શોધખોળ કરો

Exclusive: ગુજરાત ચૂંટણી પહેલા અમિત શાહની ABP અસ્મિતા સાથે ખાસ વાતચીત, બોલ્યા-ભૂપેંદ્ર પટેલ જ CM ઉમેદવાર

ગુજરાત અને હિમાચલ પ્રદેશ  બંને રાજ્યોમાં ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે એક તબક્કામાં મતદાન થશે જ્યારે ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે.

Amit Shah Interview: ગુજરાત અને હિમાચલ પ્રદેશ  બંને રાજ્યોમાં ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે એક તબક્કામાં મતદાન થશે જ્યારે ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. બંને રાજ્યોમાં મતગણતરી 8 ડિસેમ્બરે થશે. ચૂંટણી પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એબીપી ન્યૂઝ સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી. આ દરમિયાન તેમણે બંને રાજ્યોમાં ભાજપની વાપસીનો દાવો કર્યો હતો.

Q. કેટલી મોટી જીતનો સંકલ્પ અને  કેટલી બેઠકો મળવાની શક્યતા છે?

A. અમિત શાહે કહ્યું કે ગુજરાતમાં અત્યારે જે પ્રકારનું રાજકીય વાતાવરણ છે, તેમાં ભારતીય જનતા પાર્ટી પ્રત્યે લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ બધુ જોતા ભારતીય જનતા પાર્ટી પોતાના તમામ રેકોર્ડ તોડીને ફરી એકવાર પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવશે તે નિશ્ચિત છે. 

Q. સી-વોટરે એબીપી ન્યૂઝ માટે સર્વે કર્યો છે, વિવિધ એજન્સીઓએ પણ સર્વે કર્યો છે. જેમાં ભાજપને 131-139 આસપાસ બેઠકો મળતી જણાય છે. તમારા મતે સર્વે કેટલા સચોટ છે?

A. સમાચાર સર્વેની વિશ્વસનિયતા વિશે કશું કહી શકું તેમ નથી, પરંતુ મેં છેલ્લા ઘણા સમયથી ગુજરાતની ચૂંટણીઓ જોઈ છે, 5 વખત ધારાસભ્ય રહી ચૂક્યો છે. જે રીતે ગુજરાતની જનતા, ગુજરાતના યુવાનો, ગુજરાતના ખેડૂતો અને ખાસ કરીને ગુજરાતની મહિલાઓને દેશના વડાપ્રધાનમાં વિશ્વાસ છે અને ઉત્સાહનો માહોલ છે, ચોક્કસ અમે અમારા તમામ રેકોર્ડ તોડીને બહુમતી સાથે સરકાર બનાવીશું. 

Q. કોમન સિવિલ કોડ લાગુ કરવા માટે ગુજરાત સરકારે કમિટીની રચના કરી, કોંગ્રેસ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો, આમ આદમી પાર્ટી તરફથી કહેવામાં આવ્યું કે સમગ્ર દેશમાં કોમન સિવિલ કોડ માત્ર ગુજરાતમાં જ શા માટે લાગુ કરવો જોઈએ. શું કેન્દ્ર ગુજરાત સરકારના સમિતિ બનાવવાના નિર્ણયને સમર્થન આપે છે?

A. જ્યાં સુધી કોમન સિવિલ કોડનો સંબંધ છે, તે જનસંઘની સ્થાપનાથી અમારા એજન્ડાનો એક ભાગ છે. કોમન સિવિલ કોડ એ ભારતીય જનતા પાર્ટીની દેશના લોકો પ્રત્યેની વૈચારિક પ્રતિબદ્ધતા છે અને એક કોમન સિવિલ કોડ હોવો જોઈએ. તે જનસંઘના સમયથી ભારતીય જનતા પાર્ટીના સમય સુધીના અમારા સમગ્ર ચૂંટણી ઢંઢેરાના એક ભાગ છે. તે સમયે AAP પાર્ટી નહોતી, પરંતુ કોંગ્રેસનો વિરોધ પણ નવો નથી.

