શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગુજરાત ભાજપના નારાજ ધારાસભ્ય ગોવિંદ પરમારને ભાજપે ના આપી કોઈ ખાતરી, જાણો એ પછી પરમારે શું કરી જાહેરાત ?
સીએમ રૂપાણીનું તેડું આવતાં ઉમરેઠ ધારાસભ્ય ગોવિંદ પરમાર સીએમને મળવા ગાંધીનગર પહોંચ્યા હતા.
![ગુજરાત ભાજપના નારાજ ધારાસભ્ય ગોવિંદ પરમારને ભાજપે ના આપી કોઈ ખાતરી, જાણો એ પછી પરમારે શું કરી જાહેરાત ? BJP did not give any assurance to disgruntled Gujarat BJP MLA Govind Parmar, find out what Parmar announced after that? ગુજરાત ભાજપના નારાજ ધારાસભ્ય ગોવિંદ પરમારને ભાજપે ના આપી કોઈ ખાતરી, જાણો એ પછી પરમારે શું કરી જાહેરાત ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/19140010/govind-parmar.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે ભાજપમાં બળવો થયો છે. મધ્ય ગુજરાતના ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારે ધારાસભ્યપદેથી રાજીનામુ આપવાની જાહેરાત કરતાં ભાજપમાં સોપો પડી ગયો હતો.
ધારાસભ્ય ગોવિંદ પરમારની રાજીનામાંની ચીમકીથી ચોંકી ઉઠેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગોવિંદભાઇ પરમારને સાંભળવા તાત્કાલિક ગાંધીનગર બોલાવ્યા હતા. આ મુલાકાત પછી ગોવિંદ પરમારે પોતે રાજીનામું નહીં આપે એવી જાહેરાત કરી છે.
મુખ્યમંત્રીને મળ્યા પછી પરમારે કહ્યું કે, આણંદ જિલ્લાની કે મારા મતવિસ્તારની બાબતોમાં મને પૂછવામાં આવતું નથી તેથી આજે પંકજ ભાઈ સાથે વાત થઈ છે. તેમણે મને કોઈ ખાતરી નથી આપી પણ મેં રજૂઆત કરી છે કે, સંગઠને મને ચુંટણીમાં મદદ ન કરી હતી અને ભાજપ સંગઠન મારી સાથે ન હતું. બલ્કે મને હરાવવા માટે કામ કર્યું હતું. મને અહીંયા મંત્રીમંડળ સામે તકલીફ નથી પણ સ્થાનિક સંગઠન સામે સમસ્યા છે. મનેકોઈ પૂછે નહિ અને એમ જ નિર્ણય લેવાયા છે. હુ કોઈ ધમકી થી ડરું એમ નથી કે પાર્ટીને દબાણ કરવા નથી માગતો. મેં કોઈ માગણી પણ કરી નથી.
સીએમ રૂપાણીનું તેડું આવતાં ઉમરેઠ ધારાસભ્ય ગોવિંદ પરમાર સીએમને મળવા ગાંધીનગર પહોંચ્યા હતા. મુખ્યમંત્રી સાથેની મુલાકાત દરમિયાન પરમાર અમુલમાં ડિરેકટરની ચૂંટણી માં ભાજપ આણંદ જિલ્લા સંગઠને ભજવેલી નકારાત્મક ભૂમિકા અને જિલ્લામાં જ્ઞાતિવાદના રાજકારણ અંગે રજૂઆત કરી હતી.
ગોવિંદ પરમારે જાહેરાત કરી છે કે,મંગળવારે હું ધારાસભ્યપદેથી રાજીનામુ આપી દઇશ. પરમારે ખુલાસો કર્યો હતો કે, મને ભાજપ સાથે વાંધો નથી પણ આણંદના સાંસદ મિતેશ પટેલ સાથે જ વાંધો છે તેથી હું ધારાસભ્ય છોડી રહ્યો છું પણ ભાજપમાં તો રહીશ જ. આ જાહેરાતના પગલે રૂપાણીએ પરમારને બોલાવવા પડ્યા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ
આરોગ્ય
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)