શોધખોળ કરો

Gandhinagar: મંત્રીને મળવા આવતા મુલાકાતીઓ કઈ વસ્તુ સાથે નહીં લઈ જઈ શકે ? જાણો વિગત

પહેલા મુલાકાતીઓ પોતાનો મોબાઈલ લઈને મંત્રી સાથે મુલાકાત કરી શકતા હતા. કોઈ પણ પ્રકારનું રેકોર્ડિંગ ન થાય તે માટે મુલાકાતીઓને મુલાકાત દરમિયાન ફોન બહાર મુકવાવની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે

Gandhinagar: ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલમાં મંત્રીઓને મળવા મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવતા હોય છે. મંત્રીને મળવા આવતા મુલાકાતીઓના મોબાઈલ પર પ્રતિબંધ મુકવામાં આવી શકે છે. જેથી હવે મુલાકાતીઓએ મંત્રીઓની મુલાકાત પહેલા મોબાઈલ બહાર મૂકવો પડશે. સોમવાર અને મંગળવાર દરમિયાન મોટી સંખ્યામાં લોકો મંત્રીઓને મળવા માટે આવતા હોય છે. પહેલા મુલાકાતીઓ પોતાનો મોબાઈલ લઈને મંત્રી સાથે મુલાકાત કરી શકતા હતા. કોઈ પણ પ્રકારનું રેકોર્ડિંગ ન થાય તે માટે મુલાકાતીઓને મુલાકાત દરમિયાન ફોન બહાર મુકવાવની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. આગામી સમયમાં આ નિયમનો અમલવારી કેવી રીતે કરવી તેની વિચારણા ચાલી રહી છે.

કોવિડ ટાસ્ક ફોર્સ કમિટિના સભ્યએ શું કહ્યું ?

કોરોનાને લઈને ડરવાની નહીં પણ સતર્ક રહેવાની તબીબે સલાહ આપી છે... કોરોનાના નવા વેરિયન્ટ અંગે એબીપી અસ્મિતાએ કોવિડ ટાસ્ક ફોર્સ કમિટિના સભ્ય અને કાર્ડિયાક તથા પલમોનોલોજીસ્ટ ડૉ. પાર્થિવ મહેતા સાથે વાતચીત કરી. ડૉ. પાર્થિવ મહેતાએ કહ્યું કે વાયરસ સતત પોતાનું રૂપ બદલી રહ્યો છે અને વાતાવરણ વાયરસ પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે. આપણી પાસે જીનોમ સિક્વન્સીંગ એડવાન્સ છે અને ડેટા પણ વધારે છે. 90 ટકા લોકો વેક્સિનેટ થયેલા છે અથવા એન્ટી બોડી ડેવલપ થઈ ચૂકી છે. જોકે હેન્ડ વૉશ, માસ્ક અને સોશલ ડિસ્ટંસ જાળવવું જરૂરી હોવા પર ભાર મૂક્યો હતો. ભારત અને ગુજરાતમાં ઓમિક્રોનની લહેર આવી હતી એ હવે ચીનમાં જોવા મળી રહી છે... તો તબીબે હાલના સમયમાં વેક્સિનનો બુસ્ટર ડોઝને હિતાવહ ગણાવ્યો.

કોરોનાની આશંકા વચ્ચે રાજ્યની હોસ્પિટલો સજ્જ, અમદાવાદ, રાજકોટ, સુરત સિવિલમાં શરૂ કરાયા કોવિડ વોર્ડ

ફરી એકવાર કોરોના સંક્રમણની આશંકા વચ્ચે રાજ્યની હોસ્પિટલો સજ્જ થઈ રહી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં અત્યારથી જ કોવિડ વૉર્ડ કાર્યરત કરી દેવાયો છે. હાલ પ્રાથમિક તબક્કામાં 56 બેડનો કૉવિડ વૉર્ડ તૈયાર કરાયો છે. જે પૈકી શંકાસ્પદ અને પોઝિટિવ દર્દી માટે 20-20 બેડ જ્યારે 16 ICU બેડ કાર્યરત કરાયા છે. હાલ કોરોના સંક્રમણ નિયંત્રણમાં છે. જોકે સાવચેતીના ભાગરૂપે પ્રશાસને કોવિડ વૉર્ડ ઉપરાંત જરૂરી દવાઓનો સ્ટોક કરી લેવાયો છે, તો હોસ્પિટલ સ્ટાફને સ્ટેન્ડ બાય રહેવાના આદેશ કરી દેવાયા છે. આ તરફ વડોદરા મહાપાલિકાનું આરોગ્ય વિભાગ એકશનમાં આવ્યું. શહેરની ગોત્રી ખાતે આવેલી GMERS હોસ્પિટલમાં 10 બેડનો કૉવિડ વૉર્ડ કાર્યરત કરી દેવાયો તો આવનારા દિવસોમાં 70થી 100 બેડનો કૉવિડ વૉર્ડ શરૂ કરાશે.... આ ઉપરાંત ગોત્રી હોસ્પિટલ્સ ખાતે 10 ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરાયા છે.જે પૈકી આઠ પ્લાન્ટ કાર્યરત છે, જ્યારે બે પ્લાન્ટ મેઈન્ટેનન્સ હેઠળ છે. હાલ આરોગ્ય વિભાગે ગોત્રી હોસ્પિટલ અને સયાજી હોસ્પિટલમાં કોવિડના ટેસ્ટિંગ અને બુસ્ટર ડોઝ આપવાની કામગીરી પણ શરૂ કરી દીધી છે. ભાવનગર મહાપાલિકાના કમિશનર વી.એન. ઉપાધ્યાય અને સિવિલ સર્જન બ્રહ્મભટ્ટ આજે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. જ્યાં સિવિલ હોસ્પિટલમાં ઉભા કરાયેલા ઓક્સિજન પ્લાન્ટની પણ મુલાકાત કરી. ભાવનગર સિવિલમાં દર મિનિટે 2 હજાર લીટર ઓક્સિજન ઉત્પન્ન કરતો ઓક્સિજન પ્લાન્ટ છે તો દૈનિક કોરોના ટેસ્ટિંગની સંખ્યા 500થી વધારીને 1 હજાર કરવાની સૂચના આપી છે. કોરોનાના સંક્રમણની ભીતિ વચ્ચે બનાસકાંઠામાં જિલ્લામાં બેદરકારી સામે આવી. વડગામ તાલુકાના છાપીમાં આવેલો સૌથી મોટો ઓક્સિજન પ્લાન્ટ બંધ હાલતમાં જોવા મળ્યો. ઓક્સિજન પ્લાન્ટ આસપાસ હાલ ઘાસચારો ઉગી નીકળ્યો છે...જોકે રાહતના સમાચાર એ પણ છે કે વડગામ સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલો ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત જોવા મળ્યો.

