શોધખોળ કરો

Amit Shah: કલોલમાં કોલેરાને નાથવા અમિત શાહે શું આપી સૂચના ? જાણો

Cholera Outbreak: અમિતભાઇ શાહે ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે ઉદભવેલા કોલેરાના રોગચાળાને શરૂઆતમાં જ નાથવા ત્વરિત પગલાંઓ લેવા તાકીદ કરી હતી.

Amit Shah: ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં છેલ્લા ત્રણ વર્ષથી પાણીજન્ય રોગચાળો ફેલાય છે. અગાઉ રેલ્વે પૂર્વના વિસ્તારમાં  જીવલેણ રોગચાળો ફેલાતાં ત્યાં પાણીની લાઇનો બદલવામાં આવી રહી છે ત્યારે કલોલના વધુ એક વિસ્તારમાં પાણીની લાઇનમાં ગટરનું ગંદુ અને દુષિત પાણી ભળી રહ્યું છે જેના પગલે ફરી અહીં કોલેરા જેવો જીવલેણ અને પાણીજન્ય રોગચાળો ફાટી નિકળ્યો છે. કલોલના મટવાકુવા, ઝુમા મસ્જીદ, બાંગલાદેશ છાપરા, ગુલીસ્તા પાર્ક અને અંજુમનવાડી વિસ્તારમાં ઘરે ઘરે લોકોને ઝાડા-ઉલ્ટી તથા પેટમાં દુઃખાવાની ફરિયાદો ઉઠી છે.  આ વિસ્તારમાં અનેક લોકો કોલેરાની ઝપેટમાં આવી ગયા છે. જેને લઈ ગાંધીનગર લોકસભા સાંસદ અમિત શાહે રોગચાળાને શરૂઆતમાં જ નાથવા ત્વરિત પગલાંઓ લેવા તાકીદ કરી છે.

ગાંધીનગર લોકસભા ભાજપ મીડિયા વિભાગના જણાવ્યા પ્રમાણે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઇ શાહે ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે ઉદભવેલા કોલેરાના રોગચાળાને શરૂઆતમાં જ નાથવા ત્વરિત પગલાંઓ લેવા તાકીદ કરી હતી. છેલ્લા કેટલાક દિવસથી કલોલ ખાતે પાણીજન્ય રોગ કોલેરાના કેસો સામે આવ્યા છે. આ બાબતે અમિત શાહે પરિસ્થિતિનો તાગ મેળવી રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સાથે વાતચીત કરી હતી. આ ઉપરાંત અમિત શાહે જિલ્લા કલેકટર સહિત સમગ્ર તંત્રને આ રોગચાળાને ત્વરિત નિયંત્રણમાં લેવા સૂચના આપી હતી.


Amit Shah: કલોલમાં કોલેરાને નાથવા અમિત શાહે શું આપી સૂચના ? જાણો

બે કિલોમીટર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો

ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં દર વર્ષે પાણીજન્ય રોગચાળો ફાટી નિકળે છે એટલુ જ નહીં, આ રોગચાળો જીવલેણ પણ બની ચૂક્યો છે તેમ છતા આ વિસ્તારમાં આપવામાં આવતા પાણી વિતરણમાં તંત્ર દ્વારા કોઇ તકેદારી રાખવામાં આવતી નથી જેના કારણે અહીં ફરીવાર પાણીજન્ય કોલેરાના રોગચાળો ફેલાયો છે. તંત્રની બેદરકારીને કારણે કલોલ શહેરના મટવાકુવા, ઝુમા મસ્જીદ, બાંગલાદેશ છાપરા, ગુલીસ્તાન પાર્ક તથા અંજુમન વાડી વિસ્તારમાં પાણીની લાઇનમાં ગટરનું પાણી ભળી જવાને કારણે પાણીજન્ય રોગચાળો ફેલાયો હોવાનું તારણ નિકળ્યું છે અહીં ઝાડા-ઉલ્ટી અને પેટમાં દુઃખાવાની સમસ્યા સાથેના કેસ પ્રકાશમાં આવતા તબીબોએ કોલેરાનો રિપોર્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવતા જિલ્લા કલેક્ટર દ્વારા સાવચેતીના ભાગરૂપે કલોલના આ અસરગ્રસ્ત વિસ્તારના બે કિલોમીટર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરી દેવામાં આવ્યું હતું. છેલ્લા બે દિવસમાં આ અસરગ્રસ્ત વિસ્તારમાંથી કોલેરાના 50થી પણ વધુ દર્દીઓ મળ્યા હતા. જેમાં બાળકોની સંખ્યા વધુ છે. હાલ આ વિસ્તારમાં લાઇન દ્વારા આપવામાં આવતો પાણીનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે અને ટેન્ડર મારફતે સુપર ક્લોરીનેશન પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ગાંધીનગર જિલ્લા કલેક્ટર હિતેષ કોયા અને જિલ્લા વિકાસ અધિકારી સુરભિ ગૌતમ દ્વારા કલોલના આ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી અને સ્થાનિક તંત્ર સાથે બેઠક કરીને રોગચાળાને કાબુમાં લેવા માટે જરૂરી સૂચનો પણ આપ્યા હતા.


Amit Shah: કલોલમાં કોલેરાને નાથવા અમિત શાહે શું આપી સૂચના ? જાણો

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget