શોધખોળ કરો

ગુજરાતના મંત્રીમંડળને કોરોનાનું ગ્રહણ, કયા બે મંત્રીને હોસ્પિટલમાં કરવા પડ્યા દાખલ? જાણો વિગત

કૃષિ મંત્રી રાઘવજી પટેલ તથા મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને યુ એન મહેતામાં દાખલ કરવામાં આવ્યા છે. કોરોનાની સારવાર અર્થે બન્ને સિનિયર નેતાને દાખલ કરવામાં આવ્યા છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે ગુજરાત સરકારના મંત્રી મંડળને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. કેટલાક મંત્રીઓ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. જેમાંથી બે મંત્રીઓને તો હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલ તથા મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને યુ એન મહેતામાં દાખલ કરવામાં આવ્યા છે. 

કોરોનાની સારવાર અર્થે બન્ને સિનિયર નેતાને દાખલ કરવામાં આવ્યા છે. કોરોના સંક્રમિત થતા બન્ને નેતાઓને અમદાવાદ યુ એન મહેતામાં દાખલ કરવામાં આવ્યા છે. સિનિયર ડોકટરની દેખરેખમાં બન્ને સિનિયર નેતાઓની હાલ સારવાર ચાલી રહી છે. બંને તબિયત સારી છે પરંતુ સાવધાનીના ભાગ રૂપે હોસ્પિટલાઇઝ થયા છે. કૃષિમંત્રી રાઘવજી પટેલ ગત રવિવારે કોરોના સંક્રમિત થયા હતા. સંક્રમિત થયા બાદ તેવો ધ્રોલ નિવાસ સ્થાને હોમઆઈસોલેટ હતા. આજે સવારે રાઘવજી પટેલેને અમદાવાદ યુ એન મહેતા હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા  છે. વિશેષ કાળજી અને સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા છે. તેમના પુત્ર જયેન્દ્ર પટેલે તબિયત સારી હોવાનું જણાવ્યું છે. 

નોંધનીય છે કે, અત્યાર સુધીમાં ગુજરાત સરકારના મંત્રી નિમિષા સુથાર, હર્ષ સંઘવી, આર.સી. મકવાણા, બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. કોંગ્રેસના પણ કેટલાક ધારાસભ્યો કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. જેમાં અનિલ જોશીયારા, વિક્રમ માડમ, પ્રતાપ દૂધાતનો સમાવેશ થાય છે. 

ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 14,781 કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસોનો આંકડો 1,28,192 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 309 લોકો વેન્ટીલેટર પર છે. 1,27,883 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 9,69,234 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10323 લોકોના મોત થયા છે. 

બીજી તરફ 20,829  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 9,69,234 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 87.50 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  21 મોત થયા. આજે 2,17,441 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 5248, વડોદરા કોર્પોરેશનમાં 2412, સુરત કોર્પોરેશનમાં 834,   રાજકોટ કોર્પોરેશનમાં 944, વડોદરામાં 604, ગાંધીનગર કોર્પોરેશનમાં 544, મહેસાણામાં 403, સુરતમાં 394, કચ્છમાં 312, રાજકોટમાં 291, આણંદમાં 245, ભાવનગર કોર્પોરેશનમાં 233, પાટણમાં 230, ગાંધીનગરમાં 202, જામનગર કોર્પોરેશનમાં 201, ખેડામાં 200, ભરૂચમાં 158, સાબરકાંઠામાં 142, બનાસકાંઠામાં, 136, નવસારીમાં 132, મોરબીમાં 125, વલસાડમાં 117, અમરેલીમાં 95, અમદાવાદમાં 77, સુરેન્દ્રનગરમાં 64, પંચમહાલમાં 63, જામનગરમાં 44, જૂનાગઢમાં 42, પોરબંદરમાં 42, દાહોદમાં 39, જૂનાગઢ કોર્પોરેશનમાં 38, દેવભૂમિ દ્વારકામાં 35, તાપીમાં 33, ગીર સોમનાથમાં 28, ભાવનગરમાં 26, ડાંગમાં 17, છોટા ઉદેપુરમાં 9, નર્મદામાં 8, અરવલ્લીમાં 7, મહીસાગરમાં 4, બોટાદમાં 3 નવા કેસ નોંધાયા હતા.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 1,28,192 કેસ છે. જે પૈકી 309  વેન્ટીલેટર પર છે, જ્યારે 1,27,883 નાગરિકો સ્ટેબલ છે. 9,69,234 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10,323 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે 21 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 9, વડોદરા  કોર્પોરેશનમાં 1,  સુરત કોર્પોરેશન 3, રાજકોટ કોર્પોરેશનમાં 1, વડોદરા 1, સુરત 2, જામનગર કોર્પોરેશનમાં એક, વલસાડમાં બે, અને જામનગરમાં એક દર્દીનું મોત થયું છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 

Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

કંબોડિયા પર છ ફાઈટર જેટથી થાઈલેન્ડનો હવાઈ હુમલો, એક નાગરિકનું મોત
કંબોડિયા પર છ ફાઈટર જેટથી થાઈલેન્ડનો હવાઈ હુમલો, એક નાગરિકનું મોત
તહેવારો અગાઉ અંત્યોદય અને BPL પરિવારો માટે રાજ્ય સરકારનો નિર્ણય, વધારાની ખાંડ, તેલનું રાહત દરે કરાશે વિતરણ
તહેવારો અગાઉ અંત્યોદય અને BPL પરિવારો માટે રાજ્ય સરકારનો નિર્ણય, વધારાની ખાંડ, તેલનું રાહત દરે કરાશે વિતરણ
રાજકોટના જસદણના નાયબ કલેક્ટરના પરિપત્રથી વિવાદ, શિક્ષકોને ડાયરા, મેળા, VVIPના ભોજનની જવાબદારી સોંપાઈ
રાજકોટના જસદણના નાયબ કલેક્ટરના પરિપત્રથી વિવાદ, શિક્ષકોને ડાયરા, મેળા, VVIPના ભોજનની જવાબદારી સોંપાઈ
ટેકઓફ બાદ હવામાં જ ગાયબ થઈ ગયું 50 યાત્રીઓ ભરેલુ વિમાન, સમગ્ર વિશ્વમાં મચ્યો હડકંપ
ટેકઓફ બાદ હવામાં જ ગાયબ થઈ ગયું 50 યાત્રીઓ ભરેલુ વિમાન, સમગ્ર વિશ્વમાં મચ્યો હડકંપ
Advertisement

વિડિઓઝ

Ahmedabad: મેટ્રોના મુસાફરો માટે ગુડ ન્યૂઝ, આ રૂટ પર દર 7 મીનિટે મળશે મેટ્રો
Rajkot News: નાયબ કલેક્ટરનું તઘલખી ફરમાન, શ્રાવણ માસ દરમિયાન 4 શિક્ષકોને સ્થળ પર હાજર રહેવા હુકમ
Rajkot-Morbi:રાજકોટ-મોરબી હાઈવે પર રખડતા ઢોરોનું સામ્રાજ્ય, જુઓ રિયાલિટી ચેક
Gujarat ATS In Action: આતંકવાદ પર ATSની સ્ટ્રાઈક, આરોપીઓ કરતા હતા આવા કામ; જુઓ વીડિયોમાં
Hun To Bolish: હું તો બોલીશ : શાબાશ શકુબેન !
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કંબોડિયા પર છ ફાઈટર જેટથી થાઈલેન્ડનો હવાઈ હુમલો, એક નાગરિકનું મોત
કંબોડિયા પર છ ફાઈટર જેટથી થાઈલેન્ડનો હવાઈ હુમલો, એક નાગરિકનું મોત
તહેવારો અગાઉ અંત્યોદય અને BPL પરિવારો માટે રાજ્ય સરકારનો નિર્ણય, વધારાની ખાંડ, તેલનું રાહત દરે કરાશે વિતરણ
તહેવારો અગાઉ અંત્યોદય અને BPL પરિવારો માટે રાજ્ય સરકારનો નિર્ણય, વધારાની ખાંડ, તેલનું રાહત દરે કરાશે વિતરણ
રાજકોટના જસદણના નાયબ કલેક્ટરના પરિપત્રથી વિવાદ, શિક્ષકોને ડાયરા, મેળા, VVIPના ભોજનની જવાબદારી સોંપાઈ
રાજકોટના જસદણના નાયબ કલેક્ટરના પરિપત્રથી વિવાદ, શિક્ષકોને ડાયરા, મેળા, VVIPના ભોજનની જવાબદારી સોંપાઈ
ટેકઓફ બાદ હવામાં જ ગાયબ થઈ ગયું 50 યાત્રીઓ ભરેલુ વિમાન, સમગ્ર વિશ્વમાં મચ્યો હડકંપ
ટેકઓફ બાદ હવામાં જ ગાયબ થઈ ગયું 50 યાત્રીઓ ભરેલુ વિમાન, સમગ્ર વિશ્વમાં મચ્યો હડકંપ
સરકારને કરી ઇગ્નૉર, વિપક્ષ સાથે વધારી દોસ્તી ? પછી આપ્યું રાજીનામું, ધનખડના ઉપરાષ્ટ્રપતિ પદ છોડવાની ઇનસાઇડ સ્ટૉરી
સરકારને કરી ઇગ્નૉર, વિપક્ષ સાથે વધારી દોસ્તી ? પછી આપ્યું રાજીનામું, ધનખડના ઉપરાષ્ટ્રપતિ પદ છોડવાની ઇનસાઇડ સ્ટૉરી
UK: બ્રિટિશ PMએ ભારત સાથે FTAને ગણાવી ઐતિહાસિક જીત, PM મોદી સાથે કરશે દ્ધિપક્ષીય બેઠક
UK: બ્રિટિશ PMએ ભારત સાથે FTAને ગણાવી ઐતિહાસિક જીત, PM મોદી સાથે કરશે દ્ધિપક્ષીય બેઠક
Railway: રેલવે મંત્રાલયે ઈમરજન્સી ક્વોટાના નિયમોમા કર્યો ફેરફાર, સામાન્ય મુસાફરોને મળશે રાહત
Railway: રેલવે મંત્રાલયે ઈમરજન્સી ક્વોટાના નિયમોમા કર્યો ફેરફાર, સામાન્ય મુસાફરોને મળશે રાહત
ભારત અને ચીનમાં કામ કરતી પોતાની કંપનીઓને ધમકી આપી રહ્યા છે ટ્રમ્પ, અમેરિકન ટેક કંપનીઓને આપ્યું અલ્ટીમેટમ
ભારત અને ચીનમાં કામ કરતી પોતાની કંપનીઓને ધમકી આપી રહ્યા છે ટ્રમ્પ, અમેરિકન ટેક કંપનીઓને આપ્યું અલ્ટીમેટમ
Embed widget