શોધખોળ કરો

Coronavirus Effect: મુખ્યમંત્રી રાહતનિધિમાં ગુજરાતના કયા જાણીતા મંદિરો અને કેશુભાઈ પટેલે કેટલું આપ્યું દાન? જાણો

કોરોના વાયરસના કારણે અસરગ્રસ્તોને મદદ હેતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી રાહતનિધિમાં ફાળો આપવા અપીલ કરી છે.

ગાંધીનગરઃ કોરોના વાયરસને કારણે નાના અને મધ્યમ ઉદ્યોગોનો મોટો ફટકો પડ્યો છે જ્યારે ગરીબોને બહુ મોટો ફટકો પડ્યો છે આ લોકોની મદદ માટે ઘણાં લોકો આગળ આવ્યા છે. કોરોના વાયરસના કારણે અસરગ્રસ્તોને મદદ હેતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી રાહતનિધિમાં ફાળો આપવા અપીલ કરી છે. જેના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાંથી વિવિધ દાતાઓ, સંસ્થાઓ, કર્મચારીઓ સહિત અનેક લોકોએ આ રાહતનિધિમાં ઉદાર હાથે ફાળો આપ્યો છે. ગુજરાતના મોટો મંદિરો પણ કરોડો રૂપિયાનું દાન આપ્યું છે. કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે ગુજરાતના જાણીતા મંદિર સોમનાથ મંદિર ટ્રસ્ટે રૂપિયા 1 કરોડનું દાન કર્યું છે. મુખ્યમંત્રી રાહત ફંડમાં આ રકમ જમા કરાવવામાં આવશે. ત્રણ દિવસમાં 3500 જેટલા લોકોએ તથા સંસ્થાઓએ લાખો રૂપિયાનું દાન આપ્યું છે. ગુજરાતના માહિતી અને મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે ગાંધીનગર ખાતે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ગુજરાતની જાણીતી સંસ્થાઓ તરફથી દાન આપવાની શરૂઆત થઈ ચૂકી છે. સંસ્થાઓની સાથોસાથ વ્યક્તિઓ પણ દાન આપી રહ્યા છે. આ દાનમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે વ્યક્તિગત રીતે 1 લાખ રૂપિયાના દાનની જાહેરાત કરી છે. જ્યારે સોમનાથ ટ્રસ્ટ તરફથી રૂ. 1 કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના કુંડળ સ્વામી નારાયણ મંદિર તરફથી પણ રૂપિયા 25 લાખના દાનની જાહેરાત કરવામાં આવી. રાજ્યમાં કોરોના વાયરસ સામે લડવા માટે જે લોકો ફંડ આપવા માંગે છે તે મુખ્યમંત્રી રાહતનીધિ ફંડમાં રકમ જમા કરાવી શકે છે. આ તમામ દાન ઈન્કમટેક્સની સેક્શન 80G અંતર્ગત કરમાંથી મુક્તિને પાત્ર છે. આમ લોકો ખુલ્લામને આગળ આવી અને દાન કરી શકે છે. હવે અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી પણ રૂપિયા 1 કરોડ એક લાખનું દાન કરવામાં આવ્યું છે. આ રકમ મુખ્યમંત્રી રીલીફ ફંડમાં દાન કરવામાં આવશે. અંબાજી મંદિર ટ્રસ્ટના ચેરમેન તથા ક્લેક્ટર સંદિપ સાગલે આ રકમનો ચેક આપ્યો હતો. આ રીતે અંબાજી મંદિર ટ્રસ્ટે મહામારી સામે લડવા માટે પોતાનું આર્થિક યોગદાન આપ્યું છે. નમસ્તે મિત્રો કોરોનાની મહામારીમાં આવો આપણે બધાં એક બનીએ અને જે રૂપિયાથી ગરીબ છે અને જે રોજેરોજનું રોજેરોજ બનાવે છે એવા મિત્રોને આપણા ભારતીય બહેનોને અને પશુ-પંખીઓને આપણે જેટલી બને એટલી મદદ કરીએ તો આવો આપણે સૌ ભેગા મળીને એમને મદદ કરી અને પહેલું જ અનુદાનની જાહેરાત હું એટલે કે ઈશરદાન ગઢવી પરિવાર તરફથી 1,11,000 રૂપિયાનું અનુદાન આપું છું.

