શોધખોળ કરો

Coronavirus Effect: મુખ્યમંત્રી રાહતનિધિમાં ગુજરાતના કયા જાણીતા મંદિરો અને કેશુભાઈ પટેલે કેટલું આપ્યું દાન? જાણો

કોરોના વાયરસના કારણે અસરગ્રસ્તોને મદદ હેતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી રાહતનિધિમાં ફાળો આપવા અપીલ કરી છે.

ગાંધીનગરઃ કોરોના વાયરસને કારણે નાના અને મધ્યમ ઉદ્યોગોનો મોટો ફટકો પડ્યો છે જ્યારે ગરીબોને બહુ મોટો ફટકો પડ્યો છે આ લોકોની મદદ માટે ઘણાં લોકો આગળ આવ્યા છે. કોરોના વાયરસના કારણે અસરગ્રસ્તોને મદદ હેતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી રાહતનિધિમાં ફાળો આપવા અપીલ કરી છે. જેના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાંથી વિવિધ દાતાઓ, સંસ્થાઓ, કર્મચારીઓ સહિત અનેક લોકોએ આ રાહતનિધિમાં ઉદાર હાથે ફાળો આપ્યો છે. ગુજરાતના મોટો મંદિરો પણ કરોડો રૂપિયાનું દાન આપ્યું છે. કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે ગુજરાતના જાણીતા મંદિર સોમનાથ મંદિર ટ્રસ્ટે રૂપિયા 1 કરોડનું દાન કર્યું છે. મુખ્યમંત્રી રાહત ફંડમાં આ રકમ જમા કરાવવામાં આવશે. ત્રણ દિવસમાં 3500 જેટલા લોકોએ તથા સંસ્થાઓએ લાખો રૂપિયાનું દાન આપ્યું છે.
ગુજરાતના માહિતી અને મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે ગાંધીનગર ખાતે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ગુજરાતની જાણીતી સંસ્થાઓ તરફથી દાન આપવાની શરૂઆત થઈ ચૂકી છે. સંસ્થાઓની સાથોસાથ વ્યક્તિઓ પણ દાન આપી રહ્યા છે. આ દાનમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે વ્યક્તિગત રીતે 1 લાખ રૂપિયાના દાનની જાહેરાત કરી છે. જ્યારે સોમનાથ ટ્રસ્ટ તરફથી રૂ. 1 કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના કુંડળ સ્વામી નારાયણ મંદિર તરફથી પણ રૂપિયા 25 લાખના દાનની જાહેરાત કરવામાં આવી. રાજ્યમાં કોરોના વાયરસ સામે લડવા માટે જે લોકો ફંડ આપવા માંગે છે તે મુખ્યમંત્રી રાહતનીધિ ફંડમાં રકમ જમા કરાવી શકે છે. આ તમામ દાન ઈન્કમટેક્સની સેક્શન 80G અંતર્ગત કરમાંથી મુક્તિને પાત્ર છે. આમ લોકો ખુલ્લામને આગળ આવી અને દાન કરી શકે છે. હવે અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી પણ રૂપિયા 1 કરોડ એક લાખનું દાન કરવામાં આવ્યું છે. આ રકમ મુખ્યમંત્રી રીલીફ ફંડમાં દાન કરવામાં આવશે. અંબાજી મંદિર ટ્રસ્ટના ચેરમેન તથા ક્લેક્ટર સંદિપ સાગલે આ રકમનો ચેક આપ્યો હતો. આ રીતે અંબાજી મંદિર ટ્રસ્ટે મહામારી સામે લડવા માટે પોતાનું આર્થિક યોગદાન આપ્યું છે. નમસ્તે મિત્રો કોરોનાની મહામારીમાં આવો આપણે બધાં એક બનીએ અને જે રૂપિયાથી ગરીબ છે અને જે રોજેરોજનું રોજેરોજ બનાવે છે એવા મિત્રોને આપણા ભારતીય બહેનોને અને પશુ-પંખીઓને આપણે જેટલી બને એટલી મદદ કરીએ તો આવો આપણે સૌ ભેગા મળીને એમને મદદ કરી અને પહેલું જ અનુદાનની જાહેરાત હું એટલે કે ઈશરદાન ગઢવી પરિવાર તરફથી 1,11,000 રૂપિયાનું અનુદાન આપું છું.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Paresh Goswami Prediction: રાજ્યમાં માવઠાને લઈને પરેશ ગોસ્વામીની મોટી આગાહી, ખેડૂતો થઈ જજો સાવધાન!
Paresh Goswami Prediction: રાજ્યમાં માવઠાને લઈને પરેશ ગોસ્વામીની મોટી આગાહી, ખેડૂતો થઈ જજો સાવધાન!
પેટ્રોલ-ડીઝલ ખૂટી પડવાની અફવાઓ પર પૂર્ણવિરામ: ગુજરાત સરકારે કહ્યું- ‘ગભરાશો નહીં, આપણી પાસે પૂરતો જથ્થો છે!’
પેટ્રોલ-ડીઝલ ખૂટી પડવાની અફવાઓ પર પૂર્ણવિરામ: ગુજરાત સરકારે કહ્યું- ‘ગભરાશો નહીં, આપણી પાસે પૂરતો જથ્થો છે!’
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આવક-જાતિના દાખલાથી લઈને રેશનકાર્ડના કામ હવે ઘરે બેઠા જ થશે!
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આવક-જાતિના દાખલાથી લઈને રેશનકાર્ડના કામ હવે ઘરે બેઠા જ થશે!
પેટ્રોલ-ડીઝલની અછત એ માત્ર અફવા! હર્ષ સંઘવીએ કહ્યું – મુખ્યમંત્રી દર 2 દિવસે કરશે રિવ્યુ
પેટ્રોલ-ડીઝલની અછત એ માત્ર અફવા! હર્ષ સંઘવીએ કહ્યું – મુખ્યમંત્રી દર 2 દિવસે કરશે રિવ્યુ

