શોધખોળ કરો

Gandhinagar: ભૂતાનના રાજાને સીએમ ભૂપેન્દ્ર પટેલે ભેટમાં આપી કચ્છની ભુજોડી શાલ

ગાંધીનગર: ગુજરાતના પ્રવાસે આવેલા ભૂતાન નરેશને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છની ચાર સદી જૂની કળાની કલાકૃતિ ભેટ સ્વરૂપે આપી

ગાંધીનગર: ભૂતાનના રાજા મહામહિમ જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને વડાપ્રધાન શેરિંગ તોબગે હાલ ગુજરાતના 3 દિવસીય પ્રવાસ પર છે. તેમના આ પ્રવાસ દરમિયાન તેઓ ગઇકાલે એટલે કે 22 જુલાઈના રોજ ગાંધીનગર પધાર્યા હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ ભૂતાનના રાજવી અને વડાપ્રધાનના સન્માનમાં ગાંધીનગરની હોટલ ધ લીલા ખાતે સ્નેહ ભોજનનું આયોજન કર્યું હતું. મુખ્યમંત્રીએ ભૂતાનના રાજવીને ભેટરૂપે કચ્છની વિશ્વ પ્રસિદ્ધ રોગન કલાની પ્રતિકૃતિ તેમજ ભુજોડીની શાલ ગુજરાત પ્રવાસની સ્મૃતિરૂપે ભેટ આપી હતી. 

 

ભુજોડી વણાટકળા રાજ્યના કચ્છ જિલ્લાના ભુજોડી ગામની પ્રખ્યાત પરંપરાગત હસ્તકલા છે

ભુજોડી વણાટકળા એ ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજોડી ગામની પ્રખ્યાત પરંપરાગત હસ્તકલા છે. ભુજોડી ગામના કુશળ વણકરો પેઢીઓથી ચાલી આવતી પરંપરાગત તકનીકોનો ઉપયોગ કરીને હાથવણાટના ઉત્કૃષ્ટ કાપડ બનાવે છે. ભુજોડી વણાટની કળામાં ઊન અને કોટન જેવા ઉચ્ચ ગુણવત્તાના ફાઇબર્સનો ઉપયોગ કરવામાં આવે છે, અને આ ફાઇબર્સ સ્થાનિક રીતે જ પ્રાપ્ત કરવામાં આવે છે. શાલ, સ્ટોલ્સ, સાડીઓ, ધાબળા વગેરે જેવા વિવિધ હાથવણાટના ઉત્પાદનો બનાવવા માટે ભુજોડીના વણકરો વધારાની વેફ્ટ વીવિંગ ટેક્નિક એટલે કે તાણાવાણા વણાટની તકનીકનો ઉપયોગ કરે છે. ભુજોડી વણાટની અદ્ભુત સુંદરતા અને સમૃદ્ધ વારસાને કારણે આ તે વિશ્વભરમાં અત્યંત લોકપ્રિય હસ્તકલા બની છે.

ભુજોડી વણાટકળાની જટિલ ડિઝાઇન અને ઉચ્ચ-ગુણવત્તાવાળી સામગ્રીના કારણે તે ભારતમાં અને સમગ્ર વિશ્વમાં ફેશન ડિઝાઇનર્સ અને ગ્રાહકોમાં લોકપ્રિય પસંદ બની છે. ભુજોડી વણાટકળા સ્થાનિક અર્થતંત્રનો એક મહત્વપૂર્ણ ભાગ છે, કારણકે ભુજોડી ગામના ઘણા પરિવારો આજે પણ આ કળાના માધ્યમથી જ જીવનનિર્વાહ કરી રહ્યા છે. ભાવિ પેઢીઓ માટે આ કળા જળવાઈ રહે તે માટે તેને પ્રમોટ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ગુણવત્તાયુક્ત ઉત્પાદનો આપતી ભુજોડી વણાટકળા ટેક્સટાઇલ આર્ટ્સની દુનિયામાં સાચા રત્ન સમાન છે. 

રોગન આર્ટ: કચ્છની ચાર સદીઓ જૂની કળા

રોગન આર્ટ એ કાપડ પર પેઇન્ટિંગ કરવાની એક પદ્ધતિ છે, જે ચાર સદીઓ જૂની કળા છે અને આ કળા ફક્ત ગુજરાતના કચ્છ જિલ્લામાં જોવા મળે છે. રોગન કળા એક સમયે લુપ્ત થવાના આરે હતી, પરંતુ રાજ્ય સરકારના અને કચ્છી સમાજના સંયુક્ત પ્રયાસોના કારણે આ કળાનું પુનરુત્થાન થયું છે. 

રોગન કળામાં જે પેઇન્ટિંગ કરવામાં આવે છે, તેમાં મુખ્ય ઘટક તરીકે એરંડાનું તેલ વાપરવામાં આવે છે. રોગન એ ફારસી મૂળનો શબ્દ છે, જેનો અર્થ થાય છે, ‘તેલ આધારિત’. આમ, તેમાં વપરાતા મુખ્ય ઘટકના નામ પરથી આ કળાનું નામ પાડવામાં આવ્યું છે. રોગન આર્ટમાં જોવા મળતી પ્રચલિત ડિઝાઇન ફૂલો અને મંડલા પેટર્ન છે. રોગન આર્ટમાં ‘ટ્રી ઓફ લાઇફ’ એટલે કે જીવનવૃક્ષ એ સૌથી વખાણાયેલી ડિઝાઇન છે, અને તેના પર કામ કરવું પણ ખૂબ અઘરું છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?Valsad Train Accident | વલસાડ રેલવે સ્ટેશન પાસે ટ્રેનનું એન્જિન ટ્રેક પરથી ઉતરી ગયું, દહાણુંમાં માલગાડીના ડબ્બા ટ્રેક પરથી ખળી ગયાMehsana | બહુચરાજીમાં જીવના જોખમે વિદ્યાર્થીઓની મુસાફરી, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
IND vs BAN: અશ્વિન જાડેજાએ સચિન ઝહીરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ખાસ યાદીમાં ટોચ પર પહોંચ્યા
IND vs BAN: અશ્વિન જાડેજાએ સચિન ઝહીરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ખાસ યાદીમાં ટોચ પર પહોંચ્યા
આ મેગાપ્રોજેક્ટ્સ જેનું કામ શરૂ થતાંની સાથે જ બદલી શકે છે દુનિયા
આ મેગાપ્રોજેક્ટ્સ જેનું કામ શરૂ થતાંની સાથે જ બદલી શકે છે દુનિયા
General Knowledge: એક જ જેવા દેખાય છે QR કોડ,છતાં કેવી રીતે અલગ અલગ ખાતામાં જાય છે પૈસા, જાણો તેની સમગ્ર પ્રોસેસ
General Knowledge: એક જ જેવા દેખાય છે QR કોડ,છતાં કેવી રીતે અલગ અલગ ખાતામાં જાય છે પૈસા, જાણો તેની સમગ્ર પ્રોસેસ
Gujarat Rain: નવરાત્રી પર વરસાદ બનશે વિલન, આ વિસ્તારમાં ભારે વરસાદ તૂટી પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: નવરાત્રી પર વરસાદ બનશે વિલન, આ વિસ્તારમાં ભારે વરસાદ તૂટી પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
Embed widget