શોધખોળ કરો

CHHOTA UDEPUR : દોઢ મહિનો થવા છતાં ખેડૂતોને નથી મળ્યું અતિવૃષ્ટિ સામે નુકસાનનું વળતર, ગરીબ ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા

Gujarat Rains : છોટાઉદેપુર જિલ્લામાં ગત 10 અને 11 જુલાઈના રોજ આકાશી આફત વરસી હતી અને મુશળધાર વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં મોટાપાયે ખેતીમાં નુકસાન થયું હતું.

Chhota Udepur : છોટા ઉદેપુર જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. સરકારે સર્વે કરીને નુકસાનનું વળતર આપવાની જાહેરાત કરી હતી.  જો કે  દોઢ મહિનો થવા છતાં છોટા ઉદેપુરના ખેડૂતોને  અતિવૃષ્ટિ સામે નુકસાનનું વળતર નથી મળ્યું, જેના કારણે ગરીબ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. 

સમગ્ર જિલ્લામાં મોટાપાયે થયું હતું નુકસાન 
છોટાઉદેપુર જિલ્લામાં ગત 10 અને 11 જુલાઈના રોજ આકાશી આફત વરસી હતી અને  મુશળધાર વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં મોટાપાયે ખેતીમાં નુકસાન થયું હતું.  ખેડૂતોનો મહામુલો પાક પાકે એ પહેલાં જ ધોવાઈ ગયો.

જિલ્લામાં અંદાજીત રૂપિયા 51 કરોડનું નુકસાન
છોટાઉદેપુર જિલ્લામાં સરકારી ચોપડે નોંધાયેલ ખેતી નુકસાનની વાત કરીએ તો જિલ્લામાં અંદાજીત રૂપિયા 51 કરોડનું નુકસાન થયું છે.  જિલ્લામાં 51,580 હેકટરમાં 33 ટકા કે તેનાથી વધુ નુકશાન થયું છે. જેમાં બોડેલી તાલુકામાં 19133 હેકટર, સંખેડા તાલુકામાં 14203 હેકટર, કવાંટ માં 10645, જેતપુરપાવી 5154, નસવાડી 1501 અને છોટાઉદેપુર તાલુકામાં 944 હેકટર જમીનમાં ખેતીને નુકશાન થયું છે. 

ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો
જિલ્લામાં પ્રારંભિક સારા ચોમાસાને લઈ ખેડૂતોને સારા ઉત્પાદનની આશા જાગી પરંતુ મોંઘું બિયારણ, મોંઘા ખાતર બાદ પોતાનો લોહી પરસેવો પાડી કરેલ ખેતીને કુદરતી આફતે તો ધોઈ નાખી, પરંતુ સરકારે પણ આજદિન ખેતી નુક્શાનનું વળતર ન ચૂકવતા ગરીબ ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે.

વ્યાજે ઉધાર નાણા લઇ ખેતી કરવા મજબૂર બન્યા ખેડૂતો 
છોટાઉદેપુર તાલુકાના ઓડિઆંબા ગામના મહિલા અને આદિવાસી ખેડૂત કાંતિબેન રાઠવા તેમના ખેતરમાં ફરીથી વાવેતર કરી રહ્યાં છે. અગાઉ તેમણે કરેલ કપાસની ખેતી દોઢ માસ પહેલા અતિવૃષ્ટિમાં ધોવાઈ ગઈ. કાંતિબેનને 25 હજાર જેટલું નુકશાન થયું હતું. ફક્ત ચોમાસા ખેતી ઉપર નિર્ભર કાંતિબેને સરકારની સહાયની રાહ જોઈ કે ફરીથી ખેતી કરી પગભર થાય. 

પરંતુ આજદિન સુધી કોઈ વળતર ન મળતા આખરે વ્યાજ ઉપર ઉધાર રૂપિયા લાવી ખેતી કરવા મજબૂર બની છે. આ સ્થતી ફક્ત કાંતિબેનની નહિ પરંતુ આવા તો એમના જ ગામમાં 60 જેટલા ખેડૂતો છે. અને સમગ્ર જિલ્લામાં તો હજારો ખેડૂતોની હાલત દયનિય બની છે.

વળતર ન મળતા મુશ્કેલીમાં મૂકાયા
અતિવૃષ્ટિને લઈ ખુદ કૃષિ મંત્રી રાઘવજી પટેલે 20 જૂલાઈએ જિલ્લાની મુલાકાત લીધી ત્યારબાદ કેન્દ્રની ટીમે પણ મુલાકાત કરી નિરીક્ષણ કર્યું અને જિલ્લા પ્રશાસન દ્વારા સર્વેની કામગિરી પૂર્ણ કરી રિપોર્ટ આપ્યાને પણે મહિનો થવા આવ્યો પરંતુ આજદિન સુધી ખેડૂતોને વળતર ન મળતા મુશ્કેલીમાં મૂકાયા છે, હાલ તો સૌ ખેડૂતો સરકાર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે વળતર તો આપો સરકાર.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Embed widget