્ટ સિટીની મુલાકાત લેશે. ગાંધીનગરમાં કાર્યક્રમ દરમિયાન રૂ. 2450 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. જેમાં શહેરી વિકાસ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, માર્ગ અને પરિવહન વિભાગ અને ખાણ અને ખનીજ વિભાગના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન મોદી 1946 કરોડના 42 હજારથી વધુ આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. દરમિયાન તેઓ 11 વાગ્યે પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં રૂ.2452 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. 1654 કરોડ રૂપિયાના ખર્ચે શહેરી વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. પાણી પુરવઠાના રૂ.734 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે.

તે સિવાય વડાપ્રધાન મોદી લાભાર્થીઓ સાથે સંવાદ પણ કરશે. સાથે જ 7 લાભાર્થીઓને ઘરની ચાવીનું વિતરણ કરાશે. બાદમાં તેઓ રાજ્યભવનમાં બેઠક કરશે અને બપોરે 3 વાગ્યે વિવિધ કંપનીના CEO અને યુનિવર્સિટીના કુલપતિઓ સાથે મુલાકાત કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે રૂ.2452 કરોડના વિવિધ વિભાગોના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં શહેરી વિકાસ વિભાગના રૂ.1654 કરોડ, વોટર સપ્લાય વિભાગના રૂ.734 કરોડ, માર્ગ અને વાહનવ્યવહાર વિભાગના રૂ.39 કરોડ તેમજ ખાણ અને ખનિજ વિભાગના રૂ.25 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.

શહેરી વિકાસ વિભાગ દ્વારા મહેસાણાના કસ્બામાં 18.46 MLD ક્ષમતાના અને નાગલપુરમાં 23.18 MLD ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (STP) તેમજ અમદાવાદમાં બાપુનગર સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ ખાતે 30 MLD ક્ષમતાના STP તેમજ રાઇઝિંગ મેઇનનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત, દહેગામ ખાતે ઓડિટોરિયમનું લોકાર્પણ તેમજ અમદાવાદમાં એસપી રિંગ રોડ અને મુમદપુરા ક્રોસિંગ પાસે ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે.

આ સાથે જ શહેરી વિકાસ વિભાગ હેઠળ અમદાવાદમાં ગોતા ખાતે તેમજ અમરાઇવાડી ખાતે નવા વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન, ગેલેક્સી સિનેમા જંક્શન, દેવી સિનેમા જંક્શન અને નરોડા પાટિયા જંક્શનને જોડતો ફોર લેન ફ્લાયઓવર બ્રિજ, વાડજ તેમજ સતાધાર જંક્શન ખાતે ફોર લેન ફ્લાયઓવર બ્રિજ, AMCના વિવિધ TP રોડ્સનું રિગાર્ડેશન અને રિસર્ફેસિંગ તેમજ અન્ય વિકાસકાર્યોનું ખાતમુહુર્ત કરવામાં આવશે. પાણી પુરવઠા વિભાગના 734 કરોડના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ હેઠળ પાલડી નવાપુરા સરોડા ધોળકા રોડ પર રૂ.39 કરોડના ખર્ચે તૈયાર થયેલા રિવર ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે, જ્યારે ખાણ અને ખનિજ વિભાગ હેઠળ રૂ.25 કરોડના ખર્ચે નરોડા GIDC ખાતે ડ્રેનેજ કલેક્શન નેટવર્કનું લોકાર્પણ કરવામાં આવશે.

13:37 PM (IST)  •  12 May 2023

'અગાઉની સરકારમાં ઘરના પૈસા ભ્રષ્ટાચારની ભેટ ચઢી જતા હતા'

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે અગાઉની સરકારમાં ઘરના પૈસા ભ્રષ્ટાચારની ભેટ ચઢી જતા હતા. પીએમ આવાસ યોજના હેઠળ બની રહેલા ઘર એક યોજના સુધી સિમિત નથી. પીએમ આવાસ યોજના હેઠળના ઘરમાં અનેક યોજનાઓનો સમાવેશ થાય છે.

