શોધખોળ કરો

ગુજરાતના મંત્રીમંડળને કોરોનાનું ગ્રહણ, કયા બે મંત્રીને હોસ્પિટલમાં કરવા પડ્યા દાખલ? જાણો વિગત

કૃષિ મંત્રી રાઘવજી પટેલ તથા મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને યુ એન મહેતામાં દાખલ કરવામાં આવ્યા છે. કોરોનાની સારવાર અર્થે બન્ને સિનિયર નેતાને દાખલ કરવામાં આવ્યા છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે ગુજરાત સરકારના મંત્રી મંડળને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. કેટલાક મંત્રીઓ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. જેમાંથી બે મંત્રીઓને તો હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલ તથા મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને યુ એન મહેતામાં દાખલ કરવામાં આવ્યા છે. 

કોરોનાની સારવાર અર્થે બન્ને સિનિયર નેતાને દાખલ કરવામાં આવ્યા છે. કોરોના સંક્રમિત થતા બન્ને નેતાઓને અમદાવાદ યુ એન મહેતામાં દાખલ કરવામાં આવ્યા છે. સિનિયર ડોકટરની દેખરેખમાં બન્ને સિનિયર નેતાઓની હાલ સારવાર ચાલી રહી છે. બંને તબિયત સારી છે પરંતુ સાવધાનીના ભાગ રૂપે હોસ્પિટલાઇઝ થયા છે. કૃષિમંત્રી રાઘવજી પટેલ ગત રવિવારે કોરોના સંક્રમિત થયા હતા. સંક્રમિત થયા બાદ તેવો ધ્રોલ નિવાસ સ્થાને હોમઆઈસોલેટ હતા. આજે સવારે રાઘવજી પટેલેને અમદાવાદ યુ એન મહેતા હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા  છે. વિશેષ કાળજી અને સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા છે. તેમના પુત્ર જયેન્દ્ર પટેલે તબિયત સારી હોવાનું જણાવ્યું છે. 

નોંધનીય છે કે, અત્યાર સુધીમાં ગુજરાત સરકારના મંત્રી નિમિષા સુથાર, હર્ષ સંઘવી, આર.સી. મકવાણા, બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. કોંગ્રેસના પણ કેટલાક ધારાસભ્યો કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. જેમાં અનિલ જોશીયારા, વિક્રમ માડમ, પ્રતાપ દૂધાતનો સમાવેશ થાય છે. 

ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 14,781 કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસોનો આંકડો 1,28,192 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 309 લોકો વેન્ટીલેટર પર છે. 1,27,883 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 9,69,234 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10323 લોકોના મોત થયા છે. 

બીજી તરફ 20,829  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 9,69,234 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 87.50 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  21 મોત થયા. આજે 2,17,441 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 5248, વડોદરા કોર્પોરેશનમાં 2412, સુરત કોર્પોરેશનમાં 834,   રાજકોટ કોર્પોરેશનમાં 944, વડોદરામાં 604, ગાંધીનગર કોર્પોરેશનમાં 544, મહેસાણામાં 403, સુરતમાં 394, કચ્છમાં 312, રાજકોટમાં 291, આણંદમાં 245, ભાવનગર કોર્પોરેશનમાં 233, પાટણમાં 230, ગાંધીનગરમાં 202, જામનગર કોર્પોરેશનમાં 201, ખેડામાં 200, ભરૂચમાં 158, સાબરકાંઠામાં 142, બનાસકાંઠામાં, 136, નવસારીમાં 132, મોરબીમાં 125, વલસાડમાં 117, અમરેલીમાં 95, અમદાવાદમાં 77, સુરેન્દ્રનગરમાં 64, પંચમહાલમાં 63, જામનગરમાં 44, જૂનાગઢમાં 42, પોરબંદરમાં 42, દાહોદમાં 39, જૂનાગઢ કોર્પોરેશનમાં 38, દેવભૂમિ દ્વારકામાં 35, તાપીમાં 33, ગીર સોમનાથમાં 28, ભાવનગરમાં 26, ડાંગમાં 17, છોટા ઉદેપુરમાં 9, નર્મદામાં 8, અરવલ્લીમાં 7, મહીસાગરમાં 4, બોટાદમાં 3 નવા કેસ નોંધાયા હતા.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 1,28,192 કેસ છે. જે પૈકી 309  વેન્ટીલેટર પર છે, જ્યારે 1,27,883 નાગરિકો સ્ટેબલ છે. 9,69,234 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10,323 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે 21 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 9, વડોદરા  કોર્પોરેશનમાં 1,  સુરત કોર્પોરેશન 3, રાજકોટ કોર્પોરેશનમાં 1, વડોદરા 1, સુરત 2, જામનગર કોર્પોરેશનમાં એક, વલસાડમાં બે, અને જામનગરમાં એક દર્દીનું મોત થયું છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
Putin Religion: ધર્મનિરપેક્ષ દેશ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કયા ધર્મનું પાલન કરે છે? શું ભગવાનમાં માને છે?
Putin Religion: ધર્મનિરપેક્ષ દેશ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કયા ધર્મનું પાલન કરે છે? શું ભગવાનમાં માને છે?

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
Putin Religion: ધર્મનિરપેક્ષ દેશ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કયા ધર્મનું પાલન કરે છે? શું ભગવાનમાં માને છે?
Putin Religion: ધર્મનિરપેક્ષ દેશ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કયા ધર્મનું પાલન કરે છે? શું ભગવાનમાં માને છે?
Aaj Nu Rashifal: 6 ડિસેમ્બર 2025, શનિવારે આ રાશિના જાતકોને મળશે ખુશખબરી! જાણો શું કહે છે તમારી રાશિ
Aaj Nu Rashifal: 6 ડિસેમ્બર 2025, શનિવારે આ રાશિના જાતકોને મળશે ખુશખબરી! જાણો શું કહે છે તમારી રાશિ
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
Embed widget