શોધખોળ કરો

ગુજરાત માટે સૌથી મોટા રાહતના સમાચાર, કોરોનાના કેસ ઘટતા ઓક્સિજન, રેમડેસીવીર ઇન્જેક્શનની માગ ઘટી

રાજ્યમાં ઓક્સિજનના પ્રતિ દિન વપરાશમાં ૧૦૦ મેટ્રિક ટનનો ઘટાડો નોંધાયો છે.

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત આંશિક ઘટાડો થઈ રહ્યો છે. અને કોરોનાના કેસ ઘટવાની સાથે ઓક્સિજન તેમજ કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવાતી રેમડેસીવીર ઇન્જેક્શન, ફેવિપિરાવીર ટેબલેટ જેવી દવાઓમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાઇ રહ્યો છે. રાજ્યમાં ઓક્સિજનના પ્રતિ દિન વપરાશમાં ૧૦૦ મેટ્રિક ટનનો ઘટાડો નોંધાયો છે. મેડિકલ ઓક્સિજનની માગ સપ્ટેમ્બરમાં ૨૪૦ મેટ્રિક ટન પ્રતિ દિવસ હતી. તે ઓક્ટોબર અંતમાં ઘટીને ૧૩૫ મેટ્રિક ટન પ્રતિ દિવસ નોંધાઇ છે અને પ્રતિ દિન વપરાશમાં ૧૦૦ મેટ્રિક ટનનો ઘટાડો જોવા મળ્યો છે. એ જ રીતે મોડરેટ સીવિયર કોવિડ-૧૯ના દર્દીની સારવાર માટે જરૂરી એવા રેમડેસીવીર ઇન્જેક્શન જે સપ્ટેમ્બરમાં વપરાશ ૧ લાખ ૮૦ હજાર હતો. તેનો ઓક્ટોબરમાં ઓપન માર્કેટમાં વપરાશ ફક્ત ૮૩ હજાર ઇન્જેક્શનનો રહ્યો છે જ્યારે રાજ્ય સરકારની હોસ્પિટલોમાં ૪૦ હજારનો વપરાશ હતો તે ઘટીને ૩૦ હજાર ઇન્જેક્શન જેટલો થયો છે. નોંધનીય છે કે, રાજ્યમાં ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, મહેસાણામાં 1, સુરતમાં 1 મળી કુલ 6 લોકોનાં કરૂણ મોત થયા હતા. સુરત કોર્પોરેશનમાં 155, અમદાવાદ કોર્પોરેશનમાં 154, વડોદરા કોર્પોરેશનમાં 68, સુરતમાં 43, રાજકોટ કોર્પોરેશનમાં 41, પાટણ-વડોદરામાં 40-40, મહેસાણામાં 39, બનાસકાંઠામાં 31, ગાંધીનગર કોર્પોરેશનમાં 28, રાજકોટમાં 23, સાબરકાંઠામાં 21, નર્મદામાં 20, અમરેલી-પંચમહાલમાં 19-19, જામનગર કોર્પોરેશનમાં 17, ભરૂચ-ગાંધીનગરમાં 14-14 કેસ નોંધાયા હતા. રાજ્યમાં ગઈકાલે કુલ 1197 દર્દી સાજા થયા હતા અને 52,739 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 62,10,550 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.78 ટકા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,05,903 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,05,796 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 107 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
IPL 2025, LSG vs PBKS LIVE: પંજાબ કિંગ્સે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરશે, જુઓ બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન 
IPL 2025, LSG vs PBKS LIVE: પંજાબ કિંગ્સે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરશે, જુઓ બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન 
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ
Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rana sanga controversy : રાણા સાંગા પર સાંસદની ટિપ્પણીથી વિવાદ, રાજકોટમાં ક્ષત્રિય આગેવાનો વિરોધAnklav APMC: આણંદની આંકલાવ APMCની ચૂંટણીમાં કોંગ્રેસની પેનલની બિનહરીફ જીતDeesa cracker factory blast: ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 21ના મોતDeesa cracker factory blast : ડીસામાં બ્લાસ્ટ બાદ આખું ફટાકડાનું ગોડાઉન ધ્વસ્ત , 12ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
IPL 2025, LSG vs PBKS LIVE: પંજાબ કિંગ્સે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરશે, જુઓ બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન 
IPL 2025, LSG vs PBKS LIVE: પંજાબ કિંગ્સે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરશે, જુઓ બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન 
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ
Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
Virat Kohli Retirement: વિરાટ કોહલીની નિવૃતી પર સામે આવ્યું મોટું અપડેટ, જાણો  
Virat Kohli Retirement: વિરાટ કોહલીની નિવૃતી પર સામે આવ્યું મોટું અપડેટ, જાણો  
'સંસદમાં 2જી એપ્રિલે હાજર રહે તમામ MP', વક્ફ બિલને લઇ BJP એ જાહેર કર્યુ વ્હિપ, કોંગ્રેસે બોલાવી વિપક્ષની બેઠક
'સંસદમાં 2જી એપ્રિલે હાજર રહે તમામ MP', વક્ફ બિલને લઇ BJP એ જાહેર કર્યુ વ્હિપ, કોંગ્રેસે બોલાવી વિપક્ષની બેઠક
ભારતમાં પણ આવશે મ્યાનમાર જેવો ભયાનક ભૂકંપ ? IIT કાનપુરના વૈજ્ઞાનિકની ચેતવણીથી ડર
ભારતમાં પણ આવશે મ્યાનમાર જેવો ભયાનક ભૂકંપ ? IIT કાનપુરના વૈજ્ઞાનિકની ચેતવણીથી ડર
Banaskantha Fire: ફટાકડાના ગોડાઉનમાં વિસ્ફોટમાં 18 શ્રમિકોના મોત,  મુખ્યમંત્રીએ સહાયની કરી જાહેરાત 
Banaskantha Fire: ફટાકડાના ગોડાઉનમાં વિસ્ફોટમાં 18 શ્રમિકોના મોત,  મુખ્યમંત્રીએ સહાયની કરી જાહેરાત 
Embed widget