13:36 PM (IST)  •  12 May 2023

ગ્રામ્ય વિસ્તારના 12 હજાર આવાસોનુ લોકાર્પણ કરવામાં આવ્યું

ગાંધીનગરમાં આયોજીત અમૃત આવાસોત્સવ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ 1946 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા 42 હજાર 441 આવાસોનું લોકાર્પણ કર્યું હતું. શહેરી વિસ્તારના સાત હજાર 113 આવાસો, ગ્રામ્ય વિસ્તારના 12 હજાર આવાસોનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.

13:34 PM (IST)  •  12 May 2023

'40 લાખ ગરીબ પરિવારોને પોતાનું પાકુ ઘર મળ્યું'

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે લાભાર્થીઓ સુધી પહોંચવા સરકાર ધર્મ કે જાતિ જોતી નથી. 40 લાખ ગરીબ પરિવારોને પોતાનું પાકુ ઘર મળ્યું છે. મકાનને લીધે લાભાર્થીઓનો આત્મવિશ્વાસ વધ્યો છે. જૂની નીતિ પર ચાલીને દેશનું ભાગ્ય ના બદલી શકાય. પહેલાની સરકાર અને અમારી સરકારના કામ કરવામાં ઘણો ફેર છે.  ઘર એક આસ્થાનું સ્થળ હોય છે, જ્યાં સપના આકાર લે છે.

13:32 PM (IST)  •  12 May 2023

અમૃત આવાસોત્સવ કાર્યક્રમનું વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું હતું.

અમૃત આવાસોત્સવ કાર્યક્રમનું વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે દેશનો સતત વિકાસ અમારા માટે મહાયજ્ઞ સમાન છે. ગુજરાતના 25 લાખ લાભાર્થીઓનો આયુષ્યમાન કાર્ડ અપાયા છે. બે લાખ ગર્ભવતી મહિલાઓને પીએમ માતૃ વંદના યોજનાનો લાભ મળ્યો છે. નવી સરકાર બન્યા બાદ ગુજરાતમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થયું છે. ગુજરાતની ડબલ એન્જિન સરકાર ડબલ ગતિથી કામ કરી રહી છે . એક સમયે જીવનની મૂળભૂત જરૂરિયાતો માટે લોકોને તરસાવવામાં આવ્યા છે. એક સમયે દેશના લોકોમાં નિરાશા હતી. પરંતુ હવે લોકો એ નિરાશાથી બહાર નીકળી રહ્યા છે. દેશની સરકાર યોજનાઓથી લોકોના જીવન બદલી રહી છે.

12:31 PM (IST)  •  12 May 2023

'બાળપણના મિત્રોને સીએમ હાઉસ પર બોલાવવાની મારી ઇચ્છા'

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે પરિવારથી બહાર શિક્ષક એ પહેલો વ્યક્તિ હોય છે જેની સાથે તે વધુ સમય વિતાવે છે. અંગ્રેજી માહોલથી ગ્રામ્ય વિસ્તારોના શિક્ષકોની નોકરી ખતરામાં આવી છે.  તેમણે કહ્યું હતું કે બાળપણના મિત્રોને સીએમ હાઉસ પર બોલાવવાની મારી ઇચ્છા છે. આજે પણ મારા શિક્ષકો સાથે હું જીવન સંપર્કમાં છું. મારા બધા જ શિક્ષકોએ મળીને મને ઘણો આનંદ થયો છે. સ્કૂલોના જન્મદિવસ ઉજવીને જૂના શિક્ષકો અને વિદ્યાર્થીઓને બોલાવો છે. દરેક સ્કૂલના સંચાલકોએ સ્કૂલનો જન્મદિવસ ઉજવવો જોઇએ. સરકાર બાળકોના પોષણ પર ખૂબ જ ધ્યાન આપી રહી છે. બાળક ભૂખ્યો જ રહે તે માટે દરેક સમાજે વિચારવું જોઇએ. મીડ ડે મિલથી બાળકમાં દરેક સંસ્કાર જોડાઇ જશે. બદલાવ લાવવાનું કામ શિક્ષણ સારી રીતે કરી શકે છે.

 

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Embed widget