શોધખોળ કરો
Advertisement
Coronavirus : રાજ્યમાં 2 લાખ 35 હજારથી વધુ દર્દીઓએ કોરોનાને આપી મ્હાત, રિકવરી રેટ 94.74 ટકા
રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 655 નવા કેસ નોંધાયા છે. સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે.
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 655 નવા કેસ નોંધાયા છે. સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં આજે 868 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. તેની સાથે અત્યાર સુધી 2,35,426 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
કોરોના સંક્રમણના કારણે વધુ 4 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4325 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 8830 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,35,426 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 59 દર્દી વેન્ટીલેટર પર છે અને 8771 લોકો સ્ટેબલ છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2, અમરેલીમાં 1 અને સુરત કોર્પોરેશનમાં 1 મળી કુલ 4 લોકોના કોરોનાથી મોત નીપજ્યા હતા.
રાજ્યમાં આજે કુલ 868 દર્દી સાજા થયા હતા અને 48,039 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 99,06,698 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 94.71 ટકા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગાંધીનગર
લાઇફસ્ટાઇલ
Advertisement