શોધખોળ કરો

Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરાના કેસમાં સતત વધારો, પોઝિટીવ કેસની સંખ્યા 45 પર પહોંચી

ગુજરાત રાજ્યમાં ચાંદીપુરાના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.  શનિવારે રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસે વધુ ચાર બાળકોનો ભોગ લીધો.  

અમદાવાદ: ગુજરાત રાજ્યમાં ચાંદીપુરાના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.  શનિવારે રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસે વધુ ચાર બાળકોનો ભોગ લીધો.  આ સાથે જ ચાંદીપુરાથી કુલ મૃત્યુઆંક હવે 52 થઈ ગયો છે. અત્યાર સુધી પંચમહાલમાં સૌથી વધુ છ જ્યારે અમદાવાદમાં ચાંદીપુરાથી પાંચ બાળકોના મોત નિપજ્યા છે. શનિવારે ચાંદીપુરાના વધુ છ સાથે કુલ પોઝિટીવ કેસની સંખ્યા વધીને 45 પર પહોંચી ગઈ છે. પંચમહાલમાં સૌથી વધુ સાત જ્યારે સાબરકાંઠામાં ચાંદીપુરાના છ પોઝિવીટ કેસ નોંધાયા છે.

રાજ્યમાં ચાંદીપુરાના કુલ 130 કેસ  છે.  જેમાં સાબરકાંઠામાં 12, અરવલ્લી, ખેડા અને મહેસાણામાં સાત-સાત, મહીસાગર, છોટા ઉગેપુર, નર્મદા, વડોદરા શહેર, સુરત શહેરમાં ચાંદીપુરાના બે-બે કેસ નોંધાયા છે. જ્યારે ગાંધીનગર, રાજકોટ, જામનગર અને વડોદરામાં ચાંદીપુરાના છ-છ કેસ, સુરેન્દ્રનગર, મોરબી, બનાસકાંઠામાં પાંચ -પાંચ,અમદાવાદ શહેરમાં 12, પંચમહાલમાં 15, ગાંધીનગર શહેર, દાહોદ, કચ્છ, ભરૂચમાં ત્રણ-ત્રણ, જ્યારે ભાવનગર, દેવભૂમિ દ્વારકા, અમદાવાદ, જામનગર મનપા અને પોરબંદરમાં ચાંદીપુરાનો એક-એક કેસ નોંધાયો છે.

રાજ્યના અનેક જિલ્લામાં કેસમાં સતત વધારો

રાજકોટ શહેરમાં ચાંદીપુરાના ચાર કેસ નોંધાયા છે. આ શંકાસ્પદ કેસના ટેસ્ટ ગાંધીનગરની લેબમાં મોકલવામાં આવ્યા છે. જેના આધારે આવતા રિપોર્ટથી સાબરકાંઠામાં છ, અરવલ્લીમાં ત્રણ, મહીસાગરમાં એક, ખેડામાં ચાર, મહેસાણામાં ચાર, રાજકોટમાં બે, સુરેન્દ્રનગરમાં બે, અમદાવાદ શહેરમાં ત્રણ, ગાંધીનગરમાંએક, પંચમહાલમાં સાત, જામનગરમાં એક, મોરબીમાં એક, દાહોદમાં બે, વડોદરા, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, રાજકોટ શહેર, કચ્છ, સુરત શહેર, ભરૂચ અને પોરબંદરમાં એક-એક પોઝિટીવ કેસ મળી આવ્યા છે. ગુજરાતમાં હાલ વાયરલ એન્કેફેલાઈજટિસના 38 દર્દી દાખલ છે.

ચાંદીપુરા વાયરસ શું છે ?

ચાંદીપુરા વાયરસ એ આરએનએ વાયરસ છે, જે માદા ફ્લેબોટોમાઇન ફ્લાય દ્વારા ફેલાય છે. આ માટે એડીસ મચ્છર પણ જવાબદાર છે. તે સૌપ્રથમ વર્ષ 1966માં મહારાષ્ટ્રના ચાંદીપુરામાં મળી આવ્યું હતું. આ જગ્યાના નામથી જ તેની ઓળખ થઈ હતી. આ કારણે તેને ચાંદીપુરા વાયરસ નામ આપવામાં આવ્યું.

જ્યારે પ્રથમ કેસની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે રેતીમાં ફરતી માખીને કારણે વાયરસ ફેલાય છે. 2003-04માં આ વાયરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને આંધ્રપ્રદેશમાં જોવા મળ્યા હતા, જ્યારે તેનાથી 300 થી વધુ બાળકોના મોત થયા હતા.

ચાંદીપુરા વાયરસનું સૌથી વધુ જોખમ કોને છે ?

ચાંદીપુરા વાયરસ બાળકોને તેનો શિકાર બનાવે છે. 9 મહિનાથી 14 વર્ષની વચ્ચેના બાળકો સૌથી વધુ જોખમમાં છે. આ ચેપ ત્યારે ફેલાય છે જ્યારે વાયરસ કરડ્યા પછી માખી અથવા મચ્છરની લાળ દ્વારા લોહીમાં પહોંચે છે.