હિન્દુ કોડ બિલ જવાહરલાલ નેહરુ દ્વારા લાવવામાં આવ્યું હતું અને કૉમન સિવિલ કોડનો આજ સુધી કૉંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, કારણ કે કૉંગ્રેસે આજ સુધી તુષ્ટિકરણની રાજનીતિ કરી છે. વાલી આચાર્યોને કલમ 44 હેઠળ આપવામાં આવે છે. 

કલમ 44ની અંદર ગાર્ડિયન પ્રિન્સિપલ આપવામાં આપવામાં આવ્યા હતા.   તેમાં બંધારણ ઘડનારાઓએ એવી અપેક્ષા રાખી હતી કે ભવિષ્યમાં દેશની સંસદ, દેશની ધારાસભાએ કોમન સિવિલ કોડ લાવવો જોઈએ અને કોમન સિવિલ કોડ દ્વારા આખા દેશમાં ધર્મના આધારે કોઈ કાયદો ન હોવો જોઈએ. કલમ 14 અને કલમ 15 બંને સ્પષ્ટ કરે છે કે દરેક વ્યક્તિ સાથે સમાન વ્યવહાર થવો જોઈએ. ધર્મના આધારે કોઈને વિશેષ વ્યવહાર ન મળવો જોઈએ. કોઈની સાથે અન્યાય ન થવો જોઈએ.

Q. ગુજરાત માટે 2014થી જ ડબલ એન્જિનની સરકાર સ્થપાઈ હતી, તો શું કારણ છે કે વર્તમાન ટર્મમાં જ ડબલ એન્જિનના ચાલક બદલવા પડ્યા અને નેતૃત્વ બદલાયા પછી સંગઠન અને ગુજરાતને શું ફાયદો થયો ? 

A. નરેન્દ્રભાઈના ગયા પછી આનંદીબેન આવ્યા, અમારી પાર્ટીની નીતિ મુજબ આનંદીબેને 75 વર્ષની ઉંમર સુધી શાસન પર રહ્યા.  વિજયભાઈ આવ્યા અને 5 વર્ષના શાસનનો અંત આવ્યો. ભૂપેન્દ્રભાઈ આવ્યા અને તેમના નેતૃત્વમાં અમે ચૂંટણી લડી રહ્યા છીએ, આમાં શું બદલાવ આવ્યો છે ? કોંગ્રેસના શાસનમાં 1965થી લઈને ઈન્દિરા ગાંધી જીવતા હતા ત્યાં સુધી 2 વર્ષ અને 1 મહિનાના મુખ્યમંત્રી રહેતા હતા. તમારે આ સવાલ કોંગ્રેસને પૂછવો જોઈએ. વિજય ભાઈએ 5 વર્ષ પૂરા કર્યા, આનંદીબેન અંગે અમારા પક્ષના માપદંડોને કારણે નિર્ણય લેવામાં આવ્યો અને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ચૂંટણી યોજાઈ રહી છે. 

Q.  તો એવું માની શકાય કે મુખ્યમંત્રીનો ચહેરો ભૂપેન્દ્રભાઈ છે અને ચૂંટણી પછી ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી બનશે?

A  ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ચૂંટણી યોજાઈ રહી છે. ભુપેન્દ્રભાઈ પટેલના નામ પર જ મેન્ડન્ટ માંગવાના રહેશે. ભારતીય જનતા પાર્ટી તેમના નેતૃત્વમાં ચૂંટણી લડી રહી છે. ગુજરાતની જનતા તેમના પર જ મહોર મારશે. તેમાં પરીવર્તનની વાત ક્યાં છે ?

Q. પરીવર્તનની વાત કરીએ તો માત્ર મુખ્યમંત્રી જ નહીં પરંતુ ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર સમગ્ર મંત્રીમંડળમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તે પછી જે નવા ચહેરાઓ આવ્યા તેની શું જરૂર હતી અને તેનો શું ઉપયોગ હતો?

