શોધખોળ કરો

બનાસકાંઠા જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ, અમીરગઢ, દાંતામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો

ઉત્તર ગુજરાતમાં આજે સવારથી જ વરસાદી માહોલ છે. બનાસકાંઠા, પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અમરીગઢ અને દાંતામાં 6 ઈંચ વરસાદ વરસ્યો છે.

બનાસકાંઠા: ઉત્તર ગુજરાતમાં આજે સવારથી જ વરસાદી માહોલ છે. બનાસકાંઠા, પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અમરીગઢ અને દાંતામાં 6 ઈંચ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પવન સાથે વરસેલા ભારે વરસાદના કારણે ધાનેરા માર્કેટીગ યાર્ડમાં ખેડૂતો અને વેપારીઓની  જણસ પલળી છે. માર્કેટ યાર્ડમાં રાયડો, બાજરી સહિતનો પાક પલળ્યો છે.  ભારે પવનના કારણે ડીસા તાલુકાના વરનોડા, જુનાડીસા, બાઈવાડા, કંસારી સહિતના ગામોમાં ઘરના પતરા અને તબેલાના શેડ ઉડ્યા હતા. 


બનાસકાંઠા જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ, અમીરગઢ, દાંતામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો

ધોધમાર વરસાદથી બનાસકાંઠાના ધાનેરામાં તારાજી સર્જાઈ છે.  વોકળામાં પાણીની ભરપૂર આવક થતા રસ્તા બ્લોક થયા છે.  સુઈગામ, વાવ, ભાભર, થરાદ, ધાનેરા, લાખણી, દિયોદર સહિતના વિસ્તારોમાં ભારે પવનથી નુકસાન થયું છે. 

વાવાઝોડુ ડીપ ડિપ્રેશનમાં ફેરવાયુ હોવાથી રાજ્યમાં વવાઝોડાની અસર  ઓછી થશે. હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ ભારે વરસાદ રહેશે.   અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.  વાવાઝોડુ રાજ્સ્થાન તરફ આગળ વધ્યુ છે.

ગુજરાતના આ વિસ્તારને લઈને હવામાન વિભાગે આપ્યું એલર્ટ

અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય નામના ચક્રવાતે ગુજરાત અને રાજસ્થાનને બરાબરનું ધમરોળ્યું હતું. ગુજરાતમાં કચ્છમાં તો દરિયાકાંઠા વિસ્તારમાં વાવાઝોડાએ રીતસરનો કહેર વરસાવ્યો હતો. હજી આ તારાજીમાંથી ગુજરાત બહાર નથી આવ્યુ ત્યાં ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે. હવામાન વિભાગે દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. દક્ષિણ રાજસ્થાન, ઉત્તર ગુજરાતના આસપાસના વિસ્તારોમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું.

ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, ચક્રવાત બિપરજોય હવે નબળું પડી ગયું છે અને તે પૂર્વ-ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, ઉત્તર ગુજરાતના આજુબાજુના વિસ્તારોમાં અને દક્ષિણ રાજસ્થાન સહિત એક-બે જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ચક્રવાતને કારણે માત્ર ગુજરાત અને રાજસ્થાનમાં જ વરસાદ થઈ રહ્યો છે.

ચક્રવાત બિપરજોયના કારણ નૈઋત્યનું ચોમાસુ નબળું પડશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવતી હતી. તેના પર પૂર્ણવિરામ મુકતા ડો. મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું હતું કે, ચોમાસાને આ ચક્રવાત સાથે કોઈ જ લેવાદેવા નથી. ચોમાસું તેના નિર્ધારીત સમય પ્રમાણે જ ધીમે ધીમે આગળ વધી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Embed widget