શોધખોળ કરો

ભક્તિમાં ભેદભાવ: વાવના કલ્યાણપુરામાં મંદિર પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સમાજનો ફાળો લેવાનો ઇન્કાર

હિન્દુ જાગરણ સંગઠનોના પ્રયાસો છતાં ગામલોકો અડગ, દલિત સમાજમાં રોષ.

Discrimination against Dalits in temples: વાવ તાલુકાના કલ્યાણપુરા ગામે શિવ મંદિર અને અન્ય ત્રણ મંદિરોના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સમાજને અવગણવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. 8 થી 10 ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલા આ મહોત્સવમાં અનુસૂચિત જાતિના લોકોનો ફાળો લેવામાં આવ્યો નહીં. એટલું જ નહીં, ગામના સરપંચ, જે અનુસૂચિત જાતિના છે, તેમનો ફાળો પણ નકારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

જણાવવામાં આવી રહ્યું છે કે, 16 જાન્યુઆરીના રોજ, ગાંધીનગરથી ઈન્દ્રજિતસિંહ સોઢાને આ ભેદભાવ વિશે જાણ થતાં, તેઓ તરત જ કલ્યાણપુરા ગામે પહોંચ્યા હતા. તેમણે મંદિરના મુખ્ય સંચાલક સાથે વાતચીત કરી, જેના પગલે સંચાલકે મંદિર કમિટીને પૂછ્યા પછી જવાબ આપવાની ખાતરી આપી હતી. ત્યારબાદ, અનુસૂચિત સમાજના વડીલો સાથે પણ આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

પરંતુ જ્યારે કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહીં, ત્યારે હિંદુ યુવા સંગઠન-ભારત દ્વારા 5 અને 6 ફેબ્રુઆરીના રોજ પ્રાંત અધિકારી અને મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચર્ચા દરમિયાન મંજૂરી નહીં મળે તેવી બાબતનો સંકેત આપવામાં આવ્યો હતો. આ પછી પણ કોઈ પરિણામ ન આવતા, 4 ફેબ્રુઆરીના રોજ સુઈગામ પીએસઆઈએ આયોજકો સાથે વાતચીત કરી, પરંતુ પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થયો નહીં.

નિરાશ થઈને, 7 ફેબ્રુઆરીના રોજ DYSPને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી. DYSPએ સમાધાન કરાવવાના ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ દલિત સમાજનો ફાળો સ્વીકારવામાં આવ્યો નહીં. અંતે, 9 ફેબ્રુઆરીના રોજ ઈન્દ્રવદન બારોટે મુખ્યમંત્રીને પત્ર લખીને ઈમેઈલ દ્વારા મોકલ્યો હતો. આ પત્રની નકલ સામાજિક ન્યાય મંત્રી, રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ, જિલ્લા પોલીસ વડા, કલેક્ટર, ડીવાયએસપી, મામલતદાર અને સ્થાનિક મીડિયાને પણ મોકલવામાં આવી હતી.

આટલા પ્રયાસો છતાં, 18 ફેબ્રુઆરીના રોજ પ્રતિષ્ઠા મહોત્સવ દલિત સમાજના ફાળા વગર જ પૂર્ણ થયો હતો. સમગ્ર દલિત સમાજે શાંતિ જાળવી રાખી હતી, પરંતુ આ ભેદભાવ સામે ન્યાય માટે લડત ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

આ ઘટના અંગે દલિત આગેવાન અશ્વિનભાઈ સક્સેનાએ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "દરેક લોકોને સાથે મળીને ચાલવું જોઈએ. જે ઘટના સામે આવી છે તેમાં ક્યાંક અમુક વ્યક્તિઓની માનસિકતાના કારણે આવી ઘટનાઓ સામે આવતી હોય છે. જોકે બધા સમાજના બધા લોકો ખરાબ નથી હોતા, પરંતુ અમુક વ્યક્તિઓના કારણે આવું બનતું હોય છે. આ બાબતે અમુક લોકોની માનસિકતાના કારણે હિન્દુ સમાજને તોડવાનું કામ થઈ રહ્યું છે, જે ન થવું જોઈએ અને આવી બનતી ઘટનાઓ રોકવી જોઈએ."

આ પણ વાંચો....

