શોધખોળ કરો

ગુજરાતના ઉદ્યોગપતિઓએ ચીનનો પ્રવાસ કેમ રદ્દ કર્યો? જાણો કારણ

કોરોના વાઈરસને કારણે હાલ ચીનના પ્રવાસે ગયેલા વેપારીઓને પ્રવાસ રદ્દ કરવાની ફરજ પડી છે. ભારત અને ચીન વચ્ચેના વ્યાપારમાં 80 ટકા વેપારીઓ ગુજરાતના છે.

ગાંધીનગર: ચીનમાં કોરોના વાઈરસનો રોગચાળો ફાટી નીકળ્યો છે અને તેના કારણે ચીનની સરકારે પાંચ શહેરોમાં તાળાબંધી ફરમાવી દીધી છે. કોરોના વાઈરસના વાવરને કારણે પાંચ શહેરોમાં લોકોની અવર-જવર સ્થગિત કરી દેવાને પગલે અમદાવાદ સહિત ગુજરાતના વેપારીઓએ ચીનના પ્રવાસ રદ્દ કર્યાં હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતના ઉદ્યોગપતિઓએ ચીનનો પ્રવાસ કેમ રદ્દ કર્યો? જાણો કારણ ગુજરાતમાંથી કેમિક્લ, ફાર્માસ્યૂટિકલ્સ, એન્જિનિયરિંગ સહિત વિવિધ સેક્ટરના દરરોજ સરેરાશ 500 જેટલા વેપારીઓ ચીનના વિવિધ શહેરોની નિયમિત રીતે મુલાકાત લેતાં હોય છે. કોરોના વાઈરસને કારણે હાલ ચીનના પ્રવાસે ગયેલા વેપારીઓને પ્રવાસ રદ્દ કરવાની ફરજ પડી છે. ગુજરાતમાંથી કેમિક્લ, ફાર્માસ્યૂટિકલ્સ સહિત અન્ય સેક્ટરના 500 જેટલા વેપારીઓ દર મહિને ચીનની મુલાકાત લેતાં હોય છે. ભારત અને ચીન વચ્ચેના વ્યાપારમાં 80 ટકા વેપારીઓ ગુજરાતના છે. ચીનના પાંચ શહેરો વુહાન, હુઆંગગેંગ, એઝોઉ, ઝિઝિઆંગ અને ક્વિનઝિઆંગમાં અંદરથી બહાર જવા અને પ્રવેશવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. ફ્લાઈટો પણ રદ્દ કરી દેવામાં આવી છે. ધોરીમાર્ગ, સબ-વે બંધ કરાયા છે. બસ અને ફેરી સર્વિસ પણ બંધ કરી દેવામાં આવી છે. ગુજરાતના ઉદ્યોગપતિઓએ ચીનનો પ્રવાસ કેમ રદ્દ કર્યો? જાણો કારણ ગુજરાતના વેપાર-ઉદ્યોગ પર કોરોના વાઈરસનું ‘સંકટ’ આવવાના કારણે હાલ ચીનની મુલાકાતે ગયેલા વેપારીઓ પ્રવાસ રદ્દ કરીને ભારત પરત આવી રહ્યા છે. આાગમી દિવસોમાં ચીન જનાર વેપારીઓએ તેમના પ્રવાસ મોકૂફ રાખ્યા છે અથવા પડતા મૂક્યા છે અને કોરોના વાઈરસ અંકુશમાં આવે તેના પર ચીનના પ્રવાસ નિર્ભર રહેશે. હવે કોરોના વાઈરસને કારણે ગુજરાત સહિત ભારતના વેપારીઓને વધુ ફટકો પડવાને પગલે ‘પડતા પર પાટું’ જેવી સ્થિતિ સર્જાશે. ગુજરાતના ઉદ્યોગપતિઓએ ચીનનો પ્રવાસ કેમ રદ્દ કર્યો? જાણો કારણ એપ્રિલ 2020માં શાંઘાઈમાં ‘ઈન્ટરડાઈ’-ટ્રેડ ફેર યોજાવાનો છે. તેમાં સ્ટોલ બુકિંગ કરાવનાર વેપારીઓના ચીન પ્રવાસ રદ્દ કરવાની નોબત આવી છે. અમદાવાદના 125 જેટલા વેપારી સહિત ગુજરાતમાંથી 150થી વધુ વેપારીઓએ બુકિંગ કરાવ્યા છે. જો આ વેપારીઓ ટ્રેડ ફેરમાં ભાગ ન લઈ શકે તો વેપારીઓને સ્ટોલ, એર ટીકિટ અને હોટેલ બુકિંગના નાણાં સલવાઈ જાય તેવી શક્યતા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
બોલીવૂડનો નવો 'કિંગ' બન્યો રણવીર સિંહ: શાહરૂખ અને પ્રભાસને છોડ્યા પાછળ! 3000 કરોડ ક્લબમાં એન્ટ્રી
બોલીવૂડનો નવો 'કિંગ' બન્યો રણવીર સિંહ: શાહરૂખ અને પ્રભાસને છોડ્યા પાછળ! 3000 કરોડ ક્લબમાં એન્ટ્રી

વિડિઓઝ

Harsh Sanghavi : લોકડાઉનની અફવાથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની લોકોને અપીલ
Gujarat Weather : ગુજરાતમાં માવઠાની આગાહી, કઈ તારીખે ક્યાં પડશે માવઠું?
Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈ મોટા સમાચાર
Gujarat Govt : ખેડૂતોના હીતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને મોટી રાહત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
બોલીવૂડનો નવો 'કિંગ' બન્યો રણવીર સિંહ: શાહરૂખ અને પ્રભાસને છોડ્યા પાછળ! 3000 કરોડ ક્લબમાં એન્ટ્રી
બોલીવૂડનો નવો 'કિંગ' બન્યો રણવીર સિંહ: શાહરૂખ અને પ્રભાસને છોડ્યા પાછળ! 3000 કરોડ ક્લબમાં એન્ટ્રી
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
રિટાયરમેન્ટ પછી પણ દર મહિને થશે 50 હજારની આવક! એક્સપર્ટ્સે જણાવી 3 ખાસ સ્ટ્રેટેજી, જે બદલી નાખશે તમારી લાઈફ
રિટાયરમેન્ટ પછી પણ દર મહિને થશે 50 હજારની આવક! એક્સપર્ટ્સે જણાવી 3 ખાસ સ્ટ્રેટેજી, જે બદલી નાખશે તમારી લાઈફ
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Embed widget