શોધખોળ કરો

ખેડૂતો આનંદોઃ ગુજરાત સરકારે બાકી રહેલા 9 જિલ્લા માટે રાહત પેકેજ-2ની કરી જાહેરાત

ગુજરાતની ભાજપ સરકારે  બાકી રહેલા 8 જિલ્લાઓ માટે રાહત પેકેજ-2ની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે 4.30 વાગ્યે પ્રેસ કોન્ફ્રન્સમાં આ જાહેરાત કરી હતી. 

ગાંધીનગરઃ અતિવૃષ્ટિના કારણે પાક નુકશાનીના મામલો સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતની ભાજપ સરકારે  બાકી રહેલા 8 જિલ્લાઓ માટે રાહત પેકેજ-2ની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે 4.30 વાગ્યે પ્રેસ કોન્ફ્રન્સમાં આ જાહેરાત કરી હતી. ગુજરાતના વધુ 9 જિલ્લાના પાંચ લાખ ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, ભારે વરસાદના કારણે ખેડૂતો ને જે નુકશાની થયેલ છે. તેના માટે 9 જિલ્લાના 36 તાલુકા 1530 ગામના 7.65 લાખ હેકટર વિસ્તારમાં પાક નુકશાનનું વળતર આપવાની જાહેરાત કરી છે. અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ભરુચ, છોટા ઉદેપુર, પંચમહાલ અને વડોદરાના ખેડૂતો માટે 531 કરોડ રૂપિયાનું સહાય પેકેજ સરકારે જાહેર કર્યું છે. હેકટર દીઠ 6800 રૂપિયા આપવામાં આવશે. એસડીઆરએફના નિયમ પ્રમાણે જે સહાય મળવા પાત્ર છે તે મળશે. 6 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર સુધી અરજીઓ સ્વીકારવામાં આવશે.

અગાઉ, ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલે સૌરાષ્ટ્રના ચાર જિલ્લાના ખેડૂતોના ખાતામાં અતિવૃષ્ટિ માટેનું રાહત પેકેજ જમા કરાવવાનું શરૂ કરી દીધું હોવાની જાહેરાત પત્રકાર પરીષદમાં કરી હતી. તેમણે કહ્યું હતું કે, સૌરાષ્ટ્રના ચાર જિલ્લાના ખેડૂતોને પાક નુકસાન માટેના જાહેર કરેલા રાહત પેકેજ 587 કરોડનું અમલીકરણ થઈ રહ્યું છે. 155 કરોડ રૂપિયા ખેડૂતોને સીધા ખાતામાં અપાઈ ચૂક્યા છે. 

જોકે, ચાર જિલ્લા સિવાય અન્ય જિલ્લાનો સર્વે પૂરો થયાનો રાઘવજી પટેલે દાવો કર્યો હતો. સર્વેનો રિપોર્ટ આવ્યા પછી રાહત પેકેજ મુદ્દે નાણા મંત્રાલાય નિર્ણય કરશે, તેમ તેમણે જણાવ્યું હતું. જોકે, અતિવૃષ્ટિ મુદ્દે રાહત પૂરુ પેકેજ જાહેર કરવાના સરકારના દાવા પોકળ સાબિત થયા છે. આઠ જિલ્લામાં રાહત આપવાની માંગણી કરવામાં આવી હતી. 

અગાઉ, ગુજરાતની ભુપેંદ્ર પટેલ સરકારે અતિવૃષ્ટિથી થયેલા નુકસાનને લઈ ખેડૂતો માટે કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું હતું. સૌરાષ્ટ્રના 4 જિલ્લા રાજકોટ, જામનગર, જૂનાગઢ અને પોરબંદરના ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કરાયું હતું. જેમાં જામનગર જિલ્લાના 320 ગામ, રાજકોટ જિલ્લાના 156 ગામ, જૂનાગઢ જિલ્લાના 135 ગામ અને પોરબંદર જિલ્લાના 71 ગામ મળી કુલ  682 ગામના ખેડૂતોને સહાયની જાહેરાત કરવામાં આવી હતી

જોકે સરકાર દ્વારા 4 જિલ્લાના ખેડૂતો માટે જ સહાયની જાહેરાત કરતા અન્ય જિલ્લાના ખેડૂતો નારાજ થયા હતા. પ્રતિ હેક્ટર 13 હજાર રૂપિયા સહાય ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી. વધુમાં વધુ 2 હેક્ટર નુકસાનીમાં સહાય આપવાની જાહેરાત કરાઈ હતી. 33 ટકા કરતાં વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોને જ સહાય અપાશે, તેમ પણ કહેવાયું હતું. ઓછામાં ઓછી 5 હજાર સહાય ચૂકવાશે. SDRFના ધોરણ કરતાં વધારાની રકમ રાજ્ય સરકાર બજેટમાંથી આપશે.

