શોધખોળ કરો

Coronavirus Effect: વીજ વપરાશકારો માટે મોટા સમાચાર, CM વિજય રૂપાણીએ શું કર્ય મોટો નિર્ણય, જાણો

ગુજરાતમાં કોરોના વાયરસ ધીમે ધીમે ફેલાતો જઈ રહ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકડાઉન છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસ ધીમે ધીમે ફેલાતો જઈ રહ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકડાઉન છે. આવી પરિસ્થિતિમાં વેપાર-ધંધા ઠપ્પ થઈ ગયા છે. આ સાથે જીવન પણ જાણે થંભી ગયું હોય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ગરીબો સહિત ગુજરાતના લોકો માટે ગુજરાત સરકાર મદદ કરી રહી છે. ત્યાર મુખ્યમંત્રી વિજય રૂપાણી વધુ એક મોટો નિર્ણય કર્યો હતો. કોરોના વાયરસની કપરી પરિસ્થિતિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના વીજ વપરાશકારોને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં હાલની સ્થિતિની સમિક્ષા કરવામાં આવી હતી જેમાં એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે, રાજ્યમાં નાના વેપારીઓ, દુકાનદારો અને ઉદ્યોગો તેમજ ઘર વીજ વપરાશકારો જેમને જીઈબી-ગુજરાત ઇલેકટ્રીક સિટી બોર્ડના વીજ બિલ ભરવાના થાય છે તેમની માર્ચ અને એપ્રિલ મહિનાના બીલ ભરવાની મુદત તા. 15મી મે સુધી કરવામાં આવી છે. આ ઉપરાંત જો બીલ નિયમિત ન ભરાય તો પેનલ્ટી કે કનેક્શન કાપી નાખવાની બાબત પણ મોકૂફ રાખવામાં આવી છે. વિજય રૂપાણીએ આ જાહેરાત કરતા વધુમાં કહ્યું હતું કે, હાલની લોકડાઉનની પરિસ્થિતીને કારણે વેપાર, ઉદ્યોગ ધંધા બંધ છે તે સંજોગોમાં આવા વેપાર ઉદ્યોગો-નાના દુકાનધારકો જેમને જીઈબીના બીલ ભરવાના થાય છે તેમને એપ્રિલ મહિનાના બીલમાં ફીક્સ ચાર્જી લેવામાં આવશે નહીં, માત્ર વપરાશનું બીલ જ તેમણે ભરવાનું રહેશે. સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, કોર કમિટીની મળેલી આ બેઠકમાં ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકિમ અને વરિષ્ઠ સચિવોએ સર્વગ્રાહી સમીક્ષા અને ચર્ચા-વિચારણા બાદ આ નિર્ણય કરવામાં આવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજયમાં 18 જુલાઇથી આ જિલ્લામાં પડી શકે છે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજયમાં 18 જુલાઇથી આ જિલ્લામાં પડી શકે છે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજયમાં 18 જુલાઇથી આ જિલ્લામાં પડી શકે છે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજયમાં 18 જુલાઇથી આ જિલ્લામાં પડી શકે છે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
FIFA World Cup 2026: સ્પેન બીજી વખત ફીફા વર્લ્ડકપની ફાઈનલમાં, એમ્બાપ્પેના ફ્રાન્સને 2-0 થી હરાવ્યું
FIFA World Cup 2026: સ્પેન બીજી વખત ફીફા વર્લ્ડકપની ફાઈનલમાં, એમ્બાપ્પેના ફ્રાન્સને 2-0 થી હરાવ્યું
પત્નીને પતિના પગારના કેટલા ટકા ભરણપોષણ તરીકે મળવું જોઈએ? જાણો અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ
પત્નીને પતિના પગારના કેટલા ટકા ભરણપોષણ તરીકે મળવું જોઈએ? જાણો અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ
IRCTC Website: રેલવેના મુસાફરોને ઝટકો, હાલમાં લોન્ચ નહીં થાય IRCTCની નવી વેબસાઈટ, જાણો કારણ?
IRCTC Website: રેલવેના મુસાફરોને ઝટકો, હાલમાં લોન્ચ નહીં થાય IRCTCની નવી વેબસાઈટ, જાણો કારણ?
અમેરિકાની સેનાએ ઈરાન પર ફરી વરસાવ્યા બોમ્બ, IRGCના ઠેકાણાઓને બનાવ્યા નિશાન
અમેરિકાની સેનાએ ઈરાન પર ફરી વરસાવ્યા બોમ્બ, IRGCના ઠેકાણાઓને બનાવ્યા નિશાન
આજથી રેલવે ટિકિટ બુકિંગનો નિયમ બદલાયો, જનરલ ટિકિટ માટે ફોટો ID ફરજિયાત
આજથી રેલવે ટિકિટ બુકિંગનો નિયમ બદલાયો, જનરલ ટિકિટ માટે ફોટો ID ફરજિયાત
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
India-UK CETA: ભારત-બ્રિટન વેપાર કરાર આજથી લાગુ, 99 ટકા ભારતીય નિકાસ પર શૂન્ય ડ્યુટી, શું સસ્તું થશે?
India-UK CETA: ભારત-બ્રિટન વેપાર કરાર આજથી લાગુ, 99 ટકા ભારતીય નિકાસ પર શૂન્ય ડ્યુટી, શું સસ્તું થશે?
Embed widget