શોધખોળ કરો

દેવાયત ખવડની ધરપકડ બાદ ગીર સોમનાથ પોલીસે કર્યો મોટો ખુલાસોઃ ખવડે સોશિયલ મીડિયા પર વોચ રાખીને હુમલાનો....

તાલાલાના ચિત્રોડ ગામ નજીક હુમલાનો મામલો: આરોપીઓને સુરેન્દ્રનગરથી ઝડપી પાડી પૂછપરછ હાથ ધરાઈ.

Devayat Khavad arrested: ગીર સોમનાથ પોલીસે તાલાલાના ચિત્રોડ ગામ નજીક થયેલા હુમલાના કેસમાં લોક કલાકાર દેવાયત ખવડ સહિત કુલ 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસને પાંચ દિવસથી ફરાર આ આરોપીઓ વિશે ગુપ્ત બાતમી મળી હતી, જેના આધારે તેમને સુરેન્દ્રનગરના દુધઈ ગામ પાસે એક ફાર્મ હાઉસમાંથી રાઉન્ડ અપ કરવામાં આવ્યા હતા. તમામ આરોપીઓને ઇણાજ એસ.પી. કચેરી ખાતે લાવીને LCB ઓફિસમાં તેમની ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરાઈ રહી છે. આ સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા મનહરસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી ચોંકાવનારા ખુલાસા કર્યા છે કે આ હુમલો એક પૂર્વ આયોજિત કાવતરું હતું.

હુમલાનું પૂર્વ આયોજિત કાવતરું અને કારણ

પોલીસ દ્વારા થયેલા ખુલાસા મુજબ, 12મી તારીખે સવારે લગભગ 11:30 વાગ્યે તાલાળાના ચિત્રોડ ગામ નજીક આવેલા ક્રિષ્ના ફાર્મ પાસે આ ઘટના બની હતી. દેવાયત ખવડ અને તેના સાગરીતોએ સનાથલના ધ્રુવરાજસિંહ ચૌહાણ પર પૂર્વ આયોજિત કાવતરા મુજબ હુમલો કર્યો હતો. પોલીસ વડાએ જણાવ્યું કે આરોપીઓએ ધ્રુવરાજસિંહ પર સોશિયલ મીડિયા દ્વારા સતત વોચ રાખી હતી અને ત્યાર બાદ હુમલાનો પ્લાન બનાવ્યો હતો. હુમલાનું મૂળ કારણ સનાથલ ખાતે ડાયરાના કાર્યક્રમમાં કલાકાર મોડા પહોંચ્યા હોવાથી થયેલી બોલાચાલી હતી. આ ઘટના બાદ બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી હતી અને સોશિયલ મીડિયા પર એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ પણ કરતા હતા. આ બાબતથી ઉશ્કેરાઈને દેવાયત ખવડ અને તેના સાગરીતોએ હુમલાની આ ઘટનાને અંજામ આપ્યો હતો.

પોલીસ કાર્યવાહી અને ફરાર આરોપીઓને પકડવાની સફળતા

આ ઘટના બાદ તમામ આરોપીઓ તાલાલા વિસ્તારમાંથી પોતાના મોબાઈલ ફોન ફેંકીને ફરાર થઈ ગયા હતા, જેના કારણે તેમને પકડવા પોલીસ માટે એક મોટો પડકાર બની ગયો હતો. પાંચ દિવસ સુધી ગીર સોમનાથ પોલીસ સતત આરોપીઓની શોધખોળ કરી રહી હતી. તે દરમિયાન, ગત રાત્રિના રોજ પોલીસને બાતમી મળી કે દેવાયત ખવડ સહિતના લોકો સુરેન્દ્રનગરના દુધઈ ગામ નજીક એક ફાર્મ હાઉસમાં છુપાયા છે. બાતમીના આધારે, પોલીસે તાત્કાલિક બંદોબસ્ત સાથે ત્યાં પહોંચીને તમામ 7 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. હાલમાં તેમની LCB ઓફિસ ખાતે ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલી રહી છે, જેથી આ કેસ સાથે જોડાયેલા અન્ય કોઈ પાસાઓનો ખુલાસો થઈ શકે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RTO નવો નિયમ: હવે વાહન ટ્રાન્સફર અને NOC માટેના નિયમો બદલાયા, જાણી લો આ મહત્વનો સુધારો
RTO નવો નિયમ: હવે વાહન ટ્રાન્સફર અને NOC માટેના નિયમો બદલાયા, જાણી લો આ મહત્વનો સુધારો
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Gujarat Rain:  9 જિલ્લામાં 44 તાલુકામાં વરસાદ,  પારડીમાં સૌથી વધુ 1.54 ઇંચ
Gujarat Rain:  9 જિલ્લામાં 44 તાલુકામાં વરસાદ,  પારડીમાં સૌથી વધુ 1.54 ઇંચ
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
Embed widget