ગુજરાત સરકારની ગરીબો માટે ભેટ: જી-સફલ યોજનાથી 50 હજાર અંત્યોદય પરિવારોનું થશે કલ્યાણ

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: બિહારમાં સરકાર બનતા પહેલા જ તિરાડ? ભાજપે માંગ્યું 'ગૃહ મંત્રાલય', નીતિશે આપ્યો આ જવાબ
Bihar Politics: બિહારમાં સરકાર બનતા પહેલા જ તિરાડ? ભાજપે માંગ્યું 'ગૃહ મંત્રાલય', નીતિશે આપ્યો આ જવાબ
Bihar Politics: શપથવિધિ પહેલા મોટો ડખો! નીતિશ કુમારે ભાજપનું ટેન્શન વધાર્યું, જાણો શું છે નવી શરત?
Bihar Politics: શપથવિધિ પહેલા મોટો ડખો! નીતિશ કુમારે ભાજપનું ટેન્શન વધાર્યું, જાણો શું છે નવી શરત?
હવે તાવ-શરદીની દવા પણ કામ નહીં કરે? ભારતમાં 83% લોકો ખતરામાં, લેન્સેટનો ચોંકાવનારો રિપોર્ટ
હવે તાવ-શરદીની દવા પણ કામ નહીં કરે? ભારતમાં 83% લોકો ખતરામાં, લેન્સેટનો ચોંકાવનારો રિપોર્ટ
IND vs SA: શું ગંભીરના કારણે ભારત સિરીઝ હારશે? કોલકાતા બાદ ગુવાહાટીમાં પણ એ જ ખતરનાક પ્લાન!
IND vs SA: શું ગંભીરના કારણે ભારત સિરીઝ હારશે? કોલકાતા બાદ ગુવાહાટીમાં પણ એ જ ખતરનાક પ્લાન!
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડ , પ્રેમપ્રકરણમાં કરી હત્યા?
Harit Shukla :  BLOની ધરપકડ મામલે મુખ્ય ચૂંટણી અધિકારીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : 'પ્રામાણિકતાનું પોસ્ટર'
Hun To Bolish : હું તો બોલીશ : કોણ વસૂલે છે ખેડૂતો પાસે રૂપિયા?
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી ધારાસભ્યને સળી?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: બિહારમાં સરકાર બનતા પહેલા જ તિરાડ? ભાજપે માંગ્યું 'ગૃહ મંત્રાલય', નીતિશે આપ્યો આ જવાબ
Bihar Politics: બિહારમાં સરકાર બનતા પહેલા જ તિરાડ? ભાજપે માંગ્યું 'ગૃહ મંત્રાલય', નીતિશે આપ્યો આ જવાબ
Bihar Politics: શપથવિધિ પહેલા મોટો ડખો! નીતિશ કુમારે ભાજપનું ટેન્શન વધાર્યું, જાણો શું છે નવી શરત?
Bihar Politics: શપથવિધિ પહેલા મોટો ડખો! નીતિશ કુમારે ભાજપનું ટેન્શન વધાર્યું, જાણો શું છે નવી શરત?
હવે તાવ-શરદીની દવા પણ કામ નહીં કરે? ભારતમાં 83% લોકો ખતરામાં, લેન્સેટનો ચોંકાવનારો રિપોર્ટ
હવે તાવ-શરદીની દવા પણ કામ નહીં કરે? ભારતમાં 83% લોકો ખતરામાં, લેન્સેટનો ચોંકાવનારો રિપોર્ટ
IND vs SA: શું ગંભીરના કારણે ભારત સિરીઝ હારશે? કોલકાતા બાદ ગુવાહાટીમાં પણ એ જ ખતરનાક પ્લાન!
IND vs SA: શું ગંભીરના કારણે ભારત સિરીઝ હારશે? કોલકાતા બાદ ગુવાહાટીમાં પણ એ જ ખતરનાક પ્લાન!
ઉદ્યોગપતિઓના દેવા માફ, ખેડૂતો પાસેથી ઉઘરાણી? ઉપલેટામાં ફોર્મ ભરવાના ભાવ સાંભળી ખેડૂતો લાલઘૂમ
ઉદ્યોગપતિઓના દેવા માફ, ખેડૂતો પાસેથી ઉઘરાણી? ઉપલેટામાં ફોર્મ ભરવાના ભાવ સાંભળી ખેડૂતો લાલઘૂમ
અમદાવાદમાં દારૂબંધીના ધજાગરા: પોલીસની નજર સામે જ મહિલા બુટલેગરોએ રસ્તા પર ફેંક્યા બિયરના ટીન, જુઓ Pics
અમદાવાદમાં દારૂબંધીના ધજાગરા: પોલીસની નજર સામે જ મહિલા બુટલેગરોએ રસ્તા પર ફેંક્યા બિયરના ટીન, જુઓ Pics
BLO તમારા ઘરે 3 વાર આવશે! જો તમે ન મળ્યા તો શું તમારું નામ ઉડી જશે? જાણો નિયમ
BLO તમારા ઘરે 3 વાર આવશે! જો તમે ન મળ્યા તો શું તમારું નામ ઉડી જશે? જાણો નિયમ
લાલુ પરિવારમાં ભૂકંપ: તેજ પ્રતાપની PM મોદી અને CM નીતિશને અપીલ- ‘મારા માતા-પિતાને કોઈએ....’
લાલુ પરિવારમાં ભૂકંપ: તેજ પ્રતાપની PM મોદી અને CM નીતિશને અપીલ- ‘મારા માતા-પિતાને કોઈએ....’
Embed widget