શોધખોળ કરો

શિક્ષણનું વેપારીકરણ? ભાજપ સરકારે 5 વર્ષમાં 5000 સરકારી શાળાઓ તાળાં માર્યા: ઈસુદાન ગઢવીનો ધડાકો

કેજરીવાલના ટ્વીટથી ખળભળાટ: ગુજરાતની 157 શાળાઓનું ધોરણ 10નું પરિણામ 0%, ઈસુદાનના આકરા પ્રહાર

BJP closed schools claim: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતની 157 શાળાઓના ધોરણ 10ના પરિણામો 0 ટકા આવ્યા હોવાનું ટ્વીટ રીટ્વીટ કર્યા બાદ રાજ્યનું રાજકારણ ગરમાયું છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે ભાજપનું ગુજરાત મોડેલ ગુજરાતમાં અને આખા દેશમાં શિક્ષણ ક્ષેત્રે સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે.

ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે અરવિંદ કેજરીવાલજીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે ગુજરાતની 157 શાળાઓનું ધોરણ 10નું પરિણામ 0 ટકા આવ્યું છે. આના પર પ્રતિક્રિયા આપતા ભાજપના લોકો કહી રહ્યા છે કે કેજરીવાલજીનું ટ્વીટ બે વર્ષ જૂનું છે. પરંતુ ઈસુદાને સવાલ ઉઠાવ્યો કે બે વર્ષ જૂનું હોય કે 30 વર્ષ જૂનું હોય, સરકાર તો તમારી જ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે આનાથી બાળકોનું ભવિષ્ય ખતમ થઈ રહ્યું છે.

ઈસુદાન ગઢવીએ ગુજરાતની જનતા અને બાળકો માટે અવાજ ઉઠાવવા બદલ અરવિંદ કેજરીવાલનો આભાર માન્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે છેલ્લા પાંચ વર્ષમાં ભાજપની સરકારે 5 હજાર સરકારી શાળાઓ બંધ કરી દીધી છે. તેમનો આરોપ છે કે ખાનગી શાળાઓ ખોલવા માટે સરકારી શાળાઓને જાણી જોઈને બંધ કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત, ઈસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી અને સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા દેવામાં આવતી નથી, કારણ કે તેનાથી તેમનો પોતાનો ધંધો (ખાનગી શાળાઓ) ચાલે છે. ઈસુદાન ગઢવીના આ નિવેદનોથી રાજ્યના શિક્ષણ ક્ષેત્રે ફરી એકવાર ચર્ચા અને વિવાદોનો દોર શરૂ થયો છે.

કોંગ્રેસ પ્રમુખના શિક્ષણને લઈ ભાજપ સરકાર પર આકરા પ્રહાર

ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને લઈને કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે ગુજરાતના શિક્ષણ અંગે જે દાવાઓ કરવામાં આવી રહ્યા છે તે તદ્દન સત્ય અને વાસ્તવિક છે. શક્તિસિંહ ગોહિલે રાજ્યની શિક્ષણ વ્યવસ્થાની કથળતી સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે એક સમયે ગુજરાતમાં સરકારી શિક્ષણની ઉત્તમ પરંપરા હતી, પરંતુ ભાજપ સરકારના શાસનમાં ખાનગી શિક્ષણની પરંપરા શરૂ થઈ છે. જેના કારણે આજે વાલીઓને ખાનગી શાળાઓમાં ઊંચી ફી ભરીને પોતાના બાળકોને અભ્યાસ કરાવવાની ફરજ પડી રહી છે. તેમણે ઉમેર્યું કે રાજ્યમાં સરકારી શાળાઓ અને શિક્ષકોની સંખ્યા પણ સતત ઘટી રહી છે, જે ચિંતાજનક બાબત છે. કોંગ્રેસ પ્રમુખે કચ્છ, ભાલ અને આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની સ્થિતિ અંગે વાત કરતાં જણાવ્યું કે આજે પણ અનેક શાળાઓ એવી છે જ્યાં માત્ર એક જ શિક્ષક બાળકોને ભણાવી રહ્યા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
પાટણ નપાનું ભોપાળું: ખાનગી માલિકીના જમીન પર બનાવી દીધો રોડ, માલિકે ફેન્સિંગ લગાવી કર્યો બંધ
પાટણ નપાનું ભોપાળું: ખાનગી માલિકીના જમીન પર બનાવી દીધો રોડ, માલિકે ફેન્સિંગ લગાવી કર્યો બંધ
સતત 8 ટર્મમાં અજેય રહેલા ધારાસભ્ય યોગેશ પટેલના આજે અંતિમ સંસ્કાર, પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન
સતત 8 ટર્મમાં અજેય રહેલા ધારાસભ્ય યોગેશ પટેલના આજે અંતિમ સંસ્કાર, પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત ત્રણ સિસ્ટમ એક્ટિવ, આજે 16 જિલ્લામાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત ત્રણ સિસ્ટમ એક્ટિવ, આજે 16 જિલ્લામાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Embed widget