શોધખોળ કરો

Cyclone Biparjoy Live Updates: વિનાશક વાવાઝોડું બિપરજોય પોરબંદરથી માત્ર 320 કિલોમીટર દૂર, 10 નંબરનું સિગ્નલ લગાવાયું

ગુજરાતના દરિયાકાંઠે હાલમાં બિપરજોય વાવાઝોડાનો ખતરો વધ્યો છે

LIVE

Key Events
Cyclone Biparjoy Live Updates: વિનાશક વાવાઝોડું બિપરજોય પોરબંદરથી માત્ર 320 કિલોમીટર દૂર,  10 નંબરનું સિગ્નલ લગાવાયું

Background

ગુજરાતના દરિયાકાંઠે હાલમાં બિપરજોય વાવાઝોડાનો ખતરો વધ્યો છે. 14 અને 15 તારીખે કચ્છ, મોરબી, દ્વારકા, રાજકોટ, જામનગર, અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બિપરજોય વાવાઝોડાને પગલે કેન્દ્રિય ગૃહ મંત્રાલયે એડવાઇઝરી જાહેર કરી હતી. ગુજરાત સહિત દરિયાકાંઠાના રાજ્યો માટે કેન્દ્રની એડવાઈઝરી જાહેર કરી છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈનમાં વાવાઝોડાને લઈને કચ્છ-સૌરાષ્ટ્ર માટે યલો એલર્ટ જાહેર કરવામા આવ્યુ છે.

એડવાઇઝરીમાં વાવાઝોડાના પગલે 14 જૂને સવારે સૌરાષ્ટ્ર અને કચ્છને ક્રોસ કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વાવાઝોડાને પગલે દ્વારકા,  કચ્છ, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢમાં અતિભારે વરસાદની આશંકા છે. એડવાઇઝરીમાં કચ્છમાં નુકસાન થવાની આશંકા વ્યક્ત કરાઈ છે. વાવાઝોડાને કારણે વિઝિબિલિટી પણ ઓછી થઈ જવાની આશંકા વ્યક્ત કરાઇ છે.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બિપરજોય વાવાઝોડું 5 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. વાવાઝોડુ પોરબંદરથી દક્ષિણ-પશ્ચિમમાં 360 કિ.મી, દેવભૂમિ દ્વારકાથી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં 400 કિ.મી, કચ્છના નલિયાથી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં 490 કિ.મી દૂર છે.

હવામાન વિભાગના મતે 15 જૂને બિપરજોય વાવાઝોડુ કચ્છના માંડવી પાસે વાવાઝોડું ટકરાવાની શક્યતા છે. દરમિયાન પવનની ગતિ 125થી 135 કિમી પ્રતિ કલાકની રહેશે. વાવાઝોડાની સૌથી વધુ અસર સમગ્ર કચ્છ જિલ્લામાં થશે. કચ્છની સાથે સૌરાષ્ટ્રના સાત જિલ્લામાં વાવાઝોડાની વિનાશક અસર થશે. જામનગર, મોરબી, પોરબંદર, દ્વારકા, જૂનાગઢમાં પણ વાવાઝોડાની અસર જોવા મળશે.

બિપરજોય વાવાઝોડુ 15 જૂને કચ્છના માંડવી અને કરાંચી વચ્ચે ટકરાશે. વાવાઝોડુ લેન્ડ ફોલ થશે ત્યારે તે વિસ્તારમાં 125 થી 135 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.  કચ્છ, દ્વારકા અને જામનગરમાં વાવાઝોડાની વધુ અસર થશે. ભારે પવન, વીજળી સાથે અતિ ભારે વરસાદ પડશે. 14 અને 15 તારીખે કચ્છ, મોરબી, દ્વારકા, રાજકોટ, જામનગર, અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  ભારે પવનથી વૃક્ષો પડવાની શક્યતા હોવાથી પ્રભાવિત વિસ્તારના લોકોએ ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે.  રાજ્યના અન્ય જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પડશે. આ સાથે જ 30 થી 35 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે.  

વાવાઝોડાને પગલે પોરબંદર-ઓખાથી એક હજાર 250 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. દ્વારકા, પોરબંદર, કચ્છમાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. જૂનાગઢ, જામનગરમાં પણ NDRFની ટીમ તૈનાત કરાઇ હતી. SDRFની 17 ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. વાવાઝોડાની સ્થિતિને લઈને ગાંધીનગરથી સતત મોનિટરિંગ કરાઇ રહ્યું છે.

