શોધખોળ કરો

મંત્રી મંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે દિલ્હી પહોંચ્યા મોઢવાડિયા, પાટીલ બાદ શાહ સાથે મુલાકાત કરતા રાજકારણ ગરમાયું

ભાજપના ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયાની અચાનક દિલ્હી મુલાકાતથી રાજકારણ ગરમાયું છે

ભાજપના ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયાની અચાનક દિલ્હી મુલાકાતથી રાજકારણ ગરમાયું છે. અર્જૂન મોઢવાડિયાની દિલ્હી મુલાકાતના કારણે રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા ફરી એકવાર શરૂ થઇ હતી.

અર્જુન મોઢવાડિયાએ દિલ્હીમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ સાથે મુલાકાત કરી હતી. એટલું જ નહીં તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરી હતી.  જો કે અન્ય નેતાઓની જેમ જ મોઢવાડિયાએ આ સૌજન્ય મુલાકાત ગણાવી હતી.

પરંતુ આ મુલાકાતના ફોટા તેમણે જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા. લોકસભાની સાથે સાથે યોજાયેલી રાજ્ય વિધાનસભાની પેટાચૂંટણીમાં અર્જૂન મોઢવાડિયા ભાજપની ટિકિટ પર પોરબંદરથી ચૂંટણી જીત્યા છે.  તેમનો લાંબો રાજકીય અનુભવ હોવાના કારણે તેમને મંત્રી બનાવાય તેવી ચર્ચા તે ભાજપમાં જોડાયા ત્યારથી જ ચાલી રહી છે.  હાલ રાજ્યમંત્રી મંડળ માત્ર 17 સભ્યોનું છે ત્યારે હજુ પણ મંત્રીમંડળમાં નવ જેટલા મંત્રીઓને સામેલ કરી શકાય તેમ હોવાથી વિસ્તરણને લઈને અટકળો હંમેશા થતી રહી છે. જો કે ભાજપની સરકારમાંથી વિસ્તરણની વાતને ક્યારેય સમર્થન મળ્યું નથી. 

કોણ છે અર્જૂન મોઢવાડિયા 

અર્જૂન મોઢવાડિયા વર્ષ 1997માં સત્તાવાર રીતે કોંગ્રેસ સાથે જોડાયા હતાં. તેઓ પ્રથમ વખત વર્ષ 2002માં પોરબંદર વિધાનસભા બેઠક પરથી ધારસભ્ય તરીકે ચુંટાઈ આવ્યા હતાં. અર્જૂન મોઢવાડિયાને વર્ષ 2004થી 2007 સુધી ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે ફરજ નિભાવવાની તક મળી હતી. તેઓ ફરી વર્ષ 2007માં પોરબંદર વિધાનસભા બેઠક ઉપરથી ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવ્યા. આ દરમિયાન તેમની માર્ચ 2011 ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે નિયુક્તિ થઈ હતી. અર્જૂન મોઢવાડિયાની ગણના માત્ર પોરબંદર જ નહીં સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસના ટોચના નેતાઓમાં થાય છે. તેઓ મહેર સમાજના ટોચના આગેવાનોની હરોળમાં સ્થાન ધરાવે છે. પોરબંદરમાં મહેર સમાજ ઉપરાંત માછીમાર સમાજ, કોળી સમાજ, દલિત અને અન્ય ઓબીસી સમાજનું વર્ચસ્વ છે. વર્ષ 2024માં તેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા.  બાદમાં પોરબંદર બેઠક પર ભાજપની ટિકિટ પરથી પેટાચૂંટણી લડ્યા અને જીત્યા હતા. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM Modi Gujarat Visit LIVE: સોમનાથમાં પીએમ મોદીનો રોડ શૉ, રસ્તાની બંને બાજુ જોવા મળી લોકોની ભીડ
PM Modi Gujarat Visit LIVE: સોમનાથમાં પીએમ મોદીનો રોડ શૉ, રસ્તાની બંને બાજુ જોવા મળી લોકોની ભીડ
ભાવનગરના પરિવારને હિમાચલમાં નડ્યો અકસ્માત, વાહન ખીણમાં ખાબકતા પાંચના મોત 
ભાવનગરના પરિવારને હિમાચલમાં નડ્યો અકસ્માત, વાહન ખીણમાં ખાબકતા પાંચના મોત 
આવતીકાલનું હવામાન: 10થી વધુ રાજ્યમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડશે, જાણો કયા રાજ્યમાં શું એલર્ટ?
આવતીકાલનું હવામાન: 10થી વધુ રાજ્યમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડશે, જાણો કયા રાજ્યમાં શું એલર્ટ?
ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી: 5 જિલ્લામાં પારો 43 ડિગ્રીને પાર, અમદાવાદમાં 6 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી: 5 જિલ્લામાં પારો 43 ડિગ્રીને પાર, અમદાવાદમાં 6 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish : હું તો બોલીશ : આને કહેવાય સોશિયલ પોલીસીંગ!
Surat Police : સુરતમાં દુષ્કર્મના કેસમાં 1 મહિનાથી ફરાર AAP કાર્યકરની ધરપકડ
Gujarat Hit Wave : કાલે કામ સિવાય બહાર ન નીકળતા , 15 જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ
PM Modi Gujarat Visit : PM મોદીના સોમનાથમાં રોડ શોને લઈ તડામાર તૈયારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit LIVE: આજે સોમનાથ અમૃત મહોત્સવનું આયોજન, પીએમ મોદી અમૃત મહોત્સવમાં લેશે ભાગ
PM Modi Gujarat Visit LIVE: આજે સોમનાથ અમૃત મહોત્સવનું આયોજન, પીએમ મોદી અમૃત મહોત્સવમાં લેશે ભાગ
Stock Market Crash: ઘટાડા સાથે શેરબજારની શરૂઆત, સેન્સેક્સમાં 900 પોઈન્ટનો કડાકો
Stock Market Crash: ઘટાડા સાથે શેરબજારની શરૂઆત, સેન્સેક્સમાં 900 પોઈન્ટનો કડાકો
RCB vs MI Highlights: IPL 2026માંથી બહાર થઈ મુંબઈ ઈન્ડિયન્સ, છેલ્લા બોલે RCBએ મેળવી રોમાંચક જીત
RCB vs MI Highlights: IPL 2026માંથી બહાર થઈ મુંબઈ ઈન્ડિયન્સ, છેલ્લા બોલે RCBએ મેળવી રોમાંચક જીત
PM Modi In Jamnagar: 'બંગાળના પરિણામની દુનિયાભરમાં થઈ રહી છે ચર્ચા', જામનગરમાં વડાપ્રધાન મોદીનું સંબોધન 
PM Modi In Jamnagar: 'બંગાળના પરિણામની દુનિયાભરમાં થઈ રહી છે ચર્ચા', જામનગરમાં વડાપ્રધાન મોદીનું સંબોધન 
ભાવનગરના પરિવારને હિમાચલમાં નડ્યો અકસ્માત, વાહન ખીણમાં ખાબકતા પાંચના મોત 
ભાવનગરના પરિવારને હિમાચલમાં નડ્યો અકસ્માત, વાહન ખીણમાં ખાબકતા પાંચના મોત 
PM Kisan Yojana: આ ભૂલના કારણે અટકી શકે છે પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો
PM Kisan Yojana: આ ભૂલના કારણે અટકી શકે છે પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો
Nepal: નેપાળમાં લેન્ડિંગ દરમિયાન મોટી દુર્ઘટના, પ્લેનના ટાયરમાં લાગી આગ, ફ્લાઈટમાં 278 મુસાફરો હતા સવાર
Nepal: નેપાળમાં લેન્ડિંગ દરમિયાન મોટી દુર્ઘટના, પ્લેનના ટાયરમાં લાગી આગ, ફ્લાઈટમાં 278 મુસાફરો હતા સવાર
‘હવે વિદેશના આંટાફેરા ને સોનું લેવાનું બંધ કરો!’: અર્થતંત્રને બચાવવા પીએમ મોદીની હાકલ
‘હવે વિદેશના આંટાફેરા ને સોનું લેવાનું બંધ કરો!’: અર્થતંત્રને બચાવવા પીએમ મોદીની હાકલ
Embed widget