શોધખોળ કરો

Cyclone Biparjoy Live Updates: વિનાશક વાવાઝોડું બિપરજોય પોરબંદરથી માત્ર 320 કિલોમીટર દૂર, 10 નંબરનું સિગ્નલ લગાવાયું

ગુજરાતના દરિયાકાંઠે હાલમાં બિપરજોય વાવાઝોડાનો ખતરો વધ્યો છે

Key Events
Cyclone Biparjoy Live Updates: The central government had announced an advisory regarding Biparjoy cyclone Cyclone Biparjoy Live Updates: વિનાશક વાવાઝોડું બિપરજોય પોરબંદરથી માત્ર 320 કિલોમીટર દૂર, 10 નંબરનું સિગ્નલ લગાવાયું
પોરબંદરમાં દરિયો તોફાની બન્યો હતો

Background

ગુજરાતના દરિયાકાંઠે હાલમાં બિપરજોય વાવાઝોડાનો ખતરો વધ્યો છે. 14 અને 15 તારીખે કચ્છ, મોરબી, દ્વારકા, રાજકોટ, જામનગર, અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બિપરજોય વાવાઝોડાને પગલે કેન્દ્રિય ગૃહ મંત્રાલયે એડવાઇઝરી જાહેર કરી હતી. ગુજરાત સહિત દરિયાકાંઠાના રાજ્યો માટે કેન્દ્રની એડવાઈઝરી જાહેર કરી છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈનમાં વાવાઝોડાને લઈને કચ્છ-સૌરાષ્ટ્ર માટે યલો એલર્ટ જાહેર કરવામા આવ્યુ છે.

એડવાઇઝરીમાં વાવાઝોડાના પગલે 14 જૂને સવારે સૌરાષ્ટ્ર અને કચ્છને ક્રોસ કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વાવાઝોડાને પગલે દ્વારકા,  કચ્છ, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢમાં અતિભારે વરસાદની આશંકા છે. એડવાઇઝરીમાં કચ્છમાં નુકસાન થવાની આશંકા વ્યક્ત કરાઈ છે. વાવાઝોડાને કારણે વિઝિબિલિટી પણ ઓછી થઈ જવાની આશંકા વ્યક્ત કરાઇ છે.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બિપરજોય વાવાઝોડું 5 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. વાવાઝોડુ પોરબંદરથી દક્ષિણ-પશ્ચિમમાં 360 કિ.મી, દેવભૂમિ દ્વારકાથી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં 400 કિ.મી, કચ્છના નલિયાથી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં 490 કિ.મી દૂર છે.

હવામાન વિભાગના મતે 15 જૂને બિપરજોય વાવાઝોડુ કચ્છના માંડવી પાસે વાવાઝોડું ટકરાવાની શક્યતા છે. દરમિયાન પવનની ગતિ 125થી 135 કિમી પ્રતિ કલાકની રહેશે. વાવાઝોડાની સૌથી વધુ અસર સમગ્ર કચ્છ જિલ્લામાં થશે. કચ્છની સાથે સૌરાષ્ટ્રના સાત જિલ્લામાં વાવાઝોડાની વિનાશક અસર થશે. જામનગર, મોરબી, પોરબંદર, દ્વારકા, જૂનાગઢમાં પણ વાવાઝોડાની અસર જોવા મળશે.

બિપરજોય વાવાઝોડુ 15 જૂને કચ્છના માંડવી અને કરાંચી વચ્ચે ટકરાશે. વાવાઝોડુ લેન્ડ ફોલ થશે ત્યારે તે વિસ્તારમાં 125 થી 135 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.  કચ્છ, દ્વારકા અને જામનગરમાં વાવાઝોડાની વધુ અસર થશે. ભારે પવન, વીજળી સાથે અતિ ભારે વરસાદ પડશે. 14 અને 15 તારીખે કચ્છ, મોરબી, દ્વારકા, રાજકોટ, જામનગર, અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  ભારે પવનથી વૃક્ષો પડવાની શક્યતા હોવાથી પ્રભાવિત વિસ્તારના લોકોએ ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે.  રાજ્યના અન્ય જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પડશે. આ સાથે જ 30 થી 35 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે.  

વાવાઝોડાને પગલે પોરબંદર-ઓખાથી એક હજાર 250 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. દ્વારકા, પોરબંદર, કચ્છમાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. જૂનાગઢ, જામનગરમાં પણ NDRFની ટીમ તૈનાત કરાઇ હતી. SDRFની 17 ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. વાવાઝોડાની સ્થિતિને લઈને ગાંધીનગરથી સતત મોનિટરિંગ કરાઇ રહ્યું છે.

12:10 PM (IST)  •  12 Jun 2023

વાવાઝોડાને પગલે કચ્છના શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો હતો

વાવાઝોડાને પગલે કચ્છના શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો હતો. કચ્છની તમામ શાળાઓ અને કોલેજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કચ્છમાં આગામી 13 જૂન થી 15 જૂન સુધી શાળા-કોલેજ બંધ રહેશે.

11:50 AM (IST)  •  12 Jun 2023

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમીક્ષા બેઠક યોજશે

બિપરજોય વાવાઝોડું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. જેને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે 1 વાગ્યે ત પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે બેઠક યોજશે. સૂત્રોએ આ માહિતી આપી છે

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: નવસારીમાં વરસાદ ખાબકતા લોકોને ગરમીથી મળી રાહત
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: નવસારીમાં વરસાદ ખાબકતા લોકોને ગરમીથી મળી રાહત
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં આ તારીખની વચ્ચે તૂટી પડશે વરસાદ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની થશે અસર
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં આ તારીખની વચ્ચે તૂટી પડશે વરસાદ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની થશે અસર
છેલ્લા 24 કલાકમાં અહીં તૂટી પડ્યો વરસાદ! ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે? હવામાન વિભાગે જાહેર કરી તારીખ
છેલ્લા 24 કલાકમાં અહીં તૂટી પડ્યો વરસાદ! ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે? હવામાન વિભાગે જાહેર કરી તારીખ
ખેડૂતો માટે મોટા સમાચાર: આ તારીખથી નર્મદા નહેરોમાં છોડાશે પાણી, CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય
ખેડૂતો માટે મોટા સમાચાર: આ તારીખથી નર્મદા નહેરોમાં છોડાશે પાણી, CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દર ચોમાસે કેમ ડૂબવાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : મોંઘવારીનો માર
Surat Demolition Mystery : સુરતના ભૂતિયા ડિમોલીશનને લઈ JCB ભાડે આપનારનો ચોંકાવનારો ખુલાસો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ રહેશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
Ambalal Patel Prediction on Monsoon : ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પર અંબાલાલ પટેલની નવી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીના રેકોર્ડની ઉજવણી! NDAની બેઠકમાં આજે રજૂ કરાશે અભિનંદન પ્રસ્તાવ
PM મોદીના રેકોર્ડની ઉજવણી! NDAની બેઠકમાં આજે રજૂ કરાશે અભિનંદન પ્રસ્તાવ
US Strike Iran: હેલિકોપ્ટર તોડ્યા બાદ અમેરિકાનો ઈરાન પર હુમલો, તહેરાનની બદલો લેવાની ધમકી
US Strike Iran: હેલિકોપ્ટર તોડ્યા બાદ અમેરિકાનો ઈરાન પર હુમલો, તહેરાનની બદલો લેવાની ધમકી
ફીફા વર્લ્ડકપમાં FIFAનો અર્થ શું થાય છે? 99 ટકા લોકો નહીં જાણતા હોય તેનો જવાબ
ફીફા વર્લ્ડકપમાં FIFAનો અર્થ શું થાય છે? 99 ટકા લોકો નહીં જાણતા હોય તેનો જવાબ
SSC CGL 2026: ઈન્કમટેક્સ ઈન્સ્પેક્ટરના પદ પર ભરતી, 1.51 લાખ રૂપિયા સુધીનો મળશે પગાર
SSC CGL 2026: ઈન્કમટેક્સ ઈન્સ્પેક્ટરના પદ પર ભરતી, 1.51 લાખ રૂપિયા સુધીનો મળશે પગાર
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: નવસારીમાં વરસાદ ખાબકતા લોકોને ગરમીથી મળી રાહત
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: નવસારીમાં વરસાદ ખાબકતા લોકોને ગરમીથી મળી રાહત
નરેન્દ્ર મોદીએ તોડ્યો જવાહરલાલ નેહરુનો રેકોર્ડ, સળંગ 4399 દિવસો સુધી PM પદ પર રહીને રચ્યો ઈતિહાસ
નરેન્દ્ર મોદીએ તોડ્યો જવાહરલાલ નેહરુનો રેકોર્ડ, સળંગ 4399 દિવસો સુધી PM પદ પર રહીને રચ્યો ઈતિહાસ
વાહન ચાલકોને રાહત આપી શકે છે સરકાર, વારંવાર લાઇસન્સ રિન્યુ કરવાની ઝંઝટ થશે દૂર
વાહન ચાલકોને રાહત આપી શકે છે સરકાર, વારંવાર લાઇસન્સ રિન્યુ કરવાની ઝંઝટ થશે દૂર
Protest in PoK: PoKમાં શાહબાઝ-મુનીર વિરુદ્ધ બળવો, મુઝફ્ફરાબાદથી રાવલકોટ સુધી વિરોધ પ્રદર્શન
Protest in PoK: PoKમાં શાહબાઝ-મુનીર વિરુદ્ધ બળવો, મુઝફ્ફરાબાદથી રાવલકોટ સુધી વિરોધ પ્રદર્શન
Embed widget