સહાય મેળવવા માટે ખેડૂતોએ 25 ઓક્ટોબરથી 20 નવેમ્બર દરમિયાન ઓનલાઈન અરજી કરવાની હતી. સહાયની રકમ ખેડૂત ખાતેદારના બેંક ખાતામાં સીધી જમા થશે, તેમ જાહેરાત કરવામાં આવી હતી.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Republic Day 2026: ગણતંત્ર દિવસે આતંકી હુમલાના પ્લાનિંગનો પર્દાફાશ, રામ મંદિર, દિલ્લી ટારગેટ પર, એલર્ટ જાહેર
Republic Day 2026: ગણતંત્ર દિવસે આતંકી હુમલાના પ્લાનિંગનો પર્દાફાશ, રામ મંદિર, દિલ્લી ટારગેટ પર, એલર્ટ જાહેર
Trump Tariff:ગ્રીનલેન્ડ પર ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો યુ-ટર્ન, અમેરિકા હવે યુરોપિયન દેશો પર નહિ લગાવે ટેરિફ
Trump Tariff:ગ્રીનલેન્ડ પર ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો યુ-ટર્ન, અમેરિકા હવે યુરોપિયન દેશો પર નહિ લગાવે ટેરિફ
IND vs NZ: ભારતે કિવીઓને કચડી નાખ્યા! ઐતિહાસિક સ્કોર ખડકીને 48 રને જીતી પ્રથમ T20
IND vs NZ: ભારતે કિવીઓને કચડી નાખ્યા! ઐતિહાસિક સ્કોર ખડકીને 48 રને જીતી પ્રથમ T20
PM Modi માટે ખૂબ માન છે, જલ્દી થશે મોટી ટ્રેડ ડીલ: ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
PM Modi માટે ખૂબ માન છે, જલ્દી થશે મોટી ટ્રેડ ડીલ: ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કરોડોની ધૂણધાણી
Jayraj Mayabhai Ahir : બગદાણા વિવાદમાં માયાભાઈનો પુત્ર જયરાજ પોલીસ સમક્ષ થયો હાજર
Asaram Ashram : અમદાવાદમાં આસારામ આશ્રમનું થઈ શકે ડિમોલિશન, ઇમ્પેક્ટ ફીની અરજી નામંજૂર
Hun To Bolish : હું તો બોલીશ : 'ટાંકીકાંડ'માં ખેલ નહીં ચાલે
Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયાનો રોડ !

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Republic Day 2026: ગણતંત્ર દિવસે આતંકી હુમલાના પ્લાનિંગનો પર્દાફાશ, રામ મંદિર, દિલ્લી ટારગેટ પર, એલર્ટ જાહેર
Republic Day 2026: ગણતંત્ર દિવસે આતંકી હુમલાના પ્લાનિંગનો પર્દાફાશ, રામ મંદિર, દિલ્લી ટારગેટ પર, એલર્ટ જાહેર
Trump Tariff:ગ્રીનલેન્ડ પર ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો યુ-ટર્ન, અમેરિકા હવે યુરોપિયન દેશો પર નહિ લગાવે ટેરિફ
Trump Tariff:ગ્રીનલેન્ડ પર ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો યુ-ટર્ન, અમેરિકા હવે યુરોપિયન દેશો પર નહિ લગાવે ટેરિફ
IND vs NZ: ભારતે કિવીઓને કચડી નાખ્યા! ઐતિહાસિક સ્કોર ખડકીને 48 રને જીતી પ્રથમ T20
IND vs NZ: ભારતે કિવીઓને કચડી નાખ્યા! ઐતિહાસિક સ્કોર ખડકીને 48 રને જીતી પ્રથમ T20
PM Modi માટે ખૂબ માન છે, જલ્દી થશે મોટી ટ્રેડ ડીલ: ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
PM Modi માટે ખૂબ માન છે, જલ્દી થશે મોટી ટ્રેડ ડીલ: ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
US-EU Deal: ટ્રમ્પને મોટો ઝટકો! ગ્રીનલેન્ડ વિવાદને લીધે 27 દેશોએ અમેરિકા સાથેનો કરાર તોડ્યો
US-EU Deal: ટ્રમ્પને મોટો ઝટકો! ગ્રીનલેન્ડ વિવાદને લીધે 27 દેશોએ અમેરિકા સાથેનો કરાર તોડ્યો
IND vs NZ: 6,6,6,6,4,4,4,4... અભિષેક શર્માનું તોફાન! ગુરુ યુવરાજને પછાડી બનાવ્યો નવો 'સિક્સર રેકોર્ડ'
IND vs NZ: 6,6,6,6,4,4,4,4... અભિષેક શર્માનું તોફાન! ગુરુ યુવરાજને પછાડી બનાવ્યો નવો 'સિક્સર રેકોર્ડ'
'ગેરકાયદે ખનન પર્યાવરણ જ નહીં, ભવિષ્યની પેઢી માટે ગંભીર ખતરો', અરવલ્લી પર્વતમાળાને લઈ સુપ્રીમ કોર્ટેની ટિપ્પણી  
'ગેરકાયદે ખનન પર્યાવરણ જ નહીં, ભવિષ્યની પેઢી માટે ગંભીર ખતરો', અરવલ્લી પર્વતમાળાને લઈ સુપ્રીમ કોર્ટેની ટિપ્પણી  
ભારતમાં મેચ રમવી છે કે નહીં? ICC એ બાંગ્લાદેશને આપ્યું અલ્ટીમેટમ, 24 કલાકમાં જવાબ નહીં મળે તો....
ભારતમાં મેચ રમવી છે કે નહીં? ICC એ બાંગ્લાદેશને આપ્યું અલ્ટીમેટમ, 24 કલાકમાં જવાબ નહીં મળે તો....
Embed widget