શોધખોળ કરો
Advertisement
શિક્ષણ વિભાગના કર્મચારી અને પેન્શનરો માટે ‘અચ્છે દીન’, મોંઘવારી ભથ્થામાં કેટલા ટકાનો કર્યો વધારો? જાણો
જે કર્મચારીઓ શિક્ષણ વિભાગમાં છઠ્ઠા પગાર પંચને આધીન છે તેમને 1-7-2019થી મોંઘવારી ભથ્થાનો લાભ મળશે. જે વિદ્યાસહાયકોએ બે વર્ષ પૂર્ણ કર્યાં છે તેમને નિયમિત શિક્ષક તરીકેનો લાભ આપવાની સરકારે જાહેરાત કરી છે.
ગાંધીનગર: શિક્ષણ વિભાગના કર્મચારીઓ અને પેન્શનરોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. સરકાર દ્વારા છઠ્ઠુ પગાર પંચ મેળવતા શિક્ષણ વિભાગના કર્મચારીઓ અને પેન્શનરોના પગારમાં મોંઘવારી ભથ્થાનો પણ વધારો કરવામાં આવ્યો છે. આ કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં 10 ટકાના વધારાની જાહેરાત કરવામાં આવી છે.
જે કર્મચારીઓ શિક્ષણ વિભાગમાં છઠ્ઠા પગાર પંચને આધીન છે તેમને 1-7-2019થી મોંઘવારી ભથ્થાનો લાભ મળશે. કર્મચારીઓને 1-1-2020થી આ વધારો રોકડમાં ચુકવવામાં આવશે. આ ઉપરાંત સરકારે વિદ્યાસહાયકો માટે પણ મોટો નિર્ણય કર્યો છે. જે વિદ્યાસહાયકોએ બે વર્ષ પૂર્ણ કર્યાં છે તેમને નિયમિત શિક્ષક તરીકેનો લાભ આપવાની સરકારે જાહેરાત કરી છે.
બે વર્ષ પૂર્ણ કરનારા 1,404 વિદ્યાસહાયકોને સરકારે નિયમિત કરવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા સરકારે ગત વર્ષે જૂન મહિનામાં તમામ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો જાહેર કર્યો હતો. જોકે, કેન્દ્ર સરકારે પણ વધારો જાહેર કરવાની જાહેરાત કરી હતી.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion