શોધખોળ કરો

પાણી બંધ કરવાની MPની ચીમકી બાદ CM રૂપાણીએ કહ્યુ- નર્મદા મુદ્દે કોગ્રેસ રાજકારણ રમવાનું બંધ કરે

કમલનાથ સરકારના મંત્રી સુરેન્દ્રસિંહ બઘેલે કહ્યું વિસ્થાપિતોના પ્રશ્નોનું હલ નહી થાય ત્યાં સુધી ગુજરાતને નર્મદાનું પાણી આપવામાં આવશે નહીં

  ગાંધીનગરઃ નર્મદાના પાણી અને વિજળી મુદ્દે ફરી એકવાર મધ્યપ્રદેશ અને ગુજરાત સરકાર સામસામે આવી ગયા છે. મધ્યપ્રદેશની કોગ્રેસ સરકારે નર્મદાનું પાણી બંધ કરવાની ચીમકી આપ્યા બાદ ગુજરાત સરકારે પણ વળતો પ્રહાર કર્યો છે. કોંગ્રેસની કમલનાથ સરકારે વીજળીના બહાને પાણી બંધ કરવાની ચીમકી આપી હતી. કમલનાથ સરકારના મંત્રી સુરેન્દ્રસિંહ બઘેલે કહ્યું વિસ્થાપિતોના પ્રશ્નોનું હલ નહી થાય ત્યાં સુધી ગુજરાતને નર્મદાનું પાણી આપવામાં  આવશે નહીં. જેની સામે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને  વળતો જવાબ આપ્યો હતો. રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાત પોતાનું પાણી મેળવીને જ રહેશે. ચૂંટણીમાં  હારથી આ રમત રમી રહી છે. મુખ્યમંત્રીએ કહ્યુ કે, નર્મદાના પાણીની વહેંચણી 1979ના ચુકાદા પ્રમાણે કરવામાં  આવે છે. ગુજરાત સરકાર  મધ્યપ્રદેશની કોઇ પણ ધમકીને વશ નહી થાય તેવી ચેતવણી રૂપાણીએ આપી હતી. તેમણે કહ્યું કે મધ્યપ્રદેશના મંત્રી અને મુખ્યમંત્રીને ચેતવણી આપું છું કે નર્મદાના પાણી પ્રશ્ને રાજકારણ ન કરે. નર્મદાના પાણીની વહેંચણી 1979ના ચુકાદાથી કરવામાં આવી છે, જેમાં ફેરફાર કરવાનો કોઈ રાજ્યને અધિકાર નથી. મધ્ય પ્રદેશ સરકાર કહે છે કે વીજ ઉત્પાદન કરતાં નથી. પરંતુ હાલ વીજ ઉત્પાદન ચાલુ છે અને તેમાંથી 57 ટકા હિસ્સો આજે પણ મળે છે. ગુજરાત પણ પોતાની રીતે ક્યારેય પણ પોતાની મેળે નિર્ણય લીધો નથી. તમામ ભાગીદાર રાજ્યોને સાથે બેસી નિર્ણય લેવામાં આવ્યા છે. રૂપાણીએ આરોપ લગાવ્યો હતો કે મધ્યપ્રદેશ સરકાર રાજકીય બદઈરાદાથી આ બધું કરી રહી છે. કોર્ટના આદેશ મુજબ કામ કરવું જોઈએ. ભૂતકાળમાં પણ કોંગ્રેસે ડેમ પૂરો કરવા અને દરવાજા મુકવાની મંજૂરી નહોતી આપી. મધ્ય પ્રદેશ અચાનક પુન:વસવાટ ન થવાના આક્ષેપ કરે છે તે રાજકીય બદઈરાદાથી આ કરી રહી છે. મને એવું લાગે છે ગુજરાત પોતાના હકનું પાણી મેળવીને રહેશે. જો મધ્ય પ્રદેશે નિવેદનોથી દૂર રહી પોતાની રજૂઆત નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીને કરવી જોઈએ.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજુ કરપડાએ 'કમલમ્'માં કેસરિયા કર્યા, -'પાર્ટી કહેશે તો ચૂંટણી લડીશ-વફાદાર સૈનિકની ભૂમિકા ભજવીશ'
રાજુ કરપડાએ 'કમલમ્'માં કેસરિયા કર્યા, -'પાર્ટી કહેશે તો ચૂંટણી લડીશ-વફાદાર સૈનિકની ભૂમિકા ભજવીશ'
ભાજપના સ્થાપના દિવસે મુખ્યમંત્રીના ખડગે પર પ્રહાર, કહ્યું- 'ગુજરાતના લોકો શિક્ષિત છે, હકીકત જાણે છે'
ભાજપના સ્થાપના દિવસે મુખ્યમંત્રીના ખડગે પર પ્રહાર, કહ્યું- 'ગુજરાતના લોકો શિક્ષિત છે, હકીકત જાણે છે'
ખડગેના નિવેદનને મુખ્યમંત્રીએ વખોડ્યું, કહ્યું- 'આવા નિવેદન કોંગ્રેસની સંકુચિત માનસિકતા દર્શાવે છે'
ખડગેના નિવેદનને મુખ્યમંત્રીએ વખોડ્યું, કહ્યું- 'આવા નિવેદન કોંગ્રેસની સંકુચિત માનસિકતા દર્શાવે છે'
ગાંધીનગરમાં પ્રશાસનની મોટી બેદરકારી: પીવાના પાણીની ટાંકીમાંથી મળ્યા 5 જીવતા સાપ અને મરેલી ઘો!
ગાંધીનગરમાં પ્રશાસનની મોટી બેદરકારી: પીવાના પાણીની ટાંકીમાંથી મળ્યા 5 જીવતા સાપ અને મરેલી ઘો!

