શોધખોળ કરો

ગુજરાત બીજેપી નેતાએ કાઢ્યો બળાપો, ભ્રષ્ટાચારને ગણાવ્યો આતંકવાદ કરતા મોટો ખતરો

Amreli: અમરેલી ભાજપના નેતા ડોકટર ભરત કાનાબારે ભ્રષ્ટાચારને આતંકવાદ કરતા વધુ દેશ માટે  ખતરો ગણાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી બળાપો ઠાલવ્યો છે.

Amreli: અમરેલી ભાજપના નેતા ડોકટર ભરત કાનાબારે ભ્રષ્ટાચારને આતંકવાદ કરતા વધુ દેશ માટે  ખતરો ગણાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી બળાપો ઠાલવ્યો છે. તમને જણાવી દઈએ કે,ડોકટર ભરત કાનાબાર અવારનવાર ભ્રષ્ટાચાર અંગે સોશિયલ મીડિયાના માધ્યમથી અવાજ ઉઠાવતા રહે છે. 


ગુજરાત બીજેપી નેતાએ કાઢ્યો બળાપો, ભ્રષ્ટાચારને ગણાવ્યો આતંકવાદ કરતા મોટો ખતરો

તેમણે લખ્યું કે,  આઝાદીના આઠમા દાયકામાં ભ્રષ્ટાચાર, આતંકવાદ કરતા પણ દેશ સામેનો મોટો ખતરો છે. મુઠ્ઠીભર હાડકાનો દેહ, 56”ની નહિ માત્ર 28”ની છાતી સાથે એક “ડોસાએ” ( ) પરદેશથી આવેલા બ્રિટીશરો સામે નિર્ભયતાપૂર્વક લડત કરી અને દેશને મહામૂલી આઝાદી મળી.

આજે તો આપણા મતોથી ચૂંટાયેલી સરકારો છે. આપણા પરસેવાના પૈસાથી ભરાતા ટેક્સમાંથી જેમના તગડા પગારો ચૂકવાય છે તે અધિકારીઓ તંત્રમાં છે ત્યારે કોની શરમ અને કોનો ડર રાખવાનો ?

ચોરે બેઠા બેઠા કે પાનના ગલ્લે કટકી કરનારાઓનો હિસાબ ગણતા રહેવાને બદલે તેમની સામે હિમ્મતથી અવાજ ઉઠાવવો પડશે. ધ્વજવંદન પછી “ભારત માતા કી જય” મોટા અવાજે બોલવાની સાથે સાથે જ્યાં પણ ગેરરીતિઓ ચાલતી હોય તેની સામેનો અવાજ પણ મોટો કરવો પડશે.

દીકરા, રાણા પ્રતાપ કે શિવાજી મહારાજ જેવા થવા જોઈએ -પણ આપણે ત્યાં નહિ પણ પાડોશીને ત્યાં” એવી પલાયનવાદી માનસિકતાથી દેશ ના બચે. ભ્રષ્ટાચારના ભોરિંગને કારણે બેહાલ અને કંગાળ બની ગયેલ અનેક આફ્રિકન રાષ્ટ્રોના ઉદાહરણો આપણી સામે છે.

ભ્રષ્ટાચાર સામેના આ જંગમાં કોઈની શરમ રાખવી પાલવે તેમ નથી, આપણો ઓળખીતો કે આપણો સંબંધી કે આપણા પક્ષનો - ભ્રષ્ટ રીતરસમોથી પ્રજાનું શોષણ કરતા તમામ “કૌરવો” છે. જરુર છે આપણી જાતને પૂછવાની કે પાંડવો બનીને આપણી લડવાની તૈયારી છે ખરી ?

આમ ડોકટર ભરત કાનાબારે સોશિયલ મીડિયાના માધ્યનથી પોતાની વ્યથા ઠાલવી છે. જેના પર લોકો દ્વારા વિવિધ પ્રતિક્રિયા પણ આવવા લાગી છે. આ પોસ્ટમાં તેમણે પીએમ મોદી,પીએમઓ,બીજેપી નેતા રત્નાકરજી અને સીએમ ભુપેન્દ્ર પટેલને ટેગ કર્યા છે.

થોડા દિવસ પહેલા તેમણે ડોનાલ્ડ ટ્રમ્પ વિશે પણ ટીપ્પણી કરી હતી. તેમણે લખ્યું હતું કે, ટ્રમ્પના નિવેદનો અને નિર્ણયો તર્કથી પર, સમજની બહાર અને ક્યારેક તો પાગલપણાની હદ સુધી પહોંચેલા લાગે છે. વિશ્વના સૌથી વિકસિત અને સમૃદ્ધ દેશના લોકો આવો મનસ્વી નેતા કેવી રીતે ચૂંટે છે તે સમજવું મુશ્કેલ છે. ટ્રમ્પની પસંદગી લોકશાહી શ્રેષ્ઠ શાસન પદ્ધતિ હોવા અંગે પણ ગંભીર સવાલો અને શંકા ઉભી કરે છે. નિવૃત થયેલ રાષ્ટ્રપતિ બાઈડન ઉંમરને કારણે ન્યુરોલોજીકલ પ્રોબ્લેમથી ગ્રસ્ત હતા પણ ટ્રમ્પ તો ગંભીર સાયકોલોજીકલ બીમારીના શિકાર હોય તેવું દેખાય રહ્યું છે !!

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget