શોધખોળ કરો

Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરાના કેસમાં સતત વધારો, પોઝિટીવ કેસની સંખ્યા 45 પર પહોંચી

ગુજરાત રાજ્યમાં ચાંદીપુરાના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.  શનિવારે રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસે વધુ ચાર બાળકોનો ભોગ લીધો.  

અમદાવાદ: ગુજરાત રાજ્યમાં ચાંદીપુરાના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.  શનિવારે રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસે વધુ ચાર બાળકોનો ભોગ લીધો.  આ સાથે જ ચાંદીપુરાથી કુલ મૃત્યુઆંક હવે 52 થઈ ગયો છે. અત્યાર સુધી પંચમહાલમાં સૌથી વધુ છ જ્યારે અમદાવાદમાં ચાંદીપુરાથી પાંચ બાળકોના મોત નિપજ્યા છે. શનિવારે ચાંદીપુરાના વધુ છ સાથે કુલ પોઝિટીવ કેસની સંખ્યા વધીને 45 પર પહોંચી ગઈ છે. પંચમહાલમાં સૌથી વધુ સાત જ્યારે સાબરકાંઠામાં ચાંદીપુરાના છ પોઝિવીટ કેસ નોંધાયા છે.

રાજ્યમાં ચાંદીપુરાના કુલ 130 કેસ  છે.  જેમાં સાબરકાંઠામાં 12, અરવલ્લી, ખેડા અને મહેસાણામાં સાત-સાત, મહીસાગર, છોટા ઉગેપુર, નર્મદા, વડોદરા શહેર, સુરત શહેરમાં ચાંદીપુરાના બે-બે કેસ નોંધાયા છે. જ્યારે ગાંધીનગર, રાજકોટ, જામનગર અને વડોદરામાં ચાંદીપુરાના છ-છ કેસ, સુરેન્દ્રનગર, મોરબી, બનાસકાંઠામાં પાંચ -પાંચ,અમદાવાદ શહેરમાં 12, પંચમહાલમાં 15, ગાંધીનગર શહેર, દાહોદ, કચ્છ, ભરૂચમાં ત્રણ-ત્રણ, જ્યારે ભાવનગર, દેવભૂમિ દ્વારકા, અમદાવાદ, જામનગર મનપા અને પોરબંદરમાં ચાંદીપુરાનો એક-એક કેસ નોંધાયો છે.

રાજ્યના અનેક જિલ્લામાં કેસમાં સતત વધારો

રાજકોટ શહેરમાં ચાંદીપુરાના ચાર કેસ નોંધાયા છે. આ શંકાસ્પદ કેસના ટેસ્ટ ગાંધીનગરની લેબમાં મોકલવામાં આવ્યા છે. જેના આધારે આવતા રિપોર્ટથી સાબરકાંઠામાં છ, અરવલ્લીમાં ત્રણ, મહીસાગરમાં એક, ખેડામાં ચાર, મહેસાણામાં ચાર, રાજકોટમાં બે, સુરેન્દ્રનગરમાં બે, અમદાવાદ શહેરમાં ત્રણ, ગાંધીનગરમાંએક, પંચમહાલમાં સાત, જામનગરમાં એક, મોરબીમાં એક, દાહોદમાં બે, વડોદરા, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, રાજકોટ શહેર, કચ્છ, સુરત શહેર, ભરૂચ અને પોરબંદરમાં એક-એક પોઝિટીવ કેસ મળી આવ્યા છે. ગુજરાતમાં હાલ વાયરલ એન્કેફેલાઈજટિસના 38 દર્દી દાખલ છે.

ચાંદીપુરા વાયરસ શું છે ?

ચાંદીપુરા વાયરસ એ આરએનએ વાયરસ છે, જે માદા ફ્લેબોટોમાઇન ફ્લાય દ્વારા ફેલાય છે. આ માટે એડીસ મચ્છર પણ જવાબદાર છે. તે સૌપ્રથમ વર્ષ 1966માં મહારાષ્ટ્રના ચાંદીપુરામાં મળી આવ્યું હતું. આ જગ્યાના નામથી જ તેની ઓળખ થઈ હતી. આ કારણે તેને ચાંદીપુરા વાયરસ નામ આપવામાં આવ્યું.

