શોધખોળ કરો

Gujarat Budget Session: ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજથી પ્રારંભ, 11 બિલ રજૂ કરાશે

Gujarat Budget Session: જ્યારે આવતીકાલે રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે રાજ્યની જનતા રાજ્ય સરકાર પાસેથી અનેક આશા-અપેક્ષા રાખી રહી છે

Gujarat Budget Session:આજથી ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો પ્રારંભ થશે. આજે બપોર 12 વાગ્યે વિધાનસભા ગૃહની બેઠક મળશે. બજેટ સત્રનો પ્રારંભ રાજ્યના બંધારણીય વડા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થશે. રાજ્યપાલના સંબોધન બાદ શોકદર્શક ઠરાવ અને ઉલ્લેખ રજૂ કરાશે.

ત્યારબાદ પ્રથમ દિવસે મંત્રી બળવંતસિંહ રાજપૂત ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા સુધારા વિધેયક 2024 ગૃહમાં રજૂ કરશે.  હાલમાં ગુજરાતમાં જુદા-જુદા ત્રણ ગણોત વહીવટના કાયદા અમલમાં છે.

તમામ ત્રણ કાયદાની વિવિધ કલમોમાં સુધારો કરીને સરકાર ખેતીની જમીન બિનખેતી કરવા મંજૂરી આપશે. તો ટ્રસ્ટની જમીન બિનખેતી કરવાની સત્તા સરકાર પોતાના હસ્તક લઈ લેશે. આજથી શરૂ થનારા બજેટસત્રમાં 11 જેટલા વિવિધ બિલ રજૂ કરવામાં આવશે.  જ્યારે આવતીકાલે રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે રાજ્યની જનતા રાજ્ય સરકાર પાસેથી અનેક આશા-અપેક્ષા રાખી રહી છે. લોકસભા ચૂંટણીના કારણે ગુજરાતના બજેટમાં વીજશુલ્ક અને સ્ટેમ્પ ડ્યુટીમાં રાહતની સંભાવના છે.

બજેટ સત્રમાં રામ મંદિર માટે એક અભિનંદન પ્રસ્તાવ લાવશે સરકાર

રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું હતું કે   સરકાર આ સત્રમાં કેટલાક મહત્વપૂર્ણ બિલો રજૂ કરવાની તૈયારી કરી રહી છે. સરકારે વિપક્ષને વિનંતી કરી છે કે તેઓ સર્વસંમતિથી રામ મંદિર માટે અભિનંદન ઠરાવ પસાર કરે. સરકારે વિપક્ષના આક્ષેપોને ફગાવી દીધા અને કહ્યું કે ભાજપ સરકાર જનહિતમાં નિર્ણયો લે છે અને આ વખતે પણ સારું બજેટ રજૂ કરવામાં આવશે જે તમામ વર્ગો માટે હશે.

હાલમાં માહિતી છે કે, વિધાનસભાના આગામી બજેટ સત્રમાં સરકાર જમીનના કાયદામાં સુધારો કરશે. 'ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા સુધારા વિધેયક 2024' ગૃહમાં રજૂ થશે. ગુજરાતમાં હાલ ત્રણ જુદાજુદા ગણોત વહીવટના કાયદા અમલમાં છે. તમામ ત્રણ કાયદાની વિવિધ કલમોમાં સુધારા કરી ખેતીની જમીન બિનખેતી કરવા સરકાર મંજૂરી આપશે, વિવિધ વિસ્તારમાં બિનખેતી કરવા માટે 30મી જૂન 2015 અંતિમ તારીખ જાહેર કરાઈ હતી, કેટલીક સંસ્થા, કંપની અને ટ્રસ્ટ દ્વારા અરજી કરવાની બાકી હોવાથી જમીનનો હેતુફેર થઈ શક્યો નથી, આવી સંસ્થાઓ, કંપનીઓ અને ટ્રસ્ટની રજૂઆતના પગલે હેતુફેર કરવાની સમયમર્યાદા વધારવા કાયદામાં સુધારાઓ કરાશે. ખાસ વાત છે કે, આ કાયદો અમલમાં આવતા રાજ્યના વિવિધ વિસ્તારમાં વર્ષ 2015 પહેલા ખરીદેલી જમીનનો હેતુફેર કરી શકાશે. ધાર્મિક, આરોગ્ય, શિક્ષણ અને સામાજિક ક્ષેત્રમાં કામ કરતી સંસ્થાઓ પોતાની જમીન બિનખેતી કરી શકશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યના DGP તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સંભાળ્યો ચાર્જ, પ્રોટોકોલ મુજબ કરાયું સ્વાગત
રાજ્યના DGP તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સંભાળ્યો ચાર્જ, પ્રોટોકોલ મુજબ કરાયું સ્વાગત
GSRTC Recruitment 2026: GSRTCના ડ્રાઈવર-કંડક્ટર માટે ભરતી જાહેર, જાણો ક્યારથી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ
GSRTC Recruitment 2026: GSRTCના ડ્રાઈવર-કંડક્ટર માટે ભરતી જાહેર, જાણો ક્યારથી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA

વિડિઓઝ

Viramgam Murder Case : વિરમગામમાં પતિની પત્નીએ પુત્ર સાથે મળીને કરી નાંખી હત્યા, કારણ જાણી ચોંકી જશો
Rajkot Police : રાજકોટમાં શિક્ષિકા પર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં આરોપીની ધરપકડ
Andhra Pradesh News : વિશાખાપટ્ટનમના સ્ટીલ પ્લાન્ટમાં મોટી દુર્ઘટના, 8 કામદારોના મોત
PM Modi : PM મોદી તોડશે નેહરુનો રેકોર્ડ, દેશમાં સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેવાનો બનશે રેકોર્ડ
H1B Visa News : અમેરિકામાં કરિયર બનાવવા માગતા ભારતીયો માટે ખુશીના સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ: પોલીસને જોઈ ભાગવા જતા માથાભારે મહાવીરસિંહ સિંધવનું ચોથા માળેથી પટકાતા મોત
અમદાવાદ: પોલીસને જોઈ ભાગવા જતા માથાભારે મહાવીરસિંહ સિંધવનું ચોથા માળેથી પટકાતા મોત
Monsoon: 10 જૂને મુંબઇમાં ચોમાસું પ્રવેશશે, ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પર અંબાલાલની નવી આગાહી
Monsoon: 10 જૂને મુંબઇમાં ચોમાસું પ્રવેશશે, ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પર અંબાલાલની નવી આગાહી
Monssoon: 'બે-ત્રણ દિવસની અંદર ધોધમાર વરસાદ...', હવે આ 3 રાજ્યોમા થશે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી
Monssoon: 'બે-ત્રણ દિવસની અંદર ધોધમાર વરસાદ...', હવે આ 3 રાજ્યોમા થશે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી
Sabarkantha News: હિંમતનગરમાં રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત, રિક્ષામાં સવાર 3 મુસાફરોના થયા મોત
Sabarkantha News: હિંમતનગરમાં રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત, રિક્ષામાં સવાર 3 મુસાફરોના થયા મોત
Banaskantha: ડીસા APMCમાં સત્તાપલટો, ગોવાભાઇ રબારીની વિદાય, ખેતાભાઇ રબારી બન્યા નવા ચેરમેન
Banaskantha: ડીસા APMCમાં સત્તાપલટો, ગોવાભાઇ રબારીની વિદાય, ખેતાભાઇ રબારી બન્યા નવા ચેરમેન
પેટ્રૉલમાં ઇથેનૉલ પછી હવે ડીઝલમાં મળશે 15 ટકા આઇસૉબ્યૂટેનૉલ, જાણો સરકારનો પ્લાન
પેટ્રૉલમાં ઇથેનૉલ પછી હવે ડીઝલમાં મળશે 15 ટકા આઇસૉબ્યૂટેનૉલ, જાણો સરકારનો પ્લાન
FIFA World Cup 2026: ભારતમાં ફીફા વર્લ્ડકપ 2026ની મેચ કેટલા વાગ્યે જોઈ શકાશે? જાણો
FIFA World Cup 2026: ભારતમાં ફીફા વર્લ્ડકપ 2026ની મેચ કેટલા વાગ્યે જોઈ શકાશે? જાણો
ઇરાન-ઇઝરાયેલ વચ્ચે શરૂ થયેલા યુદ્ધને લઇ ટ્રમ્પે કર્યુ મોટું એલાન, બોલ્યા- 'આગામી બે અઠવાડિયામાં...'
ઇરાન-ઇઝરાયેલ વચ્ચે શરૂ થયેલા યુદ્ધને લઇ ટ્રમ્પે કર્યુ મોટું એલાન, બોલ્યા- 'આગામી બે અઠવાડિયામાં...'
Embed widget