ટોપ સ્ટોરી

તહેવારોની ઉજવણી થઈ મોંઘી, ખાંડ બાદ હવે ડ્રાયફ્રુટના ભાવમાં વધારો 
તહેવારોની ઉજવણી થઈ મોંઘી, ખાંડ બાદ હવે ડ્રાયફ્રુટના ભાવમાં વધારો 
વડોદરાના ડભોઈમાં ભાજપના જ બે જૂથ વચ્ચે મારામારી, 'ગામમાં દારૂ વેચાય છે' તેવી કરી હતી ફેસબુક પોસ્ટ
વડોદરાના ડભોઈમાં ભાજપના જ બે જૂથ વચ્ચે મારામારી, 'ગામમાં દારૂ વેચાય છે' તેવી કરી હતી ફેસબુક પોસ્ટ
લાલ ચટાકેદાર મરચું પાડશે બિમાર! ઘઉંનું ભુસું અને કેમિકલ કલર ભેળવતું કૌભાંડ ડીસામાંથી ઝડપાયું
લાલ ચટાકેદાર મરચું પાડશે બિમાર! ઘઉંનું ભુસું અને કેમિકલ કલર ભેળવતું કૌભાંડ ડીસામાંથી ઝડપાયું
ગુજરાતમાં 3-3 વરસાદી સિસ્ટમ સક્રિય છતાં કેમ નથી પડી રહ્યો વરસાદ? જાણો મોટું કારણ
ગુજરાતમાં 3-3 વરસાદી સિસ્ટમ સક્રિય છતાં કેમ નથી પડી રહ્યો વરસાદ? જાણો મોટું કારણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હોસ્ટેલમાં રેગિંગ
Hun To Bolish : હું તો બોલીશ : નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ-ડીઝલ નહીં
Hun To Bolish : હું તો બોલીશ : દવા પણ ડુપ્લીકેટ ?
Ahmedabad news: અમદાવાદની ડેરીઓમાં મનપાનું ચેકિંગ! ‘માધવી પેંડા’માં સ્થળ પર જ રેપિડ ટેસ્ટ
Ahmedabad Demolition Mystery: અમદાવાદમાં ભૂતિયા ડિમોલિશનનો ખેલ, 3 દુકાનો પર ફરી વળ્યું બુલડોઝર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વડોદરાના ડભોઈમાં ભાજપના જ બે જૂથ વચ્ચે મારામારી, 'ગામમાં દારૂ વેચાય છે' તેવી કરી હતી ફેસબુક પોસ્ટ
વડોદરાના ડભોઈમાં ભાજપના જ બે જૂથ વચ્ચે મારામારી, 'ગામમાં દારૂ વેચાય છે' તેવી કરી હતી ફેસબુક પોસ્ટ
રાજકોટની લોધિકા સંઘની ચૂંટણી વચ્ચે ભાજપ નેતાની રહસ્યમય પોસ્ટ, નરેન્દ્રસિંહ જાડેજાએ શું કર્યો દાવો?
રાજકોટની લોધિકા સંઘની ચૂંટણી વચ્ચે ભાજપ નેતાની રહસ્યમય પોસ્ટ, નરેન્દ્રસિંહ જાડેજાએ શું કર્યો દાવો?
Delhi Rain: સતત બીજા દિવસે દિલ્હીમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારમાં જળભરાવ
Delhi Rain: સતત બીજા દિવસે દિલ્હીમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારમાં જળભરાવ
'ઈરાન સાથે સંબંધો તોડો નહીં તો પ્રતિબંધનો સામનો કરો', અમેરિકાની દુનિયાને ચેતવણી
'ઈરાન સાથે સંબંધો તોડો નહીં તો પ્રતિબંધનો સામનો કરો', અમેરિકાની દુનિયાને ચેતવણી
તહેવારોની ઉજવણી થઈ મોંઘી, ખાંડ બાદ હવે ડ્રાયફ્રુટના ભાવમાં વધારો 
તહેવારોની ઉજવણી થઈ મોંઘી, ખાંડ બાદ હવે ડ્રાયફ્રુટના ભાવમાં વધારો 
RTI: કેન્દ્ર સરકારના વિભાગોમાં 8.23 લાખ પદ ખાલી, RTIમાં થયો મોટો ખુલાસો
RTI: કેન્દ્ર સરકારના વિભાગોમાં 8.23 લાખ પદ ખાલી, RTIમાં થયો મોટો ખુલાસો
બેન્ક કર્મચારીઓની 11 સપ્ટેમ્બરના રોજ હડતાળ, જાણો શું છે પાંચ માંગ?
બેન્ક કર્મચારીઓની 11 સપ્ટેમ્બરના રોજ હડતાળ, જાણો શું છે પાંચ માંગ?
RBIએ ગ્રાહકોને કર્યા સતર્ક! KYCના નામ પર થઈ રહેલી છેતરપિંડીથી બચવાના બતાવ્યા ત્રણ નિયમ
RBIએ ગ્રાહકોને કર્યા સતર્ક! KYCના નામ પર થઈ રહેલી છેતરપિંડીથી બચવાના બતાવ્યા ત્રણ નિયમ
Embed widget