શોધખોળ કરો

Coronavirus Effect: મુખ્યમંત્રી રાહતનિધિમાં ગુજરાતના કયા જાણીતા મંદિરો અને કેશુભાઈ પટેલે કેટલું આપ્યું દાન? જાણો

કોરોના વાયરસના કારણે અસરગ્રસ્તોને મદદ હેતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી રાહતનિધિમાં ફાળો આપવા અપીલ કરી છે.

ગાંધીનગરઃ કોરોના વાયરસને કારણે નાના અને મધ્યમ ઉદ્યોગોનો મોટો ફટકો પડ્યો છે જ્યારે ગરીબોને બહુ મોટો ફટકો પડ્યો છે આ લોકોની મદદ માટે ઘણાં લોકો આગળ આવ્યા છે. કોરોના વાયરસના કારણે અસરગ્રસ્તોને મદદ હેતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી રાહતનિધિમાં ફાળો આપવા અપીલ કરી છે. જેના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાંથી વિવિધ દાતાઓ, સંસ્થાઓ, કર્મચારીઓ સહિત અનેક લોકોએ આ રાહતનિધિમાં ઉદાર હાથે ફાળો આપ્યો છે. ગુજરાતના મોટો મંદિરો પણ કરોડો રૂપિયાનું દાન આપ્યું છે. કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે ગુજરાતના જાણીતા મંદિર સોમનાથ મંદિર ટ્રસ્ટે રૂપિયા 1 કરોડનું દાન કર્યું છે. મુખ્યમંત્રી રાહત ફંડમાં આ રકમ જમા કરાવવામાં આવશે. ત્રણ દિવસમાં 3500 જેટલા લોકોએ તથા સંસ્થાઓએ લાખો રૂપિયાનું દાન આપ્યું છે.
ગુજરાતના માહિતી અને મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે ગાંધીનગર ખાતે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ગુજરાતની જાણીતી સંસ્થાઓ તરફથી દાન આપવાની શરૂઆત થઈ ચૂકી છે. સંસ્થાઓની સાથોસાથ વ્યક્તિઓ પણ દાન આપી રહ્યા છે. આ દાનમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે વ્યક્તિગત રીતે 1 લાખ રૂપિયાના દાનની જાહેરાત કરી છે. જ્યારે સોમનાથ ટ્રસ્ટ તરફથી રૂ. 1 કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના કુંડળ સ્વામી નારાયણ મંદિર તરફથી પણ રૂપિયા 25 લાખના દાનની જાહેરાત કરવામાં આવી. રાજ્યમાં કોરોના વાયરસ સામે લડવા માટે જે લોકો ફંડ આપવા માંગે છે તે મુખ્યમંત્રી રાહતનીધિ ફંડમાં રકમ જમા કરાવી શકે છે. આ તમામ દાન ઈન્કમટેક્સની સેક્શન 80G અંતર્ગત કરમાંથી મુક્તિને પાત્ર છે. આમ લોકો ખુલ્લામને આગળ આવી અને દાન કરી શકે છે. હવે અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી પણ રૂપિયા 1 કરોડ એક લાખનું દાન કરવામાં આવ્યું છે. આ રકમ મુખ્યમંત્રી રીલીફ ફંડમાં દાન કરવામાં આવશે. અંબાજી મંદિર ટ્રસ્ટના ચેરમેન તથા ક્લેક્ટર સંદિપ સાગલે આ રકમનો ચેક આપ્યો હતો. આ રીતે અંબાજી મંદિર ટ્રસ્ટે મહામારી સામે લડવા માટે પોતાનું આર્થિક યોગદાન આપ્યું છે. નમસ્તે મિત્રો કોરોનાની મહામારીમાં આવો આપણે બધાં એક બનીએ અને જે રૂપિયાથી ગરીબ છે અને જે રોજેરોજનું રોજેરોજ બનાવે છે એવા મિત્રોને આપણા ભારતીય બહેનોને અને પશુ-પંખીઓને આપણે જેટલી બને એટલી મદદ કરીએ તો આવો આપણે સૌ ભેગા મળીને એમને મદદ કરી અને પહેલું જ અનુદાનની જાહેરાત હું એટલે કે ઈશરદાન ગઢવી પરિવાર તરફથી 1,11,000 રૂપિયાનું અનુદાન આપું છું.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોંગ્રેસનું 'મિશન ઉમેદવાર બચાવો', વિવિધ મનપા, નપાના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા
કોંગ્રેસનું 'મિશન ઉમેદવાર બચાવો', વિવિધ મનપા, નપાના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા
‘30 વર્ષથી ગુજરાતને છેતરે છે!’ ગોપાલ ઈટાલિયાએ ભાજપ-કોંગ્રેસની જૂની 'ભાઈબંધી' ઉઘાડી પાડી
‘30 વર્ષથી ગુજરાતને છેતરે છે!’ ગોપાલ ઈટાલિયાએ ભાજપ-કોંગ્રેસની જૂની 'ભાઈબંધી' ઉઘાડી પાડી
Gujarat local body elections Live: રાજકોટમાં વોર્ડ નં 7માં ભાજપ બાદ કોંગ્રેસમાં વિવાદ, ટિકિટ કપાતા પ્રીતિબેન ગોહિલ થયા ભાવુક
Gujarat local body elections Live: રાજકોટમાં વોર્ડ નં 7માં ભાજપ બાદ કોંગ્રેસમાં વિવાદ, ટિકિટ કપાતા પ્રીતિબેન ગોહિલ થયા ભાવુક
Gujarat local body elections: ચૂંટણી પ્રચારમાં BJPના MLAના પત્ની ભૂલ્યા ભાન, રાજકીય વિવાદ થવાની શક્યતા
Gujarat local body elections: ચૂંટણી પ્રચારમાં BJPના MLAના પત્ની ભૂલ્યા ભાન, રાજકીય વિવાદ થવાની શક્યતા

