Gujarat Teacher Protest Live Updates: જૂની પેન્શન યોજના મુદ્દે શિક્ષકોના ગાંધીનગરમાં ધરણા, સત્યાગ્રહ છાવણીમાં પોલીસનો કડક બંદોબસ્ત
જૂની પેન્શન યોજના લાગૂ કરવાની માંગ સાથે ગાંધીનગરમા આજે રાજ્યભરના શિક્ષકો મહાઆંદોલનમાં જોડાશે

Background
Old Pension Scheme: જૂની પેન્શન યોજના લાગૂ કરવાની માંગ સાથે ગાંધીનગરમા આજે રાજ્યભરના શિક્ષકો મહાઆંદોલનમાં જોડાશે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નેજા હઠળ શિક્ષકો સત્યાગ્રહ છાવણીમાં ધરણા કરશે. તેમની માંગ છે જૂની પેન્શન યોજના લાગૂ કરવામાં આવે.
મહીસાગર, પંચમહાલના શિક્ષકો ગાંધીનગર જવા રવાના થયા હતા. તે સિવાય ગીર સોમનાથ, કચ્છ, ગોધરા, આણંદ, રાજકોટ, જેતપુર,ધોરાજી, અમરેલી,સુરેન્દ્રનગર અને બનાસકાંઠા જિલ્લામાંથી શિક્ષકો ગાંધીનગર જવા રવાના થયા હતા.
શૈક્ષિક મહાસંઘના અનુસાર, અગાઉ મંત્રીઓ સાથે થયેલ સમાધાન મુજબનો ઠરાવ બહાર પાડવા વિનંતી કરાઈ હતી. ઠરાવ ન કરાયો તો આંદોલનની ચીમકી આપી હતી.પરંતુ આજ દિવસ સુધી સમાધાન મુજબનો ઠરાવ ન થતાં આજે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીએ ધરણાં યોજાશે.
આંદોલનમાં જોડાવવા અલગ અલગ જિલ્લાઓમાંથી શિક્ષકો ગાંધીનગર પહોંચી રહ્યા છે. ગીર સોમનાથથી શિક્ષકો ટ્રેન મારફતે ગાંધીનગર આવવા માટે રવાના થયા હતા. રાજ્યભરમાં ખાનગી કાર અને બસ મારફતે મોટી સંખ્યામાં શિક્ષકો સત્યાગ્રહ છાવણી પહોંચ્યા હતા. પંચમહાલ જિલ્લાના પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાંથી શિક્ષકો ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં રવાના થયા હતા તો મહીસાગર અને આણંદના બોરસદમાંથી પણ શિક્ષકો રવાના થયા હતા. જૂની પેન્શન યોજના લાગુ કરવા શૈક્ષિક મહાસંઘના આંદોલનને વિવિધ સંસ્થાઓએ સમર્થન આપ્યું હતું.
દરરોજ બે જિલ્લાના 500 શિક્ષકો સત્યાગ્રહ છાવણીમાં કરશે ઉપવાસ
જૂની પેન્શન યોજના મેળવવા શિક્ષકો કરશે ઉપવાસ આંદોલન. શૈક્ષિક સંઘના અધ્યક્ષ ભીખાભાઈ પટેલે કરી જાહેરાત. આવતીકાલે મુખ્યમંત્રીને ઉપવાસ આંદોલનનો લેટર આપશે. દરરોજ બે જિલ્લાના 500 શિક્ષકો સત્યાગ્રહ છાવણીમાં કરશે ઉપવાસ.જૂની પેન્શન યોજના લાગુ નહિ થાય ત્યાંસુધી ચાલશે શિક્ષકોનું ઉપવાસ આંદોલન. આજે એક દિવસીય ધારણા પ્રદર્શનની પૂર્ણાહુતિ બાદ આંદોલનની કરાઈ જાહેરાત.
પંચમહાલ જિલ્લાના 3500 થી 4000 શિક્ષકો ગાંધીનગર પહોંચશે
પંચમહાલ જિલ્લાના પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાંથી 3500 થી 4000 હજાર શિક્ષકો ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં રવાના થયા હતા.





















