શોધખોળ કરો

Palanpur: અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળાને લઈ આરતી અને દર્શનના સમયમાં ફેરફાર

Palanpur: શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી 1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહા મેળાનું આયોજન કરાશે. ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન માતાજીની આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Palanpur: શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી ૧ થી ૭ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન ભાદરવી પૂનમ મહા મેળાનું આયોજન કરાશે. ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન માતાજીની આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

આગામી તારીખ ૧ થી ૬ સપ્ટેમ્બર દરમિયાન આરતી સવારે ૬ થી ૬.૩૦ કલાકે, દર્શન સવારે ૬ થી ૧૧.૩૦ કલાક સુધી, દર્શન બંધ ૧૧.૩૦ થી ૧૨.૩૦, દર્શન બપોરે ૧૨.૩૦ થી ૧૭.૦૦ કલાક સુધી, દર્શન બંધ ૧૭ થી ૧૯ કલાક સુધી, દર્શન સાંજે ૧૯ થી ૨૪ કલાક સુધી તથા દર્શન બંધ ૨૪ થી સવારે ૬ સુધી રહેશે.

આગામી તારીખ ૭ સપ્ટેમ્બર, રવિવાર એટલે કે ભાદરવી પૂનમ મહા મેળાના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી આરતી સવારે ૬ વાગ્યાથી ૬.૩૦ સુધી, દર્શન સવારે ૬ થી ૧૦ કલાક સુધી, શયન કાળ આરતી ૧૨ થી ૧૨.૩૦ કલાકે, બંધ મંદિરમાં જાળીમાંથી દર્શનનો સમય ૧૨.૩૦ થી ૧૭ સાંજે ૧૭ કલાકથી દર્શન બંધ રહેશે.

૭ સપ્ટેમ્બર, રવિવાર એટલે કે ભાદરવી પૂનમ મહા મેળાના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી અંબાજી મંદિરના શિખર પર બપોરે ૧૨.૩૦ કલાક બાદ ધ્વજારોહણ થઈ શકશે નહીં. આ સાથે ૮ સપ્ટેમ્બરથી દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે જેની સર્વે શ્રદ્ધાળુઓને નોંધ લેવા વિનંતી છે.

ઇતિહાસમાં પહેલીવાર મા અંબાના પદયાત્રીઓનો ₹10 કરોડનો વીમો ઉતારાયો

ભાદરવી પૂનમના મહામેળામાં લાખો શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શને પગપાળા આવે છે. આ વર્ષે, ઇતિહાસમાં પહેલીવાર, અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ પદયાત્રીઓની સુરક્ષા માટે ₹10 કરોડનો અકસ્માત વીમો લેવામાં આવ્યો છે. આ નિર્ણય ગુજરાત અને રાજસ્થાનના 50 કિલોમીટર સુધીના 7 જિલ્લાઓને આવરી લે છે. આ વીમા કવચ હેઠળ, જો કોઈ પદયાત્રીને માર્ગ અકસ્માત થાય તો તેમને કોર્ટ દ્વારા નક્કી કરાયેલું વળતર મળશે, જે શ્રદ્ધાળુઓની સુરક્ષા પ્રત્યે મંદિર ટ્રસ્ટની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

અંબાજી ખાતે 1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન યોજાનારા ભાદરવી પૂનમના મહામેળા માટે, અંબાજી મંદિર ટ્રસ્ટે પદયાત્રીઓ માટે ₹10 કરોડનો અકસ્માત વીમો લીધો છે. બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલ અને મંદિરના વહીવટદાર કૌશિક મોદીએ આ માહિતી આપી હતી. આ વીમા કવચ ગુજરાત ઉપરાંત રાજસ્થાનની 50 કિલોમીટર સુધીની સરહદને પણ આવરી લે છે, જેથી તમામ પદયાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. ગયા વર્ષે ₹3 કરોડનું વીમા કવરેજ હતું, જેને આ વર્ષે ₹10 કરોડ સુધી વધારવામાં આવ્યું છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી
Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
IND vs SA 5th T20 Live: ભારતે દક્ષિણ આફ્રિકાને 232 રનનો આપ્યો લક્ષ્યાંક, હાર્દિકની વિસ્ફોટક બેટિંગ
IND vs SA 5th T20: ભારતે દક્ષિણ આફ્રિકાને 30 રને હરાવ્યું, વરુણની 4 વિકેટ
IND vs SA: હાર્દિક પંડ્યાની 16 બોલમાં ફિફ્ટી, તિલક અને સેમસન પણ ચમક્યા, ભારતે અમદાવાદમાં બનાવ્યા 231 રન
IND vs SA: હાર્દિક પંડ્યાની 16 બોલમાં ફિફ્ટી, તિલક અને સેમસન પણ ચમક્યા, ભારતે અમદાવાદમાં બનાવ્યા 231 રન
Embed widget