વિડિઓઝ

Rajkot Congress : સુરત બાદ રાજકોટ કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા
Gujarat Weather Update : અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીના નવા રાઉંડનો થયો પ્રારંભ
Mehsana Politics : મહેસાણા કલેક્ટર કચેરીમાં જોરદાર ડ્રામા, કોંગ્રેસની સાથે AAPના કાર્યકરોનો હંગામો
Hun To Bolish : હું તો બોલીશ : કોણે પાડ્યો મેન્ડેટનો ખેલ?
Gujarat Hit Wave : ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસવેનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન, માત્ર અઢી કલાકમાં પહોંચી શકશો 
દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસવેનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન, માત્ર અઢી કલાકમાં પહોંચી શકશો 
US-Iran Peace Talks: ઈસ્લામાબાદમાં નિષ્ફળતા બાદ હવે જિનેવામાં થઈ થકે છે બંને દેશો વચ્ચે બેઠક
US-Iran Peace Talks: ઈસ્લામાબાદમાં નિષ્ફળતા બાદ હવે જિનેવામાં થઈ થકે છે બંને દેશો વચ્ચે બેઠક
CSK vs KKR Pitch Report: ચેપોકની પિચ પર કોનો દબદબો, બોલર કે પછી બેટ્સમેન કોણ પડશે ભારે
CSK vs KKR Pitch Report: ચેપોકની પિચ પર કોનો દબદબો, બોલર કે પછી બેટ્સમેન કોણ પડશે ભારે
સુરત બાદ રાજકોટ કોંગ્રેસના ઉમેદવારોને લઈ જવાયા અજ્ઞાત સ્થળે, ઉમેદવારોને ધમકાવવામાં આવી રહ્યા હોવાનો કોંગ્રેસનો આરોપ
સુરત બાદ રાજકોટ કોંગ્રેસના ઉમેદવારોને લઈ જવાયા અજ્ઞાત સ્થળે, ઉમેદવારોને ધમકાવવામાં આવી રહ્યા હોવાનો કોંગ્રેસનો આરોપ
Nitish Kumar: નીતિશ કુમાર આજે મુખ્યમંત્રી પદેથી આપશે રાજીનામું, બુધવારે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ
Nitish Kumar: નીતિશ કુમાર આજે મુખ્યમંત્રી પદેથી આપશે રાજીનામું, બુધવારે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ
Hormuz Blockade: હોર્મુઝ બન્યું યુદ્ધનું મેદાન, ઈરાન-અમેરિકા આમને સામને, શું ફરી શરૂ થશે યુદ્ધ?
Hormuz Blockade: હોર્મુઝ બન્યું યુદ્ધનું મેદાન, ઈરાન-અમેરિકા આમને સામને, શું ફરી શરૂ થશે યુદ્ધ?
કોંગ્રેસનું 'મિશન ઉમેદવાર બચાવો', વિવિધ મનપા, નપાના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા
કોંગ્રેસનું 'મિશન ઉમેદવાર બચાવો', વિવિધ મનપા, નપાના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા
CBSE Class 10th Result 2026: CBSE ધોરણ-10નું પરિણામ જલદી થશે જાહેર, DigiLocker પર આ રીતે કરી શકશો ચેક
CBSE Class 10th Result 2026: CBSE ધોરણ-10નું પરિણામ જલદી થશે જાહેર, DigiLocker પર આ રીતે કરી શકશો ચેક
Embed widget