A પાર્ટી અનેકવાર પ્રયોગો કરે છે, ક્યારેક નિર્ણયો પણ લે છે, અગાઉ ગુજરાતની નગરપાલિકાની ચૂંટણીમાં પણ કોઈને ટિકિટ ન મળે એવો નિયમ હતો, સંપૂર્ણ પરીવર્તન.  ગુજરાતના લોકો તેમને પસંદ કરતા હતા. આ વખતે પણ નક્કી કર્યું. આ એક રીતે પાર્ટીનો નિર્ણય છે. આ નિર્ણય સામે કોઈએ વિરોધ કર્યો નથી. બધાએ હસીને પાર્ટીના નિર્ણયને આવકાર્યો.

Q.  ભાજપ કેડર બેઝ પાર્ટી છે. તમારો અનુભવ, તમારો અંદાજ, તમારું ગણિત શું કહે છે, જે લોકોને ડ્રોપ કર્યા છે તેઓ પાર્ટીને એ જ રીતે મદદ કરશે?

A. પાર્ટીને ચોક્કસ મદદ કરશે. પાર્ટીને  જીતડવવા માટે કામ કરશે. અત્યારે અમારી ટિકિટ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે, દરેક વ્યક્તિ પોતપોતાના અનુભવ અને સમજણ મુજબ ટિકિટ આપવાની પ્રક્રિયામાં સહયોગ આપી રહ્યા છે.

Q.  આ વખતે આમ આદમી પાર્ટી પણ આવી ગઈ છે.  થોડા સમયથી પ્રચાર કરી રહી છે?

A. ગત વખતે પણ હતી.

Q.  પણ તે સમયે તે મીઠાઈઓ વેચતી ન હતી?

A. મીઠાઈ વેચવાની તો તેમની  પ્રકૃતિ છે.

Q. તમને શું લાગે છે કે ભાજપ વિ કોંગ્રેસ કે ત્રિપાંખીયો જંગ  થશે?

A. હું માનતો નથી કે ગુજરાતમાં ક્યારેય ત્રીજા પક્ષનું સ્થાન રહ્યું છે. મારી સમજ પ્રમાણે મેં મારા આવ્યા પછી મે રાજકારણમાં  જોયું નથી.

Q.  ભાજપનું સૂત્ર છે 'ભરોસા ની સરકાર', કોંગ્રેસનું સૂત્ર છે 'કામ બોલે છે', કેજરીવાલનું સૂત્ર છે 'એક મોકો કેજરીવાલ ને', આ ત્રણ નારાઓમાં અમિત શાહ રાજ્યના ગણિતના માહેર છે, તેમને શું  તફાવત દેખાય છે ?

