રાજ્યમાં 18 IAS અધિકારીઓની કરવામાં આવી બદલી, ગીર સોમનાથ કલેક્ટરની પણ ટ્રાન્સફર
રાજ્યમાં સરકારી વિભાગમાં બદલીનો દોર યથાવત છે. ત્યારે આજે (3 મે )ના 18 IASની બદલી કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા મોટા પ્રમાણમાં અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
IAS Transfer: રાજ્યમાં સરકારી વિભાગમાં બદલીનો દોર યથાવત છે. ત્યારે આજે (3 મે )ના 18 IASની બદલી કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા મોટા પ્રમાણમાં અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં ગીર સોમનાથના કલેક્ટર ડી.ડી. જાડેજાની બદલી કરવામાં આવી છે. તેમને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી મિશન, ગાંધીનગરના મિશન ડિરેક્ટર તરીકે નિમણૂક આપવામાં આવી છે. જ્યારે એન.વી. ઉપાધ્યાય સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર, ગાંધીનગરની કલેક્ટર ગીર-સોમનાથ તરીકે બદલી કરવામાં આવી છે.
નીતિન વી. સાંગવાન જિલ્લા વિકાસ અધિકારી જૂનાગઢની પણ બદલી કરવામાં આવી છે. તેઓને રોજગાર અને તાલીમ નિયામક, ગાંધીનગર મૂકાયા છે.
સી.સી. કોટક નાયબ નિયામક, પ્રાદેશિક તાલીમ કેન્દ્ર (SPIPA) મહેસાણાને અમદાવાદના સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA) ના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ તરીકે બદલી કરવામાં આવી છે.
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, ગાંધીનગરના સંયુક્ત સચિવ કુમારી વી. આઈ. પટેલની બદલી ફાઇનાન્સ બોર્ડ, ગાંધીનગર તરીકે નિમણૂક માટે અધિક શહેરી વિકાસ કમિશનર અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં મૂકવામાં આવ્યા છે. મુખ્યમંત્રી કાર્યાલયમાંથી ઓફિસર ઓન સ્પેશ્યલ ડ્યુટી એચ.પી.પટેલની DDO જૂનાગઢ ખાતે બદલી કરાઈ છે.
આ પહેલા 16 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી
એપ્રિલ મહિનામાં રાજ્યના 16 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જેમાં દિલીપ રાણા મ્યુનિસિપલ કમિશનર વડોદારાની બદલી હાયર એજ્યુકેશન ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી. જ્યારે એન.કે. મીણા ડીરેક્ટર ફિશરીસ ગાંધીનગરની બદલી ભાવનગર ખાતે કરવામાં આવી હતી.
અરુણ મહેશ બાબુની ઉત્તર ગુજરાત વીજ કંપની લીમીટેડ મહેસાણાથી બદલી કરાઈ તેમને વડોદરા કમિશનર તરીકે મૂકાયા હતા.





















