શોધખોળ કરો

આજે જૂનાગઢનો મુક્તિ દિવસ,CM એ આરઝી હકુમતના સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું શાલ ઓઢાડી કર્યું સન્માન

જૂનાગઢ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોહપુરુષ અને દેશના મહાન ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી અને જૂનાગઢના મુક્તિ દિવસના અવસરે સરદાર @150 યુનિટી માર્ચ પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.

જૂનાગઢ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોહપુરુષ અને દેશના મહાન ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી અને જૂનાગઢના મુક્તિ દિવસના અવસરે સરદાર @150 યુનિટી માર્ચ પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્યમંત્રીએ ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ સ્થિત આરઝી હકુમત દ્વારા મળેલી મુક્તિના સ્મરણ સ્મૃતિ સ્મારક ખાતે સ્વાતંત્ર્યવીરોને યાદ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી.  મુખ્યમંત્રીએ પદયાત્રામાં જોડાનારા હજારો નાગરિકોને સંબોધીને રાજ્યવ્યાપી યુનિટી માર્ચના પ્રથમ ચરણનો પ્રારંભ કરાવ્યો હતો.  આ રેલીના પ્રસ્થાન પૂર્વે મુખ્યમંત્રી એ આરઝી હકુમતનો ઈતિહાસ દર્શાવતી ફોટો પ્રદર્શની પણ નિહાળી હતી.

 

મુખ્યમંત્રીએ આરઝી હકુમતના ઈતિહાસનું સ્મરણ કરતાં જણાવ્યું કે, 1947ની 15મી ઓગસ્ટના રોજ દેશ આઝાદ થયો હતો પરંતુ જૂનાગઢના નવાબની લોકમત વિરૂદ્ધની નીતિના કારણે 86 દિવસના સંગ્રામ બાદ  નવમી નવેમ્બરે ઉપરકોટમાં ભારતનો તિરંગો લહેરાવવા સાથે જૂનાગઢ વાસ્તવમાં આઝાદ થયું હતું અને તે રીતે તા. 9 નવેમ્બરને ‘જૂનાગઢ મુક્તિ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આરઝી હકુમત દ્વારા જૂનાગઢને મુક્તિ અપાયા બાદ તા.13 નવેમ્બરના રોજ આ જ બહાઉદ્દીન કોલેજના મેદાનમાં સરદાર વલ્લભભાઈ પટેલે સભા કરીને જૂનાગઢવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા તેનું પણ સ્મરણ મુખ્યમંત્રી એ કર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલે 562 દેશી રજવાડાઓનું વિલિનીકરણ કરીને એક અને અખંડ ભારત બનાવ્યું હતું.   

મુખ્યમંત્રી એ સૌ સોરઠવાસીઓએ જૂનાગઢ મુક્તિ દિવસની શુભકામનાઓ પાઠવી વિકસિત ભારતના નિર્માણ માટે એક અને નેક બની સહભાગી બનવા આહ્વાન કર્યું હતું. આ અવસરે મુખ્યમંત્રીએ જૂનાગઢની આઝાદીની ચળવળમાં મહત્વનું યોગદાન આપનારા આરઝી હૂકુમતના સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ ઉપરાંત જૂનાગઢની નાગરિક સેવાઓના પ્રોજેક્ટ માટે જૂનાગઢના સાધુ-સંતોએ રૂ.51 લાખનો ચેક મુખ્યમંત્રી ને અર્પણ કર્યો હતો. નાગરિક સેવાઓમાં જનભાગીદારીની આ પહેલને સૌએ સહર્ષ વધાવી આભારની લાગણી પ્રગટ કરી હતી.

જૂનાગઢની આ પદયાત્રા હજારો નાગરિકોની ઉપસ્થિતિ અને રાષ્ટ્રીય એકતાના ભાવ સાથે યાદગાર બની હતી. મુખ્યમંત્રી પણ બહાઉદીન કોલેજથી  પદયાત્રામાં જોડાઈને યાત્રાના રૂટ પર વિવિધ સમાજ સંસ્થાઓના સાંસ્કૃતિક પ્લેટફોર્મ પર સૌનું અભિવાદન કર્યું હતું.  સમગ્ર રૂટ પર 19 સ્ટેજ બનાવવામાં આવ્યા હતા અને તેમાં જુનાગઢનો ઈતિહાસ સાંસ્કૃતિક વારસો સહિત વિવિધ કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ તંત્રએ સમગ્ર રૂટ ઉપર ટ્રાફિક વ્યવસ્થા અને  સંકલન કરી આ વિશાળ પદયાત્રાને સફળ બનાવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ
નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ
ચાંદીનો ભાવ ₹3,00,000 નજીક! આજે 3,000 નો વધારો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ ભાવ
ચાંદીનો ભાવ ₹3,00,000 નજીક! આજે 3,000 નો વધારો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ ભાવ
Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ સુરત મહાનગરપાલિકા
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓના સાચા 'સિંહ' કોણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા સમાજથી પણ મોટો?
Maharashtra Election 2026 : મહારાષ્ટ્રમાં 29 મનપા માટે મતદાન પૂર્ણ, સાહી ભૂસાતી હોવાનો આરોપ
Gujarat Winter : ગુજરાતમાં ઠંડીમાં થશે આંશિક ઘટાડો, હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ
નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ
ચાંદીનો ભાવ ₹3,00,000 નજીક! આજે 3,000 નો વધારો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ ભાવ
ચાંદીનો ભાવ ₹3,00,000 નજીક! આજે 3,000 નો વધારો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ ભાવ
Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
Embed widget