A. ચીમનભાઈ પટેલ એક સક્ષમ રાજકીય નેતા હતા. આ વાત દેશના તમામ રાજકીય સમજદાર લોકોએ સ્વીકારવી પડશે. તેમણે કિમલોક કરીને એક પક્ષ બનાવ્યો અને 4 વર્ષમાં સમાપ્ત થયો. શંકરસિંહ વાઘેલાએ પણ પોતાની પાર્ટી બનાવી હતી. રતિભાઈએ પોતાની પાર્ટી બનાવી તે પણ ખતમ થઈ ગઈ. કેટલા લોકોએ કામ કર્યું.  કેશુભાઈ પટેલે પણ પાર્ટી બનાવી હતી, તેમની પણ ન ચાલી.  ગુજરાતમાં ત્રીજા પક્ષને સ્થાન નથી. ગુજરાતની અંદર સીધી સ્પર્ધા બે પક્ષો વચ્ચે છે.  ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દરેક જિલ્લામાં કન્ટ્રોલરૂમ, પેટ્રોલ-ડીઝલ અને ગેસ સપ્લાય માટે રાજ્ય સરકારે 16 સભ્યોની હાઈપાવર કમિટી બનાવી
દરેક જિલ્લામાં કન્ટ્રોલરૂમ, પેટ્રોલ-ડીઝલ અને ગેસ સપ્લાય માટે રાજ્ય સરકારે 16 સભ્યોની હાઈપાવર કમિટી બનાવી
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી: જાણો કયા જિલ્લાઓમાં ત્રાટકશે માવઠું?
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી: જાણો કયા જિલ્લાઓમાં ત્રાટકશે માવઠું?
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
ગાંધીનગરમાં સીએમની હાઈલેવલ બેઠક: જાણો પેટ્રોલ-ડીઝલ, એલપીજી અને ખાતરના જથ્થા અંગે શું છે લેટેસ્ટ અપડેટ
ગાંધીનગરમાં સીએમની હાઈલેવલ બેઠક: જાણો પેટ્રોલ-ડીઝલ, એલપીજી અને ખાતરના જથ્થા અંગે શું છે લેટેસ્ટ અપડેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાનાભાઈનું કોણ અને કિરીટભાઈ કોના ?
Ahmedabad Police : ગુજરાતમાં પોલીસની આબરૂના ઉડ્યા ધજાગરા, પાટણ બાદ હવે અમદાવાદમાં પોલીસને માર મારી ભગાડી
Hun To Bolish : હું તો બોલીશ : અય્યાશ બાબાની નકલી નોટનો પર્દાફાશ
Harsh Sanghavi : લોકડાઉનની અફવાથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની લોકોને અપીલ
Gujarat Weather : ગુજરાતમાં માવઠાની આગાહી, કઈ તારીખે ક્યાં પડશે માવઠું?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2026 નો ધમાકેદાર પ્રારંભ: RCB એ પહેલી જ મેચમાં SRH ને કચડી નાખ્યું, કોહલી અને પડિકલની તોફાની બેટિંગ
IPL 2026 નો ધમાકેદાર પ્રારંભ: RCB એ પહેલી જ મેચમાં SRH ને કચડી નાખ્યું, કોહલી અને પડિકલની તોફાની બેટિંગ
IPL 2026 ની પહેલી જ મેચમાં ફિલ સોલ્ટ બન્યો 'સુપરમેન': હવામાં ડાઈવ લગાવી પકડ્યા 2 અદ્ભુત કેચ!
IPL 2026 ની પહેલી જ મેચમાં ફિલ સોલ્ટ બન્યો 'સુપરમેન': હવામાં ડાઈવ લગાવી પકડ્યા 2 અદ્ભુત કેચ!
અમેરિકા-ઈરાન યુદ્ધ ક્યારે ખત્મ થશે? ટ્રમ્પે જણાવી ડેડલાઈન, ‘અમેરિકન સૈનિકોને ઈરાન મોકલવાની કોઈ...’
અમેરિકા-ઈરાન યુદ્ધ ક્યારે ખત્મ થશે? ટ્રમ્પે જણાવી ડેડલાઈન, ‘અમેરિકન સૈનિકોને ઈરાન મોકલવાની કોઈ...’
ખાખીનો ખોફ ગાયબ! ગુજરાતમાં પોલીસની આબરૂના ઉડ્યા ધજાગરા: પાટણ બાદ હવે અમદાવાદમાં પોલીસને માર મારી ભગાડી
ખાખીનો ખોફ ગાયબ! ગુજરાતમાં પોલીસની આબરૂના ઉડ્યા ધજાગરા: પાટણ બાદ હવે અમદાવાદમાં પોલીસને માર મારી ભગાડી
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી: જાણો કયા જિલ્લાઓમાં ત્રાટકશે માવઠું?
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી: જાણો કયા જિલ્લાઓમાં ત્રાટકશે માવઠું?
અમદાવાદમાં પ્રેમલગ્નનો કરુણ અંત! પત્નીને 'સબક' શીખવવા પતિએ ખેલ્યો કેમિકલ એટેકનો ખોફનાક ખેલ
અમદાવાદમાં પ્રેમલગ્નનો કરુણ અંત! પત્નીને 'સબક' શીખવવા પતિએ ખેલ્યો કેમિકલ એટેકનો ખોફનાક ખેલ
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
શું ભારતમાં ખરેખર ફક્ત 5 થી 10 દિવસનું જ પેટ્રોલ-ડીઝલ અને LPG બચ્યું છે? ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સરકારે જણાવ્યું સત્ય
શું ભારતમાં ખરેખર ફક્ત 5 થી 10 દિવસનું જ પેટ્રોલ-ડીઝલ અને LPG બચ્યું છે? ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સરકારે જણાવ્યું સત્ય
Embed widget