ચાંદીપુરા વાયરસના લક્ષણો શું છે?

  • બાળકોમાં ઉચ્ચ તાવ
  • ઉલટી અને ઝાડા
  • તાણ
  • નબળાઇ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહાકુંભમાં એક નહીં બે જગ્યાએ નાસભાગ મચી હતી, પ્રત્યક્ષદર્શી અનુસાર અનેકના થયા મોત, વહીવટીતંત્ર મૌન
મહાકુંભમાં એક નહીં બે જગ્યાએ નાસભાગ મચી હતી, પ્રત્યક્ષદર્શી અનુસાર અનેકના થયા મોત, વહીવટીતંત્ર મૌન
વેશ્યાવૃત્તિ, દારૂ, નકલી સાધુઓ: જૂનાગઢમાં ગાદીનો વિવાદ ચરમસીમા પર, મહેશગીરીના હરિગીરી પર આકરા પ્રહારો
વેશ્યાવૃત્તિ, દારૂ, નકલી સાધુઓ: જૂનાગઢમાં ગાદીનો વિવાદ ચરમસીમા પર, મહેશગીરીના હરિગીરી પર આકરા પ્રહારો
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર, CGHSએ નવી ગાઈડલાઈન બહાર પાડી
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર, CGHSએ નવી ગાઈડલાઈન બહાર પાડી
મહાકુંભની નાસભાગ પર શંકરાચાર્યનો આક્રોશ: સરકારની નિષ્ફળતા, રાજીનામું આપવું જોઈએ
મહાકુંભની નાસભાગ પર શંકરાચાર્યનો આક્રોશ: સરકારની નિષ્ફળતા, રાજીનામું આપવું જોઈએ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Odhav Demolition : 'કૉંગ્રેસના નેતાઓ ભ્રામક વાતો ફેલાવે છે': રબારી સમાજના આગેવાનોનો આરોપHun To Bolish : હું તો બોલીશ : આ બાવા બગડી ગયા!Surat Police : સુરતમાં જમીન વિવાદમાં મારામારીના કેસમાં આરોપીઓને પોલીસે કરાવ્યું કાયદાનું ભાનMehsana news : મહેસાણાની બાસણા કોલેજમાં વિદ્યાર્થિનીની આત્મહત્યાનો કેસમાં કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહાકુંભમાં એક નહીં બે જગ્યાએ નાસભાગ મચી હતી, પ્રત્યક્ષદર્શી અનુસાર અનેકના થયા મોત, વહીવટીતંત્ર મૌન
મહાકુંભમાં એક નહીં બે જગ્યાએ નાસભાગ મચી હતી, પ્રત્યક્ષદર્શી અનુસાર અનેકના થયા મોત, વહીવટીતંત્ર મૌન
વેશ્યાવૃત્તિ, દારૂ, નકલી સાધુઓ: જૂનાગઢમાં ગાદીનો વિવાદ ચરમસીમા પર, મહેશગીરીના હરિગીરી પર આકરા પ્રહારો
વેશ્યાવૃત્તિ, દારૂ, નકલી સાધુઓ: જૂનાગઢમાં ગાદીનો વિવાદ ચરમસીમા પર, મહેશગીરીના હરિગીરી પર આકરા પ્રહારો
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર, CGHSએ નવી ગાઈડલાઈન બહાર પાડી
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર, CGHSએ નવી ગાઈડલાઈન બહાર પાડી
મહાકુંભની નાસભાગ પર શંકરાચાર્યનો આક્રોશ: સરકારની નિષ્ફળતા, રાજીનામું આપવું જોઈએ
મહાકુંભની નાસભાગ પર શંકરાચાર્યનો આક્રોશ: સરકારની નિષ્ફળતા, રાજીનામું આપવું જોઈએ
યુએસ ફેડના નિર્ણય બાદ સોનાના ભાવમાં ઉછાળો, કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
યુએસ ફેડના નિર્ણય બાદ સોનાના ભાવમાં ઉછાળો, કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Bollywood: 1800 કરોડના માલિક આ બોલિવૂડ સુપરસ્ટારની હાલત ખરાબ, રસ્તા પર આદિમાનવની જેમ ભટકતો જોવા મળ્યો
Bollywood: 1800 કરોડના માલિક આ બોલિવૂડ સુપરસ્ટારની હાલત ખરાબ, રસ્તા પર આદિમાનવની જેમ ભટકતો જોવા મળ્યો
US Plane Crash: સેનાના હેલિકોપ્ટર સાથે અથડાયેલ પેસેન્જર વિમાનમાં સવાર તમામ 64 લોકોના મોતની આશંકા
US Plane Crash: સેનાના હેલિકોપ્ટર સાથે અથડાયેલ પેસેન્જર વિમાનમાં સવાર તમામ 64 લોકોના મોતની આશંકા
મહાકુંભમાં ફરી આગનું તાંડવ, સેક્ટર-22માં અનેક પંડાલો સ્વાહા
મહાકુંભમાં ફરી આગનું તાંડવ, સેક્ટર-22માં અનેક પંડાલો સ્વાહા
Embed widget