12:10 PM (IST)  •  12 Jun 2023

વાવાઝોડાને પગલે કચ્છના શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો હતો

વાવાઝોડાને પગલે કચ્છના શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો હતો. કચ્છની તમામ શાળાઓ અને કોલેજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કચ્છમાં આગામી 13 જૂન થી 15 જૂન સુધી શાળા-કોલેજ બંધ રહેશે.

11:50 AM (IST)  •  12 Jun 2023

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમીક્ષા બેઠક યોજશે

બિપરજોય વાવાઝોડું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. જેને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે 1 વાગ્યે ત પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે બેઠક યોજશે. સૂત્રોએ આ માહિતી આપી છે

11:34 AM (IST)  •  12 Jun 2023

કચ્છમાં 2 SDRF અને 2 NDRF ની ટીમ ફાળવવામાં આવી

વાવાઝોડુ કચ્છ જિલ્લામાં સૌથી વધુ અસર કરે તેવી સંભાવના છે. વાવાઝોડુ બિપરજોય માંડવી દરિયા કિનારે ત્રાટકે તેવી આગાહી કરાઇ છે. વાવાઝોડાને લઈને કચ્છમાં બચાવ કામગીરી માટે 4 ટીમો ફાળવવામાં આવી છે. કચ્છમાં 2 SDRF અને 2 NDRF ની ટીમ ફાળવવામાં આવી છે. એક SDRF અને એ NDRFની ટીમ નલિયા ખાતે તૈનાત કરાઇ હતી તો એક NDRF ની ટીમ માંડવી ખાતે તૈનાત કરવામાં આવી હતી. SDRFની 25 લોકોની 1 ટીમ આજે સવારે ભૂજ પહોંચશે. તે સિવાય ભૂજમાં SDRF ની ટીમને સ્ટેન્ડ બાય રહેવાનો આદેશ અપાયો હતો. તે સિવાય SDRF અને NDRFની ટીમોએ દરિયાઈ વિસ્તારની મુલાકાત લીધી હતી.

11:34 AM (IST)  •  12 Jun 2023

અનેક બંદરો પર ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યા

વાવાઝોડાના રૌદ્ર રુપને જોતા ગુજરાતના અનેક બંદરો પર ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યા છે. જેમાં કંડલા, પોરબંદર, ઓખા બંદર અને મોરબીના નવલખી બંદર પર 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ગુજરાત મેરી ટાઇમ બોર્ડ દ્વારા સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ ઉપરાંત મુંદ્રા, માંડવી બંદર પર પણ નવ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. 