જ્યારે પ્રથમ કેસની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે રેતીમાં ફરતી માખીને કારણે વાયરસ ફેલાય છે. 2003-04માં આ વાયરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને આંધ્રપ્રદેશમાં જોવા મળ્યા હતા, જ્યારે તેનાથી 300 થી વધુ બાળકોના મોત થયા હતા.

ચાંદીપુરા વાયરસનું સૌથી વધુ જોખમ કોને છે ?

ચાંદીપુરા વાયરસ બાળકોને તેનો શિકાર બનાવે છે. 9 મહિનાથી 14 વર્ષની વચ્ચેના બાળકો સૌથી વધુ જોખમમાં છે. આ ચેપ ત્યારે ફેલાય છે જ્યારે વાયરસ કરડ્યા પછી માખી અથવા મચ્છરની લાળ દ્વારા લોહીમાં પહોંચે છે.

ચાંદીપુરા વાયરસના લક્ષણો શું છે?

  • બાળકોમાં ઉચ્ચ તાવ
  • ઉલટી અને ઝાડા
  • તાણ
  • નબળાઇ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
WOMEN'S T20 WORLD CUP 2024: ICC એ કરી મોટી જાહેરાત, મહિલા ટી20 વર્લ્ડ કપની વિજેતા ટીમ થશે માલામાલ 
WOMEN'S T20 WORLD CUP 2024: ICC એ કરી મોટી જાહેરાત, મહિલા ટી20 વર્લ્ડ કપની વિજેતા ટીમ થશે માલામાલ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો આતંકHun To Bolish | હું તો બોલીશ | દારૂડિયા ડ્રાઈવરના ભરોસે વિદ્યાર્થીઓPM Modi In Ahmedabad | આપણે ગુજરાતમાં હિન્દી ચાલે કાં..., અમદાવાદમાં મોદીએ લોકોને કેમ કહ્યું આવું?Vande Metro Train | દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન પહોંચી ભૂજ, જુઓ અંદરનો નજારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
WOMEN'S T20 WORLD CUP 2024: ICC એ કરી મોટી જાહેરાત, મહિલા ટી20 વર્લ્ડ કપની વિજેતા ટીમ થશે માલામાલ 
WOMEN'S T20 WORLD CUP 2024: ICC એ કરી મોટી જાહેરાત, મહિલા ટી20 વર્લ્ડ કપની વિજેતા ટીમ થશે માલામાલ 
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
Delhi CM Atishi Caste: દિલ્હીના નવા સીએમ આતિષીની જાતિ શું છે? ખ્રિસ્તી હોવાનો આરોપ, નામમાંથી 'માર્લેના' કેમ હટાવ્યું
Delhi CM Atishi Caste: દિલ્હીના નવા સીએમ આતિષીની જાતિ શું છે? ખ્રિસ્તી હોવાનો આરોપ, નામમાંથી 'માર્લેના' કેમ હટાવ્યું
Antibioticનો ઉપયોગ કરતા હોવ તો સાવધાન, 25 વર્ષમાં થશે લગભગ 4 કરોડનાં મોત, સ્ટડીમાં દાવો
Antibioticનો ઉપયોગ કરતા હોવ તો સાવધાન, 25 વર્ષમાં થશે લગભગ 4 કરોડનાં મોત, સ્ટડીમાં દાવો
ગરીબ કલ્યાણથી લઇને લખપતિ દીદી સુધી, અમિત શાહે રજૂ કર્યું મોદી સરકાર 3.0ના 100 દિવસનું રિપોર્ડ કાર્ડ
ગરીબ કલ્યાણથી લઇને લખપતિ દીદી સુધી, અમિત શાહે રજૂ કર્યું મોદી સરકાર 3.0ના 100 દિવસનું રિપોર્ડ કાર્ડ
Embed widget