 કોરોનાના નવા વેરિયંટની દહેશત વચ્ચે સુરત મહાપાલિકાનું પ્રશાસન સફાળુ જાગ્યું. સુરત મનપાના રાંદેર ઝોનમાં ડેપ્યુટી કમિશનર આશિષ નાયકની ઉપસ્થિતિમાં આરોગ્ય વિભાગ તથા નિષ્ણાંત તબીબોની બેઠક બોલાવાઈ. જેમાં અડાજણ, પાલ, વેસુ અને પાંડેસરામાં 50-50 બેડની ચાર હોસ્પિટલ શરૂ કરવામાં આવી. તો હોસ્પિટલમાં ઓક્સિજન બેડ, જરૂરી દવા અને ઈંજેકશનનો જથ્થો ઉપલબ્ધ કરવાના પણ આદેશ અપાયા, તો આરોગ્ય વિભાગને ફરીથી કોરોના ટેસ્ટિંગ પર ભાર મૂકવા તાકિદ કરવામાં આવી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Lok Sabha Speech: ગરીબોને ખોટા નારા નહીં, વાસ્તવિક વિકાસ આપ્યો- લોકસભામાં બોલ્યા PM મોદી
PM Modi Lok Sabha Speech: ગરીબોને ખોટા નારા નહીં, વાસ્તવિક વિકાસ આપ્યો- લોકસભામાં બોલ્યા PM મોદી
ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનતા જ અમેરિકા એક્શનમાં, 205 ગેરકાયદેસર પ્રવાસીઓને લઈ કાલે અમૃતસર પહોંચશે મિલિટ્રી પ્લેન 
ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનતા જ અમેરિકા એક્શનમાં, 205 ગેરકાયદેસર પ્રવાસીઓને લઈ કાલે અમૃતસર પહોંચશે મિલિટ્રી પ્લેન 
દિલ્હીમાં મતદાનના થોડા કલાકો પહેલા આ દિગ્ગજ નેતા AAP માં સામેલ, 42 વર્ષ બાદ છોડ્યો BJPનો સાથ 
દિલ્હીમાં મતદાનના થોડા કલાકો પહેલા આ દિગ્ગજ નેતા AAP માં સામેલ, 42 વર્ષ બાદ છોડ્યો BJPનો સાથ 
UCC મુદ્દે ગુજરાત સરકારે કરી કમિટીની રચના, 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે રિપોર્ટ
UCC મુદ્દે ગુજરાત સરકારે કરી કમિટીની રચના, 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે રિપોર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat news: સુરતના કાપોદ્રામાં તબીબને માર મારવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ.Sthanik Swaraj Election: ચૂંટણી પહેલા જ હાલોલ નગરપાલિકા ભાજપે જીતી લીધીHun To Bolish : હું તો બોલીશ : પાલિકાઓમાં કોનો દમ?Hun To Bolish : હું તો બોલીશ : સમાનતા પર સંગ્રામ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Lok Sabha Speech: ગરીબોને ખોટા નારા નહીં, વાસ્તવિક વિકાસ આપ્યો- લોકસભામાં બોલ્યા PM મોદી
PM Modi Lok Sabha Speech: ગરીબોને ખોટા નારા નહીં, વાસ્તવિક વિકાસ આપ્યો- લોકસભામાં બોલ્યા PM મોદી
ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનતા જ અમેરિકા એક્શનમાં, 205 ગેરકાયદેસર પ્રવાસીઓને લઈ કાલે અમૃતસર પહોંચશે મિલિટ્રી પ્લેન 
ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનતા જ અમેરિકા એક્શનમાં, 205 ગેરકાયદેસર પ્રવાસીઓને લઈ કાલે અમૃતસર પહોંચશે મિલિટ્રી પ્લેન 
દિલ્હીમાં મતદાનના થોડા કલાકો પહેલા આ દિગ્ગજ નેતા AAP માં સામેલ, 42 વર્ષ બાદ છોડ્યો BJPનો સાથ 
દિલ્હીમાં મતદાનના થોડા કલાકો પહેલા આ દિગ્ગજ નેતા AAP માં સામેલ, 42 વર્ષ બાદ છોડ્યો BJPનો સાથ 
UCC મુદ્દે ગુજરાત સરકારે કરી કમિટીની રચના, 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે રિપોર્ટ
UCC મુદ્દે ગુજરાત સરકારે કરી કમિટીની રચના, 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે રિપોર્ટ
PM મોદી પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ 
PM મોદી પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ 
ચૂંટણી પહેલા જ 215 બેઠક પર ભાજપ બિનહરીફ, ભચાઉ, જાફરાબાદ અને હાલોલ પાલિકામાં ભાજપનું શાસન
ચૂંટણી પહેલા જ 215 બેઠક પર ભાજપ બિનહરીફ, ભચાઉ, જાફરાબાદ અને હાલોલ પાલિકામાં ભાજપનું શાસન
PM મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું, બોલ્યા- કેટલાક નેતાઓને ગરીબોની વાત કંટાળાજનક લાગશે  
PM મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું, બોલ્યા- કેટલાક નેતાઓને ગરીબોની વાત કંટાળાજનક લાગશે  
ગુજરાતમાં કેન્સરના દર્દીઓ માટે PMJAY-MA યોજના વરદાન, છેલ્લા 6 વર્ષોમાં 2 લાખથી વધુ દર્દીઓને મળી નિ:શુલ્ક સારવાર
ગુજરાતમાં કેન્સરના દર્દીઓ માટે PMJAY-MA યોજના વરદાન, છેલ્લા 6 વર્ષોમાં 2 લાખથી વધુ દર્દીઓને મળી નિ:શુલ્ક સારવાર
Embed widget