વિડિઓઝ

Ambalal Patel Predication : આંધી-વંટોળ સાથે આવશે વરસાદ , અંબાલાલની ચોંકાવનારી આગાહી
Donald Trump Big Statement : ટ્રમ્પ સાથે વાતચીતનો ઇરાને કર્યો ઇનકાર
Petrol-Diesel Shortage Rumor : પેટ્રોલ-ડીઝલની અછત માત્ર અફવા , DYCMની સ્પષ્ટતા
Hun To Bolish : હું તો બોલીશ: વનવાસી કે આદિવાસી?
Hun To Bolish : હું તો બોલીશ: મિડલ ઇસ્ટમાં યુદ્ધ, ભારત તૈયાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટ્રોલ-ડીઝલ ખૂટી પડવાની અફવાઓ પર પૂર્ણવિરામ: ગુજરાત સરકારે કહ્યું- ‘ગભરાશો નહીં, આપણી પાસે પૂરતો જથ્થો છે!’
પેટ્રોલ-ડીઝલ ખૂટી પડવાની અફવાઓ પર પૂર્ણવિરામ: ગુજરાત સરકારે કહ્યું- ‘ગભરાશો નહીં, આપણી પાસે પૂરતો જથ્થો છે!’
અમેરિકા ઈરાન સામે યુદ્ધ ક્યારે ખત્મ કરશે? ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કરી તારીખ, પાકિસ્તાનમાં યોજાઈ શકે છે ઐતિહાસિક શાંતિ બેઠક!
અમેરિકા ઈરાન સામે યુદ્ધ ક્યારે ખત્મ કરશે? ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કરી તારીખ, પાકિસ્તાનમાં યોજાઈ શકે છે ઐતિહાસિક શાંતિ બેઠક!
Video: કોલંબિયામાં મોટી વિમાન દુર્ઘટના: 110 સૈનિકો સાથે વાયુસેનાનું પ્લેન ટેકઓફ થતાની સાથે જ ક્રેશ!
Video: કોલંબિયામાં મોટી વિમાન દુર્ઘટના: 110 સૈનિકો સાથે વાયુસેનાનું પ્લેન ટેકઓફ થતાની સાથે જ ક્રેશ!
અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ રોકવા પડદા પાછળ કોણ કરી રહ્યું છે ડીલ? ટ્રમ્પે આ 3 મુસ્લિમ દેશોનો કર્યો ઉલ્લેખ!
અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ રોકવા પડદા પાછળ કોણ કરી રહ્યું છે ડીલ? ટ્રમ્પે આ 3 મુસ્લિમ દેશોનો કર્યો ઉલ્લેખ!
પેટ્રોલ-ડીઝલની અછતનો ડર છોડો! પીએમ મોદીએ સંસદમાં આંકડા સાથે સમજાવ્યું ભારત કેમ છે સુરક્ષિત
પેટ્રોલ-ડીઝલની અછતનો ડર છોડો! પીએમ મોદીએ સંસદમાં આંકડા સાથે સમજાવ્યું ભારત કેમ છે સુરક્ષિત
અમદાવાદ સહિત ગુજરાતમાં પેટ્રોલની અછતની અફવાથી હાહાકાર: જાણો પંપ પર કેમ લાગી છે લાંબી લાઈનો અને શું છે સાચું કારણ?
અમદાવાદ સહિત ગુજરાતમાં પેટ્રોલની અછતની અફવાથી હાહાકાર: જાણો પંપ પર કેમ લાગી છે લાંબી લાઈનો અને શું છે સાચું કારણ?
પેટ્રોલ-ડીઝલની અછત એ માત્ર અફવા! હર્ષ સંઘવીએ કહ્યું – મુખ્યમંત્રી દર 2 દિવસે કરશે રિવ્યુ
પેટ્રોલ-ડીઝલની અછત એ માત્ર અફવા! હર્ષ સંઘવીએ કહ્યું – મુખ્યમંત્રી દર 2 દિવસે કરશે રિવ્યુ
અમેરિકા-ઈરાન યુદ્ધમાં મોટી રાહત: ટ્રમ્પે હુમલાનો પ્લાન 5 દિવસ માટે ટાળ્યો, સમાધાનના મળ્યા સ્પષ્ટ સંકેત
અમેરિકા-ઈરાન યુદ્ધમાં મોટી રાહત: ટ્રમ્પે હુમલાનો પ્લાન 5 દિવસ માટે ટાળ્યો, સમાધાનના મળ્યા સ્પષ્ટ સંકેત
Embed widget