વિડિઓઝ

Congress Candidates List : કોંગ્રેસની બીજી યાદીને લઈ સૌથી મોટા સમાચાર
BJP Candidate List : સૌરાષ્ટ્રમાં ટિકિટની વહેંચણીને લઈ ભાજપમાં ખેંચતાણ?
Hun To Bolish : હું તો બોલીશ : પનીરના નામે ફ્રોડ નહીં ચાલે!
Hun To Bolish : હું તો બોલીશ : દરેક ચૂંટણીમાં પાકિસ્તાન કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : ટિકિટ માટેના તિકડમ!

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે રશિયાનો માસ્ટરસ્ટ્રોક! ભારતને 40% સુધી સસ્તા ભાવે LNG ની ઓફર 
મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે રશિયાનો માસ્ટરસ્ટ્રોક! ભારતને 40% સુધી સસ્તા ભાવે LNG ની ઓફર 
Gujarat Weather: કમોસમી વરસાદ અને કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી
Gujarat Weather: કમોસમી વરસાદ અને કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી
UK Visa Fee Hike: સ્ટડી, વર્ક અને વિઝિટ વિઝા હવે મોંઘા થશે, ભારતીય અરજદારો પર થશે સીધી અસર 
UK Visa Fee Hike: સ્ટડી, વર્ક અને વિઝિટ વિઝા હવે મોંઘા થશે, ભારતીય અરજદારો પર થશે સીધી અસર 
રાજુ કરપડાએ 'કમલમ્'માં કેસરિયા કર્યા, -'પાર્ટી કહેશે તો ચૂંટણી લડીશ-વફાદાર સૈનિકની ભૂમિકા ભજવીશ'
રાજુ કરપડાએ 'કમલમ્'માં કેસરિયા કર્યા, -'પાર્ટી કહેશે તો ચૂંટણી લડીશ-વફાદાર સૈનિકની ભૂમિકા ભજવીશ'
પૂર્વ IPS મનોજ નિનામાની રાજકારણમાં એન્ટ્રી, ભાજપમાં જોડાતા ચૂંટણી લડે તેવી અટકળ તેજ
પૂર્વ IPS મનોજ નિનામાની રાજકારણમાં એન્ટ્રી, ભાજપમાં જોડાતા ચૂંટણી લડે તેવી અટકળ તેજ
Gujarat Politics: પૂર્વ AAP નેતા રાજુ કરપડા આજે ભાજપમાં જોડાશે, બપોરે કમલમમાં કરશે કેસરિયો
Gujarat Politics: પૂર્વ AAP નેતા રાજુ કરપડા આજે ભાજપમાં જોડાશે, બપોરે કમલમમાં કરશે કેસરિયો
Israel: સીઝફાયર વચ્ચે ઈઝરાયલનો લેબનોન પર ભયાનક હુમલો, 250 લોકોના મોત
Israel: સીઝફાયર વચ્ચે ઈઝરાયલનો લેબનોન પર ભયાનક હુમલો, 250 લોકોના મોત
Assembly Election 2026 Live: સવારે 11 વાગ્યા સુધીમાં 37% મતદાન સાથે આસામ, પુડુચેરી કેરલમ કરતાં આગળ
Assembly Election 2026 Live: સવારે 11 વાગ્યા સુધીમાં 37% મતદાન સાથે આસામ, પુડુચેરી કેરલમ કરતાં આગળ
Embed widget