શોધખોળ કરો

શિક્ષણનું વેપારીકરણ? ભાજપ સરકારે 5 વર્ષમાં 5000 સરકારી શાળાઓ તાળાં માર્યા: ઈસુદાન ગઢવીનો ધડાકો

કેજરીવાલના ટ્વીટથી ખળભળાટ: ગુજરાતની 157 શાળાઓનું ધોરણ 10નું પરિણામ 0%, ઈસુદાનના આકરા પ્રહાર

BJP closed schools claim: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતની 157 શાળાઓના ધોરણ 10ના પરિણામો 0 ટકા આવ્યા હોવાનું ટ્વીટ રીટ્વીટ કર્યા બાદ રાજ્યનું રાજકારણ ગરમાયું છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે ભાજપનું ગુજરાત મોડેલ ગુજરાતમાં અને આખા દેશમાં શિક્ષણ ક્ષેત્રે સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે.

ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે અરવિંદ કેજરીવાલજીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે ગુજરાતની 157 શાળાઓનું ધોરણ 10નું પરિણામ 0 ટકા આવ્યું છે. આના પર પ્રતિક્રિયા આપતા ભાજપના લોકો કહી રહ્યા છે કે કેજરીવાલજીનું ટ્વીટ બે વર્ષ જૂનું છે. પરંતુ ઈસુદાને સવાલ ઉઠાવ્યો કે બે વર્ષ જૂનું હોય કે 30 વર્ષ જૂનું હોય, સરકાર તો તમારી જ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે આનાથી બાળકોનું ભવિષ્ય ખતમ થઈ રહ્યું છે.

ઈસુદાન ગઢવીએ ગુજરાતની જનતા અને બાળકો માટે અવાજ ઉઠાવવા બદલ અરવિંદ કેજરીવાલનો આભાર માન્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે છેલ્લા પાંચ વર્ષમાં ભાજપની સરકારે 5 હજાર સરકારી શાળાઓ બંધ કરી દીધી છે. તેમનો આરોપ છે કે ખાનગી શાળાઓ ખોલવા માટે સરકારી શાળાઓને જાણી જોઈને બંધ કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત, ઈસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી અને સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા દેવામાં આવતી નથી, કારણ કે તેનાથી તેમનો પોતાનો ધંધો (ખાનગી શાળાઓ) ચાલે છે. ઈસુદાન ગઢવીના આ નિવેદનોથી રાજ્યના શિક્ષણ ક્ષેત્રે ફરી એકવાર ચર્ચા અને વિવાદોનો દોર શરૂ થયો છે.

કોંગ્રેસ પ્રમુખના શિક્ષણને લઈ ભાજપ સરકાર પર આકરા પ્રહાર

ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને લઈને કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે ગુજરાતના શિક્ષણ અંગે જે દાવાઓ કરવામાં આવી રહ્યા છે તે તદ્દન સત્ય અને વાસ્તવિક છે. શક્તિસિંહ ગોહિલે રાજ્યની શિક્ષણ વ્યવસ્થાની કથળતી સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે એક સમયે ગુજરાતમાં સરકારી શિક્ષણની ઉત્તમ પરંપરા હતી, પરંતુ ભાજપ સરકારના શાસનમાં ખાનગી શિક્ષણની પરંપરા શરૂ થઈ છે. જેના કારણે આજે વાલીઓને ખાનગી શાળાઓમાં ઊંચી ફી ભરીને પોતાના બાળકોને અભ્યાસ કરાવવાની ફરજ પડી રહી છે. તેમણે ઉમેર્યું કે રાજ્યમાં સરકારી શાળાઓ અને શિક્ષકોની સંખ્યા પણ સતત ઘટી રહી છે, જે ચિંતાજનક બાબત છે. કોંગ્રેસ પ્રમુખે કચ્છ, ભાલ અને આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની સ્થિતિ અંગે વાત કરતાં જણાવ્યું કે આજે પણ અનેક શાળાઓ એવી છે જ્યાં માત્ર એક જ શિક્ષક બાળકોને ભણાવી રહ્યા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત
Rain updates: સાત દિવસ રહેશે વરસાદી માહોલ, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 
Rain updates: સાત દિવસ રહેશે વરસાદી માહોલ, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 
ભાજપ સાંસદ મનસુખ વસાવાની આદિવાસીઓને સલાહ: 'કેમિકલયુક્ત દારૂ પીવા કરતા ઘરે મહુડાનો દારૂ બનાવી પીવો'
ભાજપ સાંસદ મનસુખ વસાવાની આદિવાસીઓને સલાહ: 'કેમિકલયુક્ત દારૂ પીવા કરતા ઘરે મહુડાનો દારૂ બનાવી પીવો'

વિડિઓઝ

Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી
Dhirendra Krishna Shastri : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ જેહાદને લઈ શું આપ્યું મોટું નિવેદન?
Surat News : સુરતમાં મોટી દુર્ઘટના , 4 કામદારોના મોતથી ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
ચાંદી ઉચ્ચ સપાટીથી ₹2.09 લાખ સસ્તી, સોનામાં પણ ₹48,000 નો ઘટાડો નોંધાયો, જાણો આજના લેટેસ્ટ ભાવ
ચાંદી ઉચ્ચ સપાટીથી ₹2.09 લાખ સસ્તી, સોનામાં પણ ₹48,000 નો ઘટાડો નોંધાયો, જાણો આજના લેટેસ્ટ ભાવ
Embed widget