શોધખોળ કરો

રેમડેસિવીર ઇન્જેક્શનની અછત વચ્ચે હવે ગુજરાતનાં આ શહેરમાં કોરોના ટેસ્ટિંગની કીટની અછત સર્જાઈ

રાજ્યમાં ફરી કોરોના વાયરસનો વિસ્ફોટ થયો છે. દિવસેને દિવસે કોરોના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે ગઈકાલે પહેલીવાર 3500થી વધુ કોરોના સંક્રમણના કેસ નોંધાયા છે.

રાજ્યમાં રેમડેસિવીર ઈંજેકશનની અછત વચ્ચે હવે કોરોના ટેસ્ટ માટેની ટેસ્ટિંગ કીટની અછત સર્જાઈ છે. કોરોના ટેસ્ટિંગ કીટની અછત સુરેંદ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં સર્જાઈ છે. ટેસ્ટિંગ કીટની અછતના કારણે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં સવારના સમયે માત્ર 50ની મર્યાદામાં જ ટેસ્ટ કરવામાં આવે છે. તો અર્બન હેલ્થ સેંટરમાં માત્ર 25ના જ ટેસ્ટ કરવામાં આવે છે.

લોકો ટેસ્ટ કરાવવા આવતા નથી તેવું પણ નથી. દરરોજ 200 લોકોની ટેસ્ટિંગ માટે લાઈનો લાગે છે. પરંતું પ્રથમ 50ના ટેસ્ટ કરાયા બાદ બાકીના તમામને સીધા જ બીજા દિવસે સવારે આવજો કહીને રવાના કરી દેવાય છે. એબીપી અસ્મિતાના સંવાદદાતાએ રિયાલીટી ચેક કર્યું તો બપોર બાદ ટેસ્ટિંગ બંધ જોવા મળ્યું. સબંધિત અધિકારીઓનો સંપર્ક કરતા કોરોના ટેસ્ટ માટેની રેપિડ એંટિજન કીટોની અછત હોવાનો સ્વીકાર કર્યો.

નોંધનીય છે કે, રાજ્યમાં ફરી કોરોના વાયરસનો વિસ્ફોટ થયો છે. દિવસેને દિવસે કોરોના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે ગઈકાલે પહેલીવાર 3500થી વધુ કોરોના સંક્રમણના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Coronavirus)ના 3575  કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 22 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં હતા. ગઈકાલે  2217 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યમાં અત્યાર સુધી 3,05,149 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. 

રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 18 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 18684 પર પહોંચ્યો છે. જેમાંથી 175 લોકો વેન્ટિલેટર પર અને 18509 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 92.90  ટકા છે. 

કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 6,  સુરત કોર્પોરેશનમાં 8,  સુરતમાં-2,બનાસકાંઠા, ભાવનગર કોર્પોરેશન, મહીસાગર, મહેસાણા, પંચમહાલ અને વડોદરા કોર્પોરેશનમાં 1-1 દર્દીના મોત સાથે કુલ 17 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ મૃત્યુઆંક વધીને 4620 પર પહોંચી ગયો છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

અમદાવાદ કોર્પોરેશનમાં 804,  સુરત કોર્પોરેશનમાં 621, રાજકોટ કોર્પોરેશનમાં 395, વડોદરા કોર્પોરેશનમાં 351, સુરત 198, વડોદરા 124, પાટણ 111, વડોદરા-106, જામનગર કોર્પોરેશન 96,  રાજકોટ 95, જામનગરમાં 79, ભાવનગર કોર્પોરેશન-66, મહેસાણામાં-66, ગાંધીનગર કોર્પોરેશન-40,ગાંધીનગર-39, કચ્છ-38, મહીસાગર-37, પંચમહાલ-37, ખેડા-32, મોરબી-31, દાહોદ-29, બનાસકાંઠા-26, ભાવનગર-24, ભરૂચમાં 22, જુનાગઢ-22, જુનાગઢ કોર્પોરેશન-21, અમરેલી-2-, અમદાવાદ-19,આણંદ-19, નર્મદા-19, સાબરકાંઠા-19, વલસાડ-19, નવસારી-15, દેવભૂમિ દ્વારકા-14, ગીર સોમનાથ-13 અને સુરેન્દ્રનગરમાં 11 કેસ નોંધાયા હતા. 

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 71,86,613 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 8,74,677 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ-80,61,290 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Red Alert in Ahmedabad: અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
Ebrahim Raisi Passed Away: ઇરાનના રાષ્ટ્રપતિના નિધન પર ભારતમાં એક દિવસનો રાજકીય શોક, સરકારી ઉજવણી પર પ્રતિબંધ રહેશે
Ebrahim Raisi Passed Away: ઇરાનના રાષ્ટ્રપતિના નિધન પર ભારતમાં એક દિવસનો રાજકીય શોક, સરકારી ઉજવણી પર પ્રતિબંધ રહેશે
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Gujarat ATS | Vikas Sahay | અમદાવાદમાંથી 4 આતંકી ઝડપાયા | કોણ હતું નિશાના પર?Heatwaves: ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, રોજ 75થી વધુ લોકો ગરમીથી બીમારWeather Forecast: દેશમાં કાળઝાળ ગરમીની વચ્ચે ઠંડક આપતા સમાચાર ભારતીય હવામાન વિભાગે આપ્યાCyclone Alert: ગુજરાતમાં વધુ એક વાવાઝોડાનું સંકટ, અંબાલાલ પટેલની ધબકારા વધારતી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Red Alert in Ahmedabad: અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
Ebrahim Raisi Passed Away: ઇરાનના રાષ્ટ્રપતિના નિધન પર ભારતમાં એક દિવસનો રાજકીય શોક, સરકારી ઉજવણી પર પ્રતિબંધ રહેશે
Ebrahim Raisi Passed Away: ઇરાનના રાષ્ટ્રપતિના નિધન પર ભારતમાં એક દિવસનો રાજકીય શોક, સરકારી ઉજવણી પર પ્રતિબંધ રહેશે
Photos: ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૮ પ્રોબેશનરી IAS સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત
Gandhinagar: ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૮ પ્રોબેશનરી IAS સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત, જુઓ તસવીર
IPL 2024: શું ટી20 વર્લ્ડ કપની ટીમમાં થશે ફેરફાર? શિવમ દુબેના ખરાબ ફોર્મે ચિંતા વધારી, હવે આ ફિનિશરને મળી શકે છે મોકો
IPL 2024: શું ટી20 વર્લ્ડ કપની ટીમમાં થશે ફેરફાર? શિવમ દુબેના ખરાબ ફોર્મે ચિંતા વધારી, હવે આ ફિનિશરને મળી શકે છે મોકો
Obesity: ભારતનું દર ત્રીજું બાળક મેદસ્વીતાનો શિકાર, જાણો સૌથી મોટું કારણ, કેવી રીતે કરશો બચાવ
Obesity: ભારતનું દર ત્રીજું બાળક મેદસ્વીતાનો શિકાર, જાણો સૌથી મોટું કારણ, કેવી રીતે કરશો બચાવ
Lok Sabha Elections 2024: રતન ટાટા સહિત આ ઉદ્યોગપતિએ કર્યુ વોટિંગ, જુઓ તસવીરો
Lok Sabha Elections 2024: રતન ટાટા સહિત આ ઉદ્યોગપતિએ કર્યુ વોટિંગ, જુઓ તસવીરો
Embed widget