11:02 AM (IST)  •  12 Jun 2023

સૌરાષ્ટ્રના બંદરો પર ભયજનક સિગ્નલ લગાવાયા

વાવાઝોડાનો ખતરો વધતા સૌરાષ્ટ્રના બંદરો પર ભયજનક સિગ્નલ લગાવાયા હતા. દ્વારકા, ઓખા, પોરબંદર, નવલખી સહિત 9 જેટલા બંદર પર નવ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs ENG: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાની બમ્પર જીત, વનડે સિરીઝમાં ઈંગ્લેન્ડના સુપડા સાફ; 142 રને જીતી ત્રીજી વનડે
IND vs ENG: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાની બમ્પર જીત, વનડે સિરીઝમાં ઈંગ્લેન્ડના સુપડા સાફ; 142 રને જીતી ત્રીજી વનડે
Samay Raina: ચારેકોરથી વિરોધ થતા સમય રૈનાએ 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ'ના શોને લઈ લીધો મોટો નિર્ણય, કહ્યું-હવે મુશ્કેલ.....
Samay Raina: ચારેકોરથી વિરોધ થતા સમય રૈનાએ 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ'ના શોને લઈ લીધો મોટો નિર્ણય, કહ્યું-હવે મુશ્કેલ.....
PM modi: પીએમ મોદીએ ઇમેન્યુઅલ મેક્રોનની પત્નીને જાણો શું આપી ભેટ, US ઉપરાષ્ટ્રપતિના બાળકોને પણ આપ્યો ખાસ ઉપહાર
PM modi: પીએમ મોદીએ ઇમેન્યુઅલ મેક્રોનની પત્નીને જાણો શું આપી ભેટ, US ઉપરાષ્ટ્રપતિના બાળકોને પણ આપ્યો ખાસ ઉપહાર
WPL 2025: મહિલા પ્રીમિયર લીગમાં કેટલી મેચ રમાશે? જાણો કઈ ટીમની કોણ છે કેપ્ટન?
WPL 2025: મહિલા પ્રીમિયર લીગમાં કેટલી મેચ રમાશે? જાણો કઈ ટીમની કોણ છે કેપ્ટન?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સાયરનની શેખી કેમ?Hun To Bolish: હું તો બોલીશ : ABCD 'કૌભાંડની સીડી'?Cylinder Blast in Surat: સુરતના સચિન GIDCમાં ગેસ સિલીન્ડર બ્લાસ્ટ થતા એકનું મોતDhoraji Politics: ધોરાજીમાં ચૂંટણી પ્રચારમાં સરકારી ગાડીનો ઉપયોગ? વીડિયો વાયરલ થતા પ્રમુખનો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાની બમ્પર જીત, વનડે સિરીઝમાં ઈંગ્લેન્ડના સુપડા સાફ; 142 રને જીતી ત્રીજી વનડે
IND vs ENG: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાની બમ્પર જીત, વનડે સિરીઝમાં ઈંગ્લેન્ડના સુપડા સાફ; 142 રને જીતી ત્રીજી વનડે
Samay Raina: ચારેકોરથી વિરોધ થતા સમય રૈનાએ 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ'ના શોને લઈ લીધો મોટો નિર્ણય, કહ્યું-હવે મુશ્કેલ.....
Samay Raina: ચારેકોરથી વિરોધ થતા સમય રૈનાએ 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ'ના શોને લઈ લીધો મોટો નિર્ણય, કહ્યું-હવે મુશ્કેલ.....
PM modi: પીએમ મોદીએ ઇમેન્યુઅલ મેક્રોનની પત્નીને જાણો શું આપી ભેટ, US ઉપરાષ્ટ્રપતિના બાળકોને પણ આપ્યો ખાસ ઉપહાર
PM modi: પીએમ મોદીએ ઇમેન્યુઅલ મેક્રોનની પત્નીને જાણો શું આપી ભેટ, US ઉપરાષ્ટ્રપતિના બાળકોને પણ આપ્યો ખાસ ઉપહાર
WPL 2025: મહિલા પ્રીમિયર લીગમાં કેટલી મેચ રમાશે? જાણો કઈ ટીમની કોણ છે કેપ્ટન?
WPL 2025: મહિલા પ્રીમિયર લીગમાં કેટલી મેચ રમાશે? જાણો કઈ ટીમની કોણ છે કેપ્ટન?
India News: 7 વર્ષની જેલ, 10 લાખનો દંડ, ઘૂસણખોરી પર મોદી સરકાર કડક, નવું બિલ લાવવાની તૈયારી, જાણો શું છે જોગવાઈઓ?
India News: 7 વર્ષની જેલ, 10 લાખનો દંડ, ઘૂસણખોરી પર મોદી સરકાર કડક, નવું બિલ લાવવાની તૈયારી, જાણો શું છે જોગવાઈઓ?
RCB ફેન્સ માટે સ્પેશ્યલ ડે બનશે 13 ફેબ્રુઆરી, ગુરુવારે નવા કેપ્ટનની થશે જાહેરાત; તમે પણ જોઈ શકશો લાઈવ
RCB ફેન્સ માટે સ્પેશ્યલ ડે બનશે 13 ફેબ્રુઆરી, ગુરુવારે નવા કેપ્ટનની થશે જાહેરાત; તમે પણ જોઈ શકશો લાઈવ
Samay Raina Show Cancelled: અમદાવાદ અને સુરતમાં સમય રૈનાના શો રદ, અશ્લિલ ટિપ્પણી કરવી પડી મોંઘી
Samay Raina Show Cancelled: અમદાવાદ અને સુરતમાં સમય રૈનાના શો રદ, અશ્લિલ ટિપ્પણી કરવી પડી મોંઘી
Maharashtra: ઉદ્ધવ ઠાકરેને મોટો ફટકો, આ નેતાએ આપ્યું રાજીનામું, શિંદે જૂથમાં જોડાશે
Maharashtra: ઉદ્ધવ ઠાકરેને મોટો ફટકો, આ નેતાએ આપ્યું રાજીનામું, શિંદે જૂથમાં જોડાશે
Embed widget