શોધખોળ કરો

AAP Gujarat: ગુજરાત આમ આદમી પાર્ટીને ઝટકો, પ્રદેશ ઉપાધ્યક્ષે તમામ હોદ્દાઓ પરથી આપ્યુ રાજીનામુ

ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના સીનિયર નેતા અર્જૂન રાઠવાએ રાજીનામું આપી દીધું છે.

AAP Leader Arjun Rathva Resigned: ગુજરાતમાં આમ આદમી પાર્ટીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં આપ નેતા અર્જૂન રાઠવાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીને એક મોટો ઝટકો લાગ્યો છે, ગુજરાતના પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જૂન રાઠવાએ રાજીનામું આપી દીધુ છે. 

માહિતી પ્રમાણે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના સીનિયર નેતા અર્જૂન રાઠવાએ રાજીનામું આપી દીધું છે. આમ આદમી પાર્ટીના  આદિવાસી નેતા એવા અર્જૂન રાઠવાએ આજે પ્રદેશના ઉપાધ્યક્ષ પદ સહિત પક્ષના તમામ હોદ્દાઓ અને સભ્યપદ ઉપરથી રાજીનામું આપી દેતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. અર્જૂન રાઠવા 2013થી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા જ્યારે ગઇ વિધાનસભા ચૂંટણીમાં છોટાઉદેપુર બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર પણ રહી ચૂક્યા છે.

abp asmita સાથે અર્જૂન રાઠવાએ વાત કરતા રાજીનામું આપવા પાછળ પ્રદેશના નેતૃત્વની કાર્યશૈલી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે અર્જૂન રાઠવાએ જણાવ્યું છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું જે નેતૃત્વ સંભાળી રહ્યા છે તે ગંભીરતાપૂર્વક કામગીરી નથી કરતા, જેને લઈને વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને નુકસાન ગયું તેમજ ચૂંટણી બાદ પણ જે સમીક્ષા કરવાની હોય તે પક્ષે કરી કરી, એટલે પક્ષનું નેતૃત્વ ગંભીરતાપૂર્વક કામ નથી કરતું જેને લઇ રાજીનામું આપ્યું છે, તો આવનારા સમયમાં ભાજપ કે કોંગ્રેસમાં જોડાવા મુદ્દે અર્જૂન રાઠવાએ હાલ કોઈ સ્પષ્ટતા કરી નથી. 

અરવિંદ કેજરીવાલ વિપક્ષના PM પદના ઉમેદવાર?

આમ આદમી પાર્ટી (AAP)ના પ્રવક્તાએ અરવિંદ કેજરીવાલને  પ્રધાનમંત્રી મોદી સામે ચેલેન્જર  ગણાવ્યા અને કહ્યું કે તેઓ સતત લોકોના મુદ્દા ઉઠાવે છે. મુંબઈમાં ઇંન્ડિયા  (I.N.D.I.A.) ગઠબંધનની બેઠક પહેલા, આમ આદમી પાર્ટી (AAP) ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને PM પદના ઉમેદવાર બનાવવાની માંગ કરવામાં આવી છે. AAPના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા કક્કરે કહ્યું, "જો તમે મને પૂછો તો હું ઈચ્છું છું કે, અરવિંદ કેજરીવાલ વડાપ્રધાન પદના ઉમેદવાર બને."

વડા પ્રધાન પદ માટે સીએમ કેજરીવાલની ઉમેદવારીની તરફેણમાં દલીલ કરતા, AAP પ્રવક્તાએ સમાચાર એજન્સી ANIને જણાવ્યું હતું કે, "રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આટલી કમરતોડ  મોંઘવારીમાં પણ મોંઘવારી  સૌથી ઓછી છે. મફત પાણી, મફત શિક્ષણ, મફત વીજળી, મહિલાઓ અને વરિષ્ઠ માટે મફત બસ યાત્રા છતાં સરપ્લસ બજેટ રજૂ કરવામાં આવ્યું છે."                                             

AAP પ્રવક્તાએ કેજરીવાલને ગણાવ્યા ચેલેન્જર

કક્કરે કહ્યું કે, અરવિંદ કેજરીવાલ સતત લોકોના મુદ્દા ઉઠાવે છે અને વડાપ્રધાન મોદીની સામે પડકારરૂપ બનીને ઉભરી આવ્યા છે. તેમની ડિગ્રીની વાત હોય કે અન્ય કોઈ બાબત, અરવિંદ કેજરીવાલ સ્પષ્ટ પ્રવક્તા બનીને મુદ્દાને ઉઠાવે છે.                                         

'PM મોદી પાસે આર્થિક દ્રષ્ટિ નથી'

AAP પ્રવક્તાએ કહ્યું, "વડાપ્રધાન મોદી પાસે આર્થિક દ્રષ્ટિ નથી. અહીં મેન્યુફેક્ચરિંગ માઈનસ થઈ ગયું છે. અરવિંદ કેજરીવાલના વિઝન હેઠળ ભારત મેન્યુફેક્ચરિંગ હબ બનશે. લાઈસન્સ રાજનો અંત આવશે. ઉદ્યોગપતિઓને બિઝનેસ કરવાની સારી તકો મળશે.  શિક્ષણ એટલું સારૂ બનશે કે બાળકો આવિષ્કાર કરવાનું વિચારશે. વિદેશથી લોકો કરોડોનો ખર્ચ કરીને ભારત આવશે. લોકો ભારતમાં ડોલર ખર્ચીને ભણવા આવશે. અમે એક  બસ એક આવું ભારત ઇચ્છીએ"                                                